
Iran War: ઈરાન ઉપર થયેલા હુમલામાં 150 ઈરાની વિદ્યાર્થિનીઓનાં મોત બાદ વિશ્વબજારમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને નોબેલ પુરસ્કાર અને શાંતિની વાતો કરનારા ડોનાલ્ડ ટ્રમ્પનો અસલી ચહેરો દુનિયા સમક્ષ છતો થઈ ગયો છે અને આ ગર્લ્સ સ્કૂલ ઉપર અમેરિકાએ મિસાઈલ હુમલો કર્યાનો ઈરાનનો આરોપ લગાવ્યો છે જોકે,USએ પોતે આ હુમલો કર્યાનો ઇન્કાર કરી રહ્યું છે.
ઈરાની ગર્લ્સ સ્કૂલ પર હુમલામાં 180 વિદ્યાર્થીનીઓના મોત બાદ UNના માનવાધિકાર પંચ દ્વારા તપાસ કરાવવાની માગ કરી છે.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પ્રમુખ વોલ્કર તુર્કે કહ્યું છે કે આ મામલાની ઝડપી, નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ થવી જોઈએ. જિનીવામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રવક્તા રવીના શમદાસાનીએ કહ્યું કે જે પક્ષે હુમલો કર્યો છે, તેની જ જવાબદારી છે કે તે તેની તપાસ કરે અને સત્ય સામે લાવે.
તેમણે આ ઘટનાને ખૂબ જ ભયાનક ગણાવી અને કહ્યું કે સોશિયલ મીડિયા પર જે તસવીરો સામે આવી છે, તે આ સંઘર્ષની તબાહી અને પીડા દર્શાવે છે,ઈરાનના હોર્મોઝગાન પ્રાંતના મિનાબ શહેરમાં આવેલી પ્રાઈમરી ગર્લ્સ સ્કૂલ પર શનિવારે હુમલો થયો હતો. તે જ દિવસે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી.
ઈરાને આ ઘટના બાદ ઈંટનો જવાબ પથ્થરથી આપવાની કસમ ખાધી છે. માસૂમ બાળકોના મોતના સમાચાર સોશિયલ મીડિયા પર આગની માફક ફેલાઈ રહ્યા છે. જેનાથી ઈરાનના સામાન્ય લોકોમાં ઈઝરાયેલ અને અમેરિકા વિરુદ્ધ ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે,દરમિયાન UNની માનવાધિકાર કચેરીએ ગર્લ્સ સ્કૂલ પર થયેલા હુમલાની તપાસ કરાવવાની માંગ કરી છે.







