Tribal: ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાનું કદ વધતું જઈ રહ્યું છે અહીં ભાજપની કોઈ કારી ફાવી નથી પરિણામે ભાજપ આગામી 2027 ની વિધાનસભા ચૂંટણી પૂર્વે આદિવાસી પટ્ટામાં ભાજપ ખાસ કરીને ડેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માંગે છે તેથી અહીંના સ્થાનિક આગેવાનોને ભાજપમાં લાવવાનું ચાલુ કર્યું છે અને જેના ભાગરૂપે પ્રફુલ વસાવા (ભૂતપૂર્વ AAP નેતા) અને રાજ વસાવા (ભૂતપૂર્વ BTP/કોંગ્રેસ નેતા) કે જેઓ નર્મદા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં મોટો પ્રભાવ ધરાવે છે તેઓને ભાજપમાં ભેળવતા હવે ભાજપને આ વિસ્તારોમાં અન્ય નેતાઓની (જેમ કે ચૈતર વસાવા) સામે મજબૂત વિકલ્પ મળ્યો છે.જોકે, આ અંગે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું અગાઉ નિવેદન પણ સામે આવી ચૂક્યું છે જેમાં તેઓના જણાવ્યા અનુસાર, આ નેતાઓ ‘આપ’ અને કોંગ્રેસની વિચારધારાથી દૂર થઈને આદિવાસી સમુદાયના મુખ્ય પ્રવાહના વિકાસ અને સામાજિક સેવા માટે ભાજપમાં જોડાયા છે.
આ સિવાય ભાજપ આદિવાસી યુવાનોમાં પોતાની પહોંચ વધારવા અને તેમને પક્ષની વિચારધારા સાથે જોડવા માટે “આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ”જેવા કાર્યક્રમો પણ યોજી રહ્યું છે.રાજકારણમાં કોણ ક્યારે પક્ષ પલટો કરે તે કહેવાય નહીં અને એક સમયે ભાજપને ભાંડનારા અને આંદોલનો કરનારા ઘણા નેતાઓ અગાઉ પણ ભાજપમાં જોડાઈ ચુક્યા હોવાના અનેક કિસ્સા બન્યા છે ત્યારે આ મુદ્દે સિનિયર પત્રકાર દિલીપ પટેલ સાથે સ્થાનિક પત્રકાર ઉમેશ રોહિતે વધુ વિગતો આપી હતી અને આ મુદ્દા ઉપર વિસ્તૃત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો






