Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર! રાજકીય માહોલ ગરમાયો! આચાર સંહિતા લાગુ

Elections: ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજરોજ તા. ૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

આ જાહેરાત સાથે જ સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલી બની છે.

ચૂંટણી કાર્યક્રમની મહત્વની તારીખો આ મુજબ છે,વાંચો

જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ: ૬ એપ્રિલ ૨૦૨૬
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ: ૧૧ એપ્રિલ ૨૦૨૬ અને
ઉમેદવારી પત્રોની ચકાસણી ૧૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ થશે.
જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ ૧૫ એપ્રિલ ૨૦૨૬ છે.

મતદાન તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ (રવિવાર)ના રોજ સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી થશે અને જો જરૂરી ગણાય તેવા કિસ્સામાં પુનઃ મતદાન તા.૨૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ થઈ શકશે.
જ્યારે મતગણતરી અને પરિણામ તા. ૨૮ એપ્રિલ ૨૦૨૬ અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ: ૩૦ એપ્રિલ ૨૦૨૬ જાહેર કરવામાં આવી છે.

ચૂંટણીની મુખ્ય વિગતો નીચે મુજબ છે,વાંચો

કુલ બેઠકો: આશરે ૧૦,૦૦૫ બેઠકો પર ચૂંટણી યોજાશે (કેટલાક સ્ત્રોત મુજબ ૯,૯૯૨ બેઠકો).

મતદારોની સંખ્યા: રાજ્યના આશરે ૪.૧૮ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

ચૂંટણી હેઠળની સંસ્થાઓ

૧૫ મહાનગરપાલિકાઓ (અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત ૯ નવી બનેલી પાલિકાઓ જેમ કે આણંદ, મોરબી, વગેરે).

૮૪ નગરપાલિકાઓ.
૩૪ જિલ્લા પંચાયતો.
૨૬૦ તાલુકા પંચાયતો.

આ ચૂંટણીમાં OBC અનામતના નવા રોટેશન મુજબ પ્રથમવાર અમલ કરવામાં આવશે, જેમાં ૭ જિલ્લા પંચાયત પ્રમુખની બેઠકો OBC માટે અનામત રાખવામાં આવી છે. મહાનગરપાલિકામાં મલ્ટી-EVM સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે આમ,ચૂંટણીઓ હવે ડિકલેર થઈ ચૂકી છે પરિણામે રાજકીય પક્ષોમાં ગરમાવો આવી ગયો છે અને લોબિંગ શરૂ થઈ ગયું છે.

આ સાથેજ રાજ્યમાં આચાર સંહિતા લાગુ કરી દેવાઈ છે જે મુજબ, શાસક પક્ષ કે સરકાર પોતાની સિદ્ધિઓની જાહેરાત સરકારી તિજોરીના ખર્ચે કરી શકશે નહીં. કોઈપણ મંત્રી કે પદાધિકારી ચૂંટણી પ્રચાર સાથે સરકારી કામકાજ જોડી શકશે નહીં. મતદારોને રીઝવવા માટે નાણાકીય કે અન્ય પ્રલોભનો આપી શકશે નહીં, ઉપરાંત ધાર્મિક સ્થળોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે થઈ શકશે નહીં.
આ સિવાય કોઈપણ જાહેર સભા કે સરઘસ માટે સબંધિત અધિકારીની પૂર્વ મંજૂરી લેવી પડશે.

રાત્રે 10:00 થી સવારના 8:00 વાગ્યા સુધી લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે સાથેજ ચૂંટણીની કામગીરી દરમિયાન સરકારી વાહનો, હેલિકોપ્ટર કે એરક્રાફ્ટનો ઉપયોગ થઈ શકશે નહીં. ઉપરાંત મંત્રીઓ તેમના પ્રવાસ દરમિયાન ચૂંટણી ફરજ પરના અધિકારીઓની બેઠક બોલાવી શકશે નહીં આચાર સંહિતા દરમિયાન નવી યોજનાઓ, નાણાકીય ગ્રાન્ટ કે શિલાન્યાસ વિધિ નહિ કરી શકાય.

આ નિયમોનું તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, રાજ્ય ચૂંટણી આયોગે જણાવ્યું છે કે, નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading
Ahmedabad Hiteshbhai Pandya accident: મીડિયા ધ્યાન આપે ત્યારે જ પોલીસ સક્રિય થાય? અમદાવાદની ઘટનાએ ખોલી સિસ્ટમની પોલ
  • August 19, 2026

Ahmedabad Hiteshbhai Pandya accident: ગુજરાતમાં પોલીસ ફરિયાદ અને FIRની સ્થિતિમાં પારદર્શિતા લાવવા માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં ફરિયાદ નોંધાયા બાદ અરજદારને મોબાઇલ પર મેસેજ દ્વારા FIR નંબર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

School Theek Karo UP FIR: યુપીમાં સ્કૂલની બદહાલી બતાવવી ગુનો? 8 જિલ્લામાં FIR, મેરઠમાં 2ની ધરપકડ

  • August 26, 2026
  • 2 views
School Theek Karo UP FIR: યુપીમાં સ્કૂલની બદહાલી બતાવવી ગુનો? 8 જિલ્લામાં FIR, મેરઠમાં 2ની ધરપકડ

Modi Press Conference: 12 વર્ષમાં ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કેમ નહીં? PM મોદીને લઈને વિપક્ષના ગંભીર સવાલો

  • August 25, 2026
  • 8 views
Modi Press Conference: 12 વર્ષમાં ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કેમ નહીં? PM મોદીને લઈને વિપક્ષના ગંભીર સવાલો

Indian Elderly Frailty: ઘી-દૂધથી નહીં, આદતોથી નક્કી થાય છે વૃદ્ધાવસ્થા? ભારતના પોતાના ડેટાનો મોટો ખુલાસો

  • August 25, 2026
  • 6 views
Indian Elderly Frailty: ઘી-દૂધથી નહીં, આદતોથી નક્કી થાય છે વૃદ્ધાવસ્થા? ભારતના પોતાના ડેટાનો મોટો ખુલાસો

Rahul-Kharge letter Modi: જનગણના 2027માં જાતિ ગણતરીની પદ્ધતિ સામે રાહુલ ગાંધી અને ખડગેનો વાંધો, PM મોદીને લખ્યો પત્ર

  • August 25, 2026
  • 6 views
Rahul-Kharge letter Modi: જનગણના 2027માં જાતિ ગણતરીની પદ્ધતિ સામે રાહુલ ગાંધી અને ખડગેનો વાંધો, PM મોદીને લખ્યો પત્ર

Vande Mataram Controversy: રોજગાર અને મોંઘવારી છોડીને વંદે માતરમ પર ભાર કેમ? ભાજપની રાજનીતિ સામે વિપક્ષનો સવાલ

  • August 25, 2026
  • 7 views
Vande Mataram Controversy: રોજગાર અને મોંઘવારી છોડીને વંદે માતરમ પર ભાર કેમ? ભાજપની રાજનીતિ સામે વિપક્ષનો સવાલ

Congress MLA CSR statement: ‘રસ્તા ખરાબ છે તો CSR ફંડ આપો!’ કોંગ્રેસ ધારાસભ્યના નિવેદનથી ઉઠ્યા મોટા સવાલ

  • August 25, 2026
  • 7 views
Congress MLA CSR statement: ‘રસ્તા ખરાબ છે તો CSR ફંડ આપો!’ કોંગ્રેસ ધારાસભ્યના નિવેદનથી ઉઠ્યા મોટા સવાલ