
BJP: રાજ્યમાં ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર છે ત્યારે તાજેતરમાં સુરત જિલ્લાના તડકેશ્વરમાં ₹ 21 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી પાણીની ટાંકી ટ્રાયલ દરમિયાન જ ધરાશાયી થવાની ઘટનાએ દેશભરમાં ભારે ચર્ચા જગાવી છે આ ગંભીર ઘટના સંદર્ભે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ તકલાદી પાણીની ટાંકી તૈયાર કરનાર કોન્ટ્રાક્ટર ‘જયન્તી સુપર કન્સ્ટ્રક્શન’ દ્વારા ભાજપને ચૂંટણી ફંડ આપવામાં આવ્યું હતું તેથી તે ભાજપ માટે ખાસ કોન્ટ્રાક્ટર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
તડકેશ્વર ગામ ખાતે લોકોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે રૂ.21 કરોડોના ખર્ચે પાણીની ટાંકી બનાવવામાં આવી જેનો કોન્ટ્રાક્ટ જયન્તી સુપર કન્સ્ટ્રક્શન’ પાસે હતો પણ ટાંકીનું કામ પૂર્ણ થયા બાદ જ્યારે પાણી ભરવાની ચકાસણી કરવામાં આવી રહી હતી, ત્યારે જ આખી ટાંકી ધડામ દઈ બેસી જતા બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા હતા.
દરમિયાન સામે આવેલી વિગતો મુજબ આ તકલાદી ટાંકીનું નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટર જયન્તી સુપર કન્સ્ટ્રક્શને ભાજપને ચૂંટણી ફંડ પેટે વિવિધ બેન્કોના પાંચ ચેક મારફતે 1 લાખ રૂપિયાની રકમ આપવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે વિપક્ષ અને સામાજિક કાર્યકરોના આક્ષેપ મુજબ જે કોન્ટ્રાક્ટરો ફંડ આપે છે તેઓને કરોડોના કામો આપવામાં આવી રહયા છે આટલી મોટી બેદરકારી અને કરોડોની ગોલમાલ સામે આવી હોવાછતાં રાજ્ય સરકાર દ્વારા હાલમાં માત્ર કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે બીજું કે કરોડોની ટાંકી મિનિટોમાં જ તૂટી ગઈ તેવા નબળુ કામ કરનાર જયન્તી સુપર કન્સ્ટ્રક્શન પાસે દક્ષિણ ગુજરાતમાં બીજા પણ ઘણા કરોડોના પ્રોજેક્ટ્સ હોવાનું કહેવામાં આવી રહ્યું છે ત્યારે આ મામલે તપાસની માંગ થઈ રહી છે.
મોટી મોટી વાતો કરનાર સરકાર પોતાના જ મળતીયા કોન્ટ્રાક્ટરો ભેખડે ભરાય ત્યારે સાચવી લેવામાં આવતા હોવાની વ્યાપક ચર્ચા ઉઠી રહી છે તડકેશ્વર ગામે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી પાણીની ટાંકી તૂટી પડવાની ઘટનાએ સાબિત કર્યું છે કે સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત જનતાના ટેક્સના પૈસા બરબાદ થઈ રહયા છે અને ભ્રષ્ટાચાર બેફામ વધતો જઇ રહ્યો છે ત્યારે આ પ્રકરણમાં કોન્ટ્રાક્ટરે ભાજપને ફંડ આપ્યું હોવાની વાત સામે આવતા સબંધિત વર્તુળોમાં ભારે ચકચાર મચી છે ત્યારે આ પ્રકરણમાં યોગ્ય તપાસની માંગ ઉઠી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે ‘ગાય પગલાં પાણી પુરવઠા યોજના’ હેઠળ ₹ 21 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સંપ અને પાણીની ટાંકીમાંથી 11 લાખ લિટરની ક્ષમતા ધરાવતી અને 15 મીટર ઊંચી પાણીની ટાંકી ટ્રાયલ દરમિયાન તૂટી પડી હતી. આ ઘટનામાં એક મહિલા સહિત ત્રણ મજૂરોને ઈજા પહોંચી હતી.
આ ઘટનામાં સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષની લાગણી ફેલાઈ છે ગાય પગલાં પાણી પુરવઠા યોજના યોજનાથી 33 ગામોને પીવાનું પાણી પૂરું પાડવાનું લક્ષ્ય હતું અધિકારીઓ-કોન્ટ્રાક્ટરો સામે ગુનો નોંધવા માંગ થઈ રહી છે સ્થાનિક લોકોમાં ચાલતી ચર્ચા મુજબ જો આ ટાંકી લોકાર્પણ બાદ તૂટી હોતતો મોટી જાનહાનિ થવાની ભીતિ હતી અને જો આવું થાત તે તે માટે જવાબદાર કોણ હોત ?
₹ 21 કરોડનું ધુપ્પલ સર્જનાર ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે માત્ર તપાસ નહીં પણ ફોજદારી ગુનો નોંધવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









