Election: સુરત મનપામાં 60 વર્ષના ઈતિહાસમાં કેટલા મેયર બદલાયા? કોણે હેટ્રિક કરી? વાંચો,ખાસ અહેવાલ

મેયરની ખુરશી મુખ્ય પ્રધાન કરતાં પણ અસ્થિર!

■સુરતમાં કાશીરામ રાણા અને બારડોલીવાલાનો મેયર બની રહેવાનો રેકોર્ડ રહ્યો છે, વાંચો વિસ્તુત અહેવાલ

(દિલીપ પટેલ,દ્વારા)

Election: સુરત મહાનગરપાલિકા (મનપા) ની આગામી ચૂંટણી અને મેયર પદની પસંદગીને લઈ હાલમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે,ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.

સુરતમાં સામાન્ય રીતે ભાજપ દ્વારા ‘સુરતી’ અને ‘સૌરાષ્ટ્રીયન’ જ્ઞાતિ સમીકરણોને ધ્યાને રાખીને મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે. સપ્ટેમ્બર 2023 માં થયેલી છેલ્લી વરણીમાં દક્ષેશ માવાણીને મેયર અને રાજન પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, મેયર પદ માટે ફરીથી જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણો (જેમ કે વરાછા-કતારગામ વિરુદ્ધ અન્ય વિસ્તારો) નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે, જેને કારણે આ પ્રક્રિયા રસપ્રદ બની રહી છે.

સુરત મહાનગરની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે સુરત શહેરના મેયરનો ઇતિહાસ જાણવા જેવો છે સુરતના મેયર 35 મેયરના નામો છે. જોકે મેયરનો વહીવટી નિર્ણય કે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી હોતી નથી,ખરેખર શહેરના કાયદો અને વ્યવસ્થાની જવાબદારી મેયરની હોવી જોઈએ. કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન એ સ્થાનિક સરકાર ગણાય છે.

ગાંધીનગર શહેરી વિકાસ વિભાગના રેકર્ડના ઇતિહાસ પ્રમાણે સુરત મહાનગર પાલિકાને 60 વર્ષ થયા છે. 1.71 વર્ષે સરેરાશ મેયર બદલાતા રહ્યા છે. તે મુખ્ય પ્રધાનની જેમ સ્થિર શાસક રહેવા દેવામાં આવ્યા નથી. આમ તો નિયમ દર 5 વર્ષે મેયર રહેતા હતા. પણ નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન થયા ત્યારે દર અઢી વર્ષે મેયરની ખુરશી ખાલી કરી દેવાનો કાયદો બનાવ્યો હતો. તેથી શહેરની સરકારોમાં અસ્થિર શાસન શરૂ થયું હતું. જોકે કોંગ્રેસના સમયમાં રાજકીય લડાઈમાં તે સમયના મેયર પણ સરેરાશ અઢી વર્ષ પુરા કરતા ન હતા. આમ મુખ્ય પ્રધાનની ખુરશી કરતાં પણ ગુજરાતના મેયરોની ખુરશી વધારે અસલામ છે.

ભાજપના કાશીરામ રાણા 3 વખત અને કોંગ્રેસના બારડોલીવાલા 3 વખત મેયર રહ્યાંનો રેકર્ડ છે.

એક જ વ્યક્તિ લાંબા સમય સુધી સતત મેયર રહી શકે તેવી કાયદાકીય પરંપરા છે. મોટાભાગના બધા મેયરોનો કાર્યકાળ લગભગ સમાન જ હોય છે સુરતમાં છેલ્લા ઘણા વર્ષોમાં કોઈ પણ વ્યક્તિએ સતત બે ટર્મ (લગભગ 5 વર્ષ) સુધી મેયર તરીકે સેવા આપી હોય તેવું સામાન્ય રીતે જોવા મળતું નથી સૌથી લાંબા સમય સુધી મેયર તરીકે કોઈ એક ખાસ મેયરનું નામ આગળ આવતું નથી. કારણ કે સિસ્ટમ જ ટૂંકા કાર્યકાળ માટે રચાયેલી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના 2 ઓક્ટોબર, 1966ના રોજ કરવામાં આવી હતી. 1966થી 2023 સુધીમાં કોંગ્રેસના 16 અને ભાજપના 19 મેયર બન્યા હતા. સુરતમાં મેયરની ટર્મ સામાન્ય રીતે 2.5 વર્ષ હોય છે ભાજપના કદાવર નેતા કાશીરામ રાણા અને ફકીરભાઇ ચૌહાણ પણ સામેલ છે. એકવાર અન્ય પાર્ટીના પ્રતિનિધિ પણ મેયર બની ચૂક્યા છે.

મેયરનું નામ (કોંગ્રેસ)

●જી.આર. ચોખાવાળા 1966
●કેપ્ટન એમ.એ.ગોલનડ્ઝ 1967
●વૈકુંઠ બી.મિસ્ત્રી 1969
●અબ્દુલ કદીર મુસામીર 1971
●વૈકુંઠ શાસ્ત્રી 1971
●નાનાલાલ.એમ.ગજ્જર 1972
●રામલાલ.બી.જરીવાળા 1973
●નવીનચંદ્ર કે. ભારતીય 1975
●મદનલાલ. બી. બૂંકી 1981
●ચીમનલાલ.વી.પટેલ 1981
●નગીનદાસ.એન. ●બારડોલીવાલા 1982
●સ્વરૂપચંદ.એસ. જરીવાળા 1983 કોંગ્રેસ

ભાજપ અને કોંગ્રેસના મેયર

●કાશીરામ રાણા 30 જુલાઈ, 1983 ભાજપ
●નગીનદાસ.એન. બારડોલી વાલા 1983 કોંગ્રેસ
●કાશીરામ રાણા 1984 ભાજપ
●નગીનદાસ.એન. બારડોલીવાલા 1985 કોંગ્રેસ
●ડૉ. જિયોર્જ. ડી.સોલંકી 1987 કોંગ્રેસ
●કાશીરામ રાણા 1988 ભાજપ
●કદીર પીરઝાદા 1989 કોંગ્રેસ
●પ્રતાપ સિંહ કાંથારિયા 1989 કોંગ્રેસ
●અજિત.એચ.દેસાઈ 1990 કોંગ્રેસ
●ફકીર ચૌહાણ 1995 ભાજપ
●ગીતા દેસાઈ 1996 ભાજપ
●નવનીત લાલ જરીવાળા ભાજપ
●સવિતાબેન વી. શારદા 1998 ભાજપ
●ભીખા ભાઈ પટેલ 1999 ભાજપ
●અજય ચોકસી 2000 ભાજપ
●સ્નેહલતા ચૌહાણ 2003 ભાજપ
●ડૉ. કનુ માવાણી 2005 ભાજપ
●રણજીત ગિલિટ વાળા 2008 ભાજપ
●રાજેન્દ્ર દેસાઈ 2010 ભાજપ
●નિરંજન ઝાંઝમેરા 2013 ભાજપ
●અસ્મિતા સિરોયા 2015 ભાજપ
●ડૉ. જગદીશ પટેલ 2018 ભાજપ
●હેમાલી બોઘાવાલા 2021 ભાજપ
●દક્ષેશ માવાણી 2023 ભાજપ

આમ,હાલમાં ‘સેન્સ’ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં દાવેદારોની લોકપ્રિયતા અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાના આધારે મેયર અને અન્ય પદો માટે નામો નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading
Ahmedabad Hiteshbhai Pandya accident: મીડિયા ધ્યાન આપે ત્યારે જ પોલીસ સક્રિય થાય? અમદાવાદની ઘટનાએ ખોલી સિસ્ટમની પોલ
  • August 19, 2026

Ahmedabad Hiteshbhai Pandya accident: ગુજરાતમાં પોલીસ ફરિયાદ અને FIRની સ્થિતિમાં પારદર્શિતા લાવવા માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં ફરિયાદ નોંધાયા બાદ અરજદારને મોબાઇલ પર મેસેજ દ્વારા FIR નંબર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi Press Conference: 12 વર્ષમાં ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કેમ નહીં? PM મોદીને લઈને વિપક્ષના ગંભીર સવાલો

  • August 25, 2026
  • 7 views
Modi Press Conference: 12 વર્ષમાં ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કેમ નહીં? PM મોદીને લઈને વિપક્ષના ગંભીર સવાલો

Indian Elderly Frailty: ઘી-દૂધથી નહીં, આદતોથી નક્કી થાય છે વૃદ્ધાવસ્થા? ભારતના પોતાના ડેટાનો મોટો ખુલાસો

  • August 25, 2026
  • 6 views
Indian Elderly Frailty: ઘી-દૂધથી નહીં, આદતોથી નક્કી થાય છે વૃદ્ધાવસ્થા? ભારતના પોતાના ડેટાનો મોટો ખુલાસો

Rahul-Kharge letter Modi: જનગણના 2027માં જાતિ ગણતરીની પદ્ધતિ સામે રાહુલ ગાંધી અને ખડગેનો વાંધો, PM મોદીને લખ્યો પત્ર

  • August 25, 2026
  • 6 views
Rahul-Kharge letter Modi: જનગણના 2027માં જાતિ ગણતરીની પદ્ધતિ સામે રાહુલ ગાંધી અને ખડગેનો વાંધો, PM મોદીને લખ્યો પત્ર

Vande Mataram Controversy: રોજગાર અને મોંઘવારી છોડીને વંદે માતરમ પર ભાર કેમ? ભાજપની રાજનીતિ સામે વિપક્ષનો સવાલ

  • August 25, 2026
  • 7 views
Vande Mataram Controversy: રોજગાર અને મોંઘવારી છોડીને વંદે માતરમ પર ભાર કેમ? ભાજપની રાજનીતિ સામે વિપક્ષનો સવાલ

Congress MLA CSR statement: ‘રસ્તા ખરાબ છે તો CSR ફંડ આપો!’ કોંગ્રેસ ધારાસભ્યના નિવેદનથી ઉઠ્યા મોટા સવાલ

  • August 25, 2026
  • 7 views
Congress MLA CSR statement: ‘રસ્તા ખરાબ છે તો CSR ફંડ આપો!’ કોંગ્રેસ ધારાસભ્યના નિવેદનથી ઉઠ્યા મોટા સવાલ

Ram Rahim Parole: બળાત્કારના દોષીને ફરી પેરોલ! રામ રહીમ 17મી વખત બહાર, પેરોલ પર ફરી ઉઠ્યા સવાલ

  • August 25, 2026
  • 6 views
Ram Rahim Parole: બળાત્કારના દોષીને ફરી પેરોલ! રામ રહીમ 17મી વખત બહાર, પેરોલ પર ફરી ઉઠ્યા સવાલ