
આજે રાજ્ય ચૂંટણી કમિશનર ડો. એસ મુરલી કિશન દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરાશે . રાજ્યમાં 3 તાલુકા પંચયાત, 66 નગરપાલિકાની ચૂંટણી જાહેર કરાઈ છે. સાથે જ 8 જીલ્લા પંચાયતની 9 બેઠક પર ચૂંટણી યોજાશે. જ્યારે ધાનેરા પાલિકાની મોકૂફ રખાઈ છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર
3 તાલુકા પંચયાત, 66 નગરપાલિકાની ચૂંટણી જાહેર
8 જીલ્લા પંચાયતની 9 બેઠક પર ચૂંટણીની જાહેરાત
ધાનેરા પાલિકાની હાલ ચૂંટણી નહીં યોજાઈ
1032 સંવેદનસીલ મતદાન મથકો
27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિધ્ધ થશે
01 ફેબ્રુઆરી ઉમેદવારી ભરવાની છેલ્લી તારખી
03 ફેબ્રુઆરીએ થશે ઉમેદવારીપત્રની ચકાસણી
04 ફેબ્રુઆરી ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ
16 ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી
18 ફેબ્રુઆરીએ થશે મતગણતરી
18 ફેબ્રુઆરીએ થશે મતગણતરી
જૂનાગઢ મનપા સહિત 66 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી છે. આ તમામ પાલિકાઓમાં 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. આ ઉપરાંત કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે પણ 16મી મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે.
જોકે હાલ ધાનેરા પાલિકાની ચૂંટણી મોકૂફ રખાતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. હાલ ધાનેરાને બનાસકાંઠામાં રાખનાની માગ સાથે લોકો આંદોલન પર ઉતર્યા છે. હાલ ધાનેરામાં ભારે વિરોધ થઈ રહ્યો છે. જેને લઈ ધાનેરાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હોવાની શક્યાતા છે.