
Operation Sindoor: ભારત અને પાકિસ્તાન વચ્ચે મે 2025માં સર્જાયેલા લશ્કરી સંઘર્ષ મામલે પહેલી વાર, પાકિસ્તાને જાહેરમાં ચીનના દાવાને સમર્થન આપ્યું છે કે બેઇજિંગે ભારત-પાક સંઘર્ષ દરમિયાન મધ્યસ્થી ભૂમિકા ભજવી હતી.આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ અસંખ્ય વખત પોતે સંઘર્ષ અટકાવ્યો હોવાનો દાવો કરી રહયા છે અને તે વખતે પણ પાકિસ્તાને હા માં હા મીલાવી હતી.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ ગુરુવારે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે સંઘર્ષ દરમિયાન ચીની નેતૃત્વ પાકિસ્તાનના ટોચના નેતૃત્વ સાથે સતત સંપર્કમાં હતું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ચીને 7 થી 10 મે દરમિયાન ભારતીય નેતૃત્વનો પણ સંપર્ક કર્યો હતો.અંદ્રાબીના મતે, આ વાતચીતોએ પરિસ્થિતિને શાંત કરવામાં અને પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા પુનઃસ્થાપિત કરવામાં ભૂમિકા ભજવી હતી.
તેમણે કહ્યું કે આ સંપર્કો સકારાત્મક રાજદ્વારી આદાનપ્રદાન હતા જેણે તણાવ ઘટાડવા અને શાંતિ સ્થાપિત કરવામાં મદદ કરી હતી તેથી ભારત-પાક સંઘર્ષ અટકાવવા ચીનના મધ્યસ્થીનો દાવો સાચો છે, પાકિસ્તાને ચીનની મધ્યસ્થીને શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે રાજદ્વારી પગલું ગણાવ્યું હતું.
જોકે,પાકિસ્તાનના અત્યાર સુધી યુદ્ધવિરામ માટે સંપૂર્ણપણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવતું હતુ અને કહેતું હતું કે ટ્રમ્પની મધ્યસ્થીથી ભારત પાક વચ્ચે યુદ્ધ વિરામ થયો હતો હવે આટલા મહિના પછી અચાનક પાકિસ્તાન એવું કહે છે કે ભારત-પાક વચ્ચે યુદ્ધ વિરામ ચીનની મધ્યસ્થી બાદ થયો હતો. આ વાતથી રાજદ્વારી વર્તુળોમાં ભારે આશ્ચર્ય ફેલાયુ છે.જોકે ભારતે યુદ્ધવિરામ કોઈ તૃતીય પક્ષની મધ્યસ્થી નહિ હોવાનું જણાવે છે અને અમેરિકા કે ચાઇનાની મધ્યસ્થી નકારી છે. ભારતે ચીનના વિદેશ પ્રધાન વાંગ યીનાના નિવેદનને પણ ફગાવી દીધું જેમાં બેઇજિંગે મધ્યસ્થીનો દાવો કર્યો હતો.
ભારતીય સંરક્ષણ મંત્રાલયને વારંવાર ખુલાસો કરવો પડી રહ્યો છે કે ‘ઓપરેશન સિંદૂર’ સીઝફાયર કોઈપણ વિદેશી દબાણને કારણે નહીં, પરંતુ પાકિસ્તાની સૈન્ય સંચાલન મહાનિર્દેશક(DGMO) દ્વારા કરવામાં આવેલી વિનંતી અને સૈન્ય સંવાદને કારણે થયો હતો.આમ,હવે અમેરિકા બાદ ચીન ભારત-પાક સંઘર્ષ અટકાવવાનો દાવો કરતા વિશ્વભરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો:
Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!
Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!
Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે









