Amit Shah: મમતા બેનર્જીએ અમિત શાહની દુઃખતી નશ પકડી લીધી? કહ્યું, યે EDવાલે કો વાપસ બુલાલો, વરના ‘ દેખના અબ હમ ક્યા કરતે હૈ!’

  • India
  • January 10, 2026
  • 0 Comments

◆’કોલસા કૌભાંડ’માં અમિત શાહની સંડોવણીના પુરાવા સાથેની “પેનડ્રાઈવ”મારા કબ્જામાં છે!!જો મને હેરાન કરશોતો જાહેર કરી દઈશ! મમતાએ ફેંકેલા આ પડકારથી રાજકારણતો ગરમાયુ છે પણ અમિત શાહના કથિત”ગફલા”ની ફાઇલ મમતા પાસે કેવી રીતે પહોંચી તે વાત પણ ભારે રહસ્યમય બની છે!

Amit Shah: દેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયુ છે અને ભાજપે અહીં પોતાનું સ્થાન મજબૂત કરવા ભારે પ્રેશર બનાવ્યું છે.એક દિવસ પહેલા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાજ્યના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાજકીય સલાહકાર I-PAC ના કાર્યાલય અને તેના ડિરેક્ટર પ્રતીક જૈનના પરિસરમાં દરોડા પાડ્યા હતા.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે કોલકાતામાં તેના વિરોધમાં એક રેલી પણ યોજી હતી.આ દરમિયાન,બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ચૂંટણી પહેલા કેન્દ્રીય એજન્સીઓનો જાણી જોઈને ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો અને ચેતવણી આપી હતી કે જો તેમના અને તેમની સરકાર પર ભાજપ દ્વારા વધુ પડતું દબાણ લાવવામાં આવશે, તો તેઓ પોતાના કબ્જામાં રહેલી કોલસા કૌભાંડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કથિત સંડોવણી સાથેના પુરાવા વાળી સંબંધિત પેન ડ્રાઇવ જાહેર કરશે.

કોલકાતામાં EDના દરોડા સામે વિરોધ કૂચ દરમિયાન મોટી ભીડને સંબોધતા મમતાએ કહ્યું,”મારી પાસે એક પેન ડ્રાઇવ છે તેમાં અમિત શાહના રહસ્યો છુપાયેલા છે પણ “હું જે પદ પર છું તેનું માન જાળવી હું અત્યાર સુધી મૌન રહી છુ” “જો મારા પર વધુ દબાણ કરવામાં આવશે તો હું બધું જ જાહેર કરી દઈશ જે જોઈ આખો દેશ ચોંકી જશે.”

મમતા બેનર્જીએ કહ્યું કે દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓને કોલસા કૌભાંડમાંથી પૈસા મળ્યા છે અને જો જરૂર પડશે તો હું જનતા સમક્ષ પુરાવા રજૂ કરીશ. કૂચ શરૂ થાય તે પહેલાં સભાને સંબોધતા મુખ્યમંત્રી બેનર્જીએ કહ્યું કે આ વિરોધ કેન્દ્ર સરકારના અન્યાય અને અપમાન સામે છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝના શબ્દો ટાંકીને તેમણે કહ્યું કે હવે સડકો ઉપરનો વિરોધ EDની કાર્યવાહીનો જવાબ છે.
બેનર્જીએ આરોપ લગાવ્યો કે દરોડોનો વાસ્તવિક હેતુ તેમની પાર્ટીની ચૂંટણી વ્યૂહરચના અને ગુપ્ત દસ્તાવેજો જપ્ત કરવાનો હતો, તેને ગુનો ગણાવતા તેમણે કહ્યું કે કેન્દ્રીય એજન્સીએ તૃણમૂલ કોંગ્રેસની ચૂંટણી માહિતી ટ્રાન્સફર કરી છે.

મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર સીધુ નિશાન સાધતા આ દરોડાને રાજકીય પ્રેરિત ગણાવ્યા હતા.વિરોધ કૂચ દરમિયાન બેનર્જી સાથે પાર્ટીના અનેક સાંસદો, ધારાસભ્યો અને આગેવાનો જોડાયા હતા.નોંધનીય છે કે ગુરુવારે લાઉડન સ્ટ્રીટ સ્થિત નિવાસસ્થાન અને I-PAC વડા પ્રતીક જૈનના સોલ્ટ લેક કાર્યાલય પર EDના દરોડા બાદ આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ
  • June 16, 2026

Ankita Bhandari Case: ઉત્તરાખંડના ચર્ચિત અંકિતા ભંડારી હત્યાકાંડની કાળી પરત હવે વધુ ગહન બની રહી છે. આ કેસમાં એક અજ્ઞાત ‘વીઆઈપી’ ના નામનો રહસ્યમય ઉલ્લેખ વારંવાર થઈ રહ્યો છે, અને…

Continue reading
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત
  • June 16, 2026

Chhattisgarh School Prayer: છત્તીસગઢની શાળાઓમાં હવે પુસ્તકો કરતા પૂજાપાઠનું મહત્વ વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારે તાજેતરમાં એક એવો આદેશ બહાર પાડ્યો છે જેણે શિક્ષણ જગતમાં ભારે વિવાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 4 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 4 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 12 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 12 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 8 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?