
સુરતમાં શાળાના ત્રાસના કારણે ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. તે ગોડાદરામાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ભણતી હતી. પરિવારે ગંભીર આક્ષેપ કર્યા છે, કે અમારી દિકરીની ફી બાકી હોવાથી શાળા સંચાલકો દ્વારા બે દિવસ ટોઈલેટ આગળ ઉભી રાખવામાં આવતી હતી. આ મામલે ગોડાદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ આ મામલે AAP પાર્ટીએ પણ કાર્યવાહી કરવા ઉગ્ર માગ કરી છે.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરીયાએ એક ગંભીર મુદ્દા કહ્યું કે સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતી એક માસુમ દિકરીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તે દીકરીના પરિવારે જણાવ્યું તે અનુસાર તે દીકરીને શાળામાં ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તે દીકરીની ફી ભરાઈ ન હતી તેના કારણે તેને બે દિવસ ટોયલેટની બહાર ઉભી રાખવામાં આવી હતી. ત્યારબાદ એ દીકરીને પરીક્ષા પણ ન આપવા દીધી ન હતી. આ રીતે અનેકવાર તેને માનસિક ટોર્ચર કરવામાં આવી, જેના કારણે અંતે તે માસુમ દિકરીએ આત્મહત્યા કરી લીધી છે.
આ પણ વાંચોઃ પેપર સેટરે વિકલ્પો આપવામાં ભૂલ કરી અને ફી વિદ્યાર્થીઓને ભરાવતી સરકાર!, યુવરાજસિંહે શું કહ્યું?
સાકરિયાએ વધુમાં કહ્યું આપણે બાળકના ભવિષ્ય માટે અને દેશના ભવિષ્ય માટેની વાત કરીને બાળકને શાળામાં મોકલતા હોઈએ છીએ, પરંતુ આપણા બાળકો આજે શાળામાં સુરક્ષિત નથી અને શાળામાં તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે.
તો આમ આદમી પાર્ટીની આ મુદ્દે માંગણી છે કે આ ગંભીર મુદ્દા પર કાયદેસરની કાર્યવાહી થાય, ઊંડી તપાસ થાય અને શાળાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થાય. અને સાથે સાથે જે પણ વ્યક્તિ આ દીકરીની આત્મહત્યા પાછળ જવાબદાર છે તેના વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે. જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને એક ઉદાહરણ બેસાડવામાં આવે જેના કારણે ભવિષ્યમાં ફરીથી ક્યારેય પણ કોઈ બાળકને આ રીતે ત્રાસ આપવાનું કોઈ વિચારે પણ નહીં. જો ખાલી દેખાવ પૂર્તિ કાર્યવાહી કરવામાં આવશે તો આ રીતની ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય.
જુઓ વિડિયોઃ
આ પણ વાંચોઃ SURAT: શાળાએ ફી ભરવા મુદ્દે દબાણ કરતાં ધો. 8 વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાધો
આ પણ વાંચોઃ Ahmedabad Coldplay Concert: કોલ્ડપ્લે કોન્સર્ટની ટીકિટની કાળાબજારી કરનારો શખ્સ ઝડપાયો