
BJP: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ઉઠી છે આજે શુક્રવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ આ જાહેરાત કરી તે વખતે તેમની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલ પણ ઉપસ્થિત હતા. ચઢ્ઢાએ કહ્યું કે તેમની સાથે પાર્ટીના બે તૃતીયાંશ સાંસદો પણ ભાજપમાં જોડાવાના છે.
ચઢ્ઢાએ વધુમાં કહ્યું કે,ક્રિકેટર હરભજન સિંહ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ પણ તેમની સાથે છે આ બંને AAPના રાજ્યસભા સાંસદ છે ચઢ્ઢાએ કહ્યું- છેલ્લા કેટલાક વર્ષોથી, મને એવું લાગી રહ્યું હતું કે હું ખોટી પાર્ટીમાં સાચો માણસ છું હવે અમે નિર્ણય લીધો છે કે બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને ભાજપમાં ભળી જવું.
તેઓએ કહ્યું કે જે AAPને મેં મારા લોહી-પરસેવો રેડી મારી યુવાનીના 15 વર્ષ આપ્યા, તે હવે તેના સિદ્ધાંતો, મૂલ્યો અને મૂળ નૈતિકતાથી ભટકી ગઈ છે. હવે આ પાર્ટી દેશના હિતમાં નહીં, પરંતુ પોતાના અંગત ફાયદા માટે કામ કરે છે તેથી અમે આપ છોડીએ છીએ રાઘવ ચઢ્ઢાએ એ પણ કહ્યું કે, રાજ્યસભામાં આપના 10 સાંસદો છે, જેમાંથી બે-તૃતીયાંશ, એટલે કે 7 અમારી સાથે છે જેમાં તેઓએ પોતે રાઘવ ચઢ્ઢા સહિત સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા,વિક્રમ સાહની, સ્વાતિ માલીવાલ,હરભજન સિંહ,અશોક મિત્તલના નામો આપ્યા હતા.
રાઘવે કહ્યું- હજુ પણ ઘણા અમારા સંપર્કમા છે જેઓ પણ જોડાવાના છે ભારતનું બંધારણ આ જોગવાઈ આપે છે કે જો 2/3થી વધુ સાંસદો અન્ય કોઈ પક્ષમાં જોડાવા માંગતા હોય તો તેઓ તેમ કરી શકે છે. આ અધિકાર આપણને ભારતના બંધારણે જ આપ્યો છે અને તે અધિકારનો ઉપયોગ કરીશું.
રાઘવ ચઢ્ઢાનું માનવું છે કે તેઓને છેલ્લા કેટલાક વર્ષોથી લાગતું હતું કે પોતે ખોટા પક્ષમાં સાચા વ્યક્તિ છે,તેથી આજે હું જાહેરાત કરું છું કે હું AAP છોડું છું અને જનતાની નજીક એટલે કે ભાજપમાં જઈ રહ્યો છું મહત્વનું છે કે AAP દ્વારા તેમને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદ પરથી હટાવવામાં આવ્યા હતા, જે તેમના પાર્ટીમાંથી બહાર નીકળવાના મુખ્ય કારણોમાંનું એક માનવામાં આવે છે.
■પક્ષ વિરોધી ગતિવિધિઓના આરોપ પણ લાગ્યા હતા
AAP નેતાઓએ તેમના પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો અને કેન્દ્ર સરકાર સામે નરમ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો આમ,આ બધા વચ્ચે આખરે રાઘવ ચઢ્ઢાએ પાર્ટી છોડી દીધાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો









