Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર! રાજકીય માહોલ ગરમાયો! આચાર સંહિતા લાગુ

Elections: ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજરોજ તા. ૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

આ જાહેરાત સાથે જ સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલી બની છે.

ચૂંટણી કાર્યક્રમની મહત્વની તારીખો આ મુજબ છે,વાંચો

જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ: ૬ એપ્રિલ ૨૦૨૬
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ: ૧૧ એપ્રિલ ૨૦૨૬ અને
ઉમેદવારી પત્રોની ચકાસણી ૧૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ થશે.
જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ ૧૫ એપ્રિલ ૨૦૨૬ છે.

મતદાન તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ (રવિવાર)ના રોજ સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી થશે અને જો જરૂરી ગણાય તેવા કિસ્સામાં પુનઃ મતદાન તા.૨૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ થઈ શકશે.
જ્યારે મતગણતરી અને પરિણામ તા. ૨૮ એપ્રિલ ૨૦૨૬ અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ: ૩૦ એપ્રિલ ૨૦૨૬ જાહેર કરવામાં આવી છે.

ચૂંટણીની મુખ્ય વિગતો નીચે મુજબ છે,વાંચો

કુલ બેઠકો: આશરે ૧૦,૦૦૫ બેઠકો પર ચૂંટણી યોજાશે (કેટલાક સ્ત્રોત મુજબ ૯,૯૯૨ બેઠકો).

મતદારોની સંખ્યા: રાજ્યના આશરે ૪.૧૮ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

ચૂંટણી હેઠળની સંસ્થાઓ

૧૫ મહાનગરપાલિકાઓ (અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત ૯ નવી બનેલી પાલિકાઓ જેમ કે આણંદ, મોરબી, વગેરે).

૮૪ નગરપાલિકાઓ.
૩૪ જિલ્લા પંચાયતો.
૨૬૦ તાલુકા પંચાયતો.

આ ચૂંટણીમાં OBC અનામતના નવા રોટેશન મુજબ પ્રથમવાર અમલ કરવામાં આવશે, જેમાં ૭ જિલ્લા પંચાયત પ્રમુખની બેઠકો OBC માટે અનામત રાખવામાં આવી છે. મહાનગરપાલિકામાં મલ્ટી-EVM સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે આમ,ચૂંટણીઓ હવે ડિકલેર થઈ ચૂકી છે પરિણામે રાજકીય પક્ષોમાં ગરમાવો આવી ગયો છે અને લોબિંગ શરૂ થઈ ગયું છે.

આ સાથેજ રાજ્યમાં આચાર સંહિતા લાગુ કરી દેવાઈ છે જે મુજબ, શાસક પક્ષ કે સરકાર પોતાની સિદ્ધિઓની જાહેરાત સરકારી તિજોરીના ખર્ચે કરી શકશે નહીં. કોઈપણ મંત્રી કે પદાધિકારી ચૂંટણી પ્રચાર સાથે સરકારી કામકાજ જોડી શકશે નહીં. મતદારોને રીઝવવા માટે નાણાકીય કે અન્ય પ્રલોભનો આપી શકશે નહીં, ઉપરાંત ધાર્મિક સ્થળોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે થઈ શકશે નહીં.
આ સિવાય કોઈપણ જાહેર સભા કે સરઘસ માટે સબંધિત અધિકારીની પૂર્વ મંજૂરી લેવી પડશે.

રાત્રે 10:00 થી સવારના 8:00 વાગ્યા સુધી લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે સાથેજ ચૂંટણીની કામગીરી દરમિયાન સરકારી વાહનો, હેલિકોપ્ટર કે એરક્રાફ્ટનો ઉપયોગ થઈ શકશે નહીં. ઉપરાંત મંત્રીઓ તેમના પ્રવાસ દરમિયાન ચૂંટણી ફરજ પરના અધિકારીઓની બેઠક બોલાવી શકશે નહીં આચાર સંહિતા દરમિયાન નવી યોજનાઓ, નાણાકીય ગ્રાન્ટ કે શિલાન્યાસ વિધિ નહિ કરી શકાય.

આ નિયમોનું તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, રાજ્ય ચૂંટણી આયોગે જણાવ્યું છે કે, નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Dwarka Green Energy Farmer Protest: સરકારની દગાબાજી? દ્વારકાના લીલાછમ ખેતરો બરબાદ, ખેડૂતો પર આફત!
  • May 23, 2026

Dwarka Green Energy Farmer Protest: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓ સંપન્ન થતાં જ વહીવટી તંત્ર અને ખાનગી ઉર્જા કંપનીઓએ ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો પર દમન ગુજારવાનો ત્રીજો તબક્કો શરૂ કરી દીધો છે. રાજ્યભરમાં…

Continue reading
Mansukh Vasava: દારૂબંધીવાળા ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ નેટવર્કનો દાવો, BJP સાંસદે જ સરકારને ઘેરી
  • May 23, 2026

Mansukh Vasava: મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગણાતા અને સત્તાવાર રીતે પૂર્ણ દારૂબંધી ધરાવતા ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર દારૂના કાળા કારોબારને લઈને એક બહુ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Prof K Nageshwar FIR: પ્રો. કે નાગેશ્વર વિરુદ્ધ FIR બાદ રાજકીય તોફાન, ભાજપથી લઈને બીઆરએસ સુધી અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલ

  • May 25, 2026
  • 3 views
Prof K Nageshwar FIR: પ્રો. કે નાગેશ્વર વિરુદ્ધ FIR બાદ રાજકીય તોફાન, ભાજપથી લઈને બીઆરએસ સુધી અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલ

RBI India Outbound Travel: શું પીએમ મોદીની અપીલ બાદ ભારતીયોએ વિદેશ પ્રવાસો પર મૂક્યો કાપ?: આરબીઆઈના આંકડામાં થયો મોટો ખુલાસો, બે મહિનામાં કરોડો ડોલરનો ખર્ચ ઘટ્યો

  • May 25, 2026
  • 3 views
RBI India Outbound Travel: શું પીએમ મોદીની અપીલ બાદ ભારતીયોએ વિદેશ પ્રવાસો પર મૂક્યો કાપ?: આરબીઆઈના આંકડામાં થયો મોટો ખુલાસો, બે મહિનામાં કરોડો ડોલરનો ખર્ચ ઘટ્યો

Jairam Ramesh: અમેરિકા સામે વડાપ્રધાન મોદીની શરણાગતિ? $૫૦૦ અબજની આયાતના ખુલાસા પર જયરામ રમેશના પીએમ મોદીને ૫ સવાલ

  • May 25, 2026
  • 4 views
Jairam Ramesh: અમેરિકા સામે વડાપ્રધાન મોદીની શરણાગતિ? $૫૦૦ અબજની આયાતના ખુલાસા પર જયરામ રમેશના પીએમ મોદીને ૫ સવાલ

Dwarka Green Energy Farmers Protest: સરકાર વચનથી ફરી ગઈ, દ્વારકામાં ખેતરો વીંધી નાખ્યા

  • May 25, 2026
  • 5 views
Dwarka Green Energy Farmers Protest: સરકાર વચનથી ફરી ગઈ, દ્વારકામાં ખેતરો વીંધી નાખ્યા

Congress Corruption Allegations: 2 લાખ કરોડના કોલસા કૌભાંડ કોંગ્રેસે કર્યા! તો 12 વર્ષ સુધી મોદી એ કોઈ પગલાં કેમ ના લીધા!

  • May 25, 2026
  • 7 views
Congress Corruption Allegations: 2 લાખ કરોડના કોલસા કૌભાંડ કોંગ્રેસે કર્યા! તો 12 વર્ષ સુધી મોદી એ કોઈ પગલાં કેમ ના લીધા!

Arvind Kejriwal: પેટ્રોલ-ડીઝલ ભાવવધારા પર કેજરીવાલનો મોદી સરકાર પર હુમલો, કહ્યું- જનતાને ‘ધીમું ઝેર’ આપવામાં આવી રહ્યું છે

  • May 24, 2026
  • 5 views
Arvind Kejriwal: પેટ્રોલ-ડીઝલ ભાવવધારા પર કેજરીવાલનો મોદી સરકાર પર હુમલો, કહ્યું- જનતાને ‘ધીમું ઝેર’ આપવામાં આવી રહ્યું છે