BJP: રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ 7 સાંસદ સાથે BJPમાં જોડાવાની કરી જાહેરાત! કહ્યું, જનતાની નજીક જવા માંગુ છું!

  • India
  • April 24, 2026
  • 0 Comments

BJP: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ઉઠી છે આજે શુક્રવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ આ જાહેરાત કરી તે વખતે તેમની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલ પણ ઉપસ્થિત હતા. ચઢ્ઢાએ કહ્યું કે તેમની સાથે પાર્ટીના બે તૃતીયાંશ સાંસદો પણ ભાજપમાં જોડાવાના છે.

ચઢ્ઢાએ વધુમાં કહ્યું કે,ક્રિકેટર હરભજન સિંહ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ પણ તેમની સાથે છે આ બંને AAPના રાજ્યસભા સાંસદ છે ચઢ્ઢાએ કહ્યું- છેલ્લા કેટલાક વર્ષોથી, મને એવું લાગી રહ્યું હતું કે હું ખોટી પાર્ટીમાં સાચો માણસ છું હવે અમે નિર્ણય લીધો છે કે બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને ભાજપમાં ભળી જવું.

તેઓએ કહ્યું કે જે AAPને મેં મારા લોહી-પરસેવો રેડી મારી યુવાનીના 15 વર્ષ આપ્યા, તે હવે તેના સિદ્ધાંતો, મૂલ્યો અને મૂળ નૈતિકતાથી ભટકી ગઈ છે. હવે આ પાર્ટી દેશના હિતમાં નહીં, પરંતુ પોતાના અંગત ફાયદા માટે કામ કરે છે તેથી અમે આપ છોડીએ છીએ રાઘવ ચઢ્ઢાએ એ પણ કહ્યું કે, રાજ્યસભામાં આપના 10 સાંસદો છે, જેમાંથી બે-તૃતીયાંશ, એટલે કે 7 અમારી સાથે છે જેમાં તેઓએ પોતે રાઘવ ચઢ્ઢા સહિત સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા,વિક્રમ સાહની, સ્વાતિ માલીવાલ,હરભજન સિંહ,અશોક મિત્તલના નામો આપ્યા હતા.

રાઘવે કહ્યું- હજુ પણ ઘણા અમારા સંપર્કમા છે જેઓ પણ જોડાવાના છે ભારતનું બંધારણ આ જોગવાઈ આપે છે કે જો 2/3થી વધુ સાંસદો અન્ય કોઈ પક્ષમાં જોડાવા માંગતા હોય તો તેઓ તેમ કરી શકે છે. આ અધિકાર આપણને ભારતના બંધારણે જ આપ્યો છે અને તે અધિકારનો ઉપયોગ કરીશું.

રાઘવ ચઢ્ઢાનું માનવું છે કે તેઓને છેલ્લા કેટલાક વર્ષોથી લાગતું હતું કે પોતે ખોટા પક્ષમાં સાચા વ્યક્તિ છે,તેથી આજે હું જાહેરાત કરું છું કે હું AAP છોડું છું અને જનતાની નજીક એટલે કે ભાજપમાં જઈ રહ્યો છું મહત્વનું છે કે AAP દ્વારા તેમને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદ પરથી હટાવવામાં આવ્યા હતા, જે તેમના પાર્ટીમાંથી બહાર નીકળવાના મુખ્ય કારણોમાંનું એક માનવામાં આવે છે.

■પક્ષ વિરોધી ગતિવિધિઓના આરોપ પણ લાગ્યા હતા

AAP નેતાઓએ તેમના પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો અને કેન્દ્ર સરકાર સામે નરમ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો આમ,આ બધા વચ્ચે આખરે રાઘવ ચઢ્ઢાએ પાર્ટી છોડી દીધાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

Related Posts

NewsClick FIR Quashed: ન્યૂઝક્લિક મામલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પિનારાઈ વિજયને ભાજપ માટે મોટો ઝટકો ગણાવ્યો, પ્રેસની આઝાદીની જીતનો દાવો
  • June 12, 2026

NewsClick FIR Quashed: દિલ્હી હાઈકોર્ટે ન્યૂઝક્લિક અને તેના સ્થાપક-સંપાદક પ્રબીર પુરકાયસ્થ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર (FIR) રદ કરીને પત્રકારત્વ અને લોકશાહીના મૂલ્યોની મોટી જીત મેળવી છે. કેરળના વિપક્ષના નેતા પિનારાઈ વિજયને…

Continue reading
Gauri Lankesh Murder Case: ગૌરી લંકેશ કેસ: નવ વર્ષ, સાત જજ અને સત્યની શોધમાં ભટકતી ન્યાય વ્યવસ્થા!
  • June 12, 2026

Gauri Lankesh Murder Case: પત્રકાર અને કાર્યકર્તા ગૌરી લંકેશની નિર્મમ હત્યાને નવ વર્ષ વીતી ગયા છે, છતાં ન્યાય હજુ પણ દૂરની ક્ષિતિજ જેવો ભાસે છે. આટલા લાંબા ગાળામાં આ કેસની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Farmers Protest: વીજલાઈન અને સરકારની દાદાગીરી સામે ખેડૂતો મેદાને!

  • June 12, 2026
  • 4 views
Gujarat Farmers Protest: વીજલાઈન અને સરકારની દાદાગીરી સામે ખેડૂતો મેદાને!

NewsClick FIR Quashed: ન્યૂઝક્લિક મામલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પિનારાઈ વિજયને ભાજપ માટે મોટો ઝટકો ગણાવ્યો, પ્રેસની આઝાદીની જીતનો દાવો

  • June 12, 2026
  • 8 views
NewsClick FIR Quashed: ન્યૂઝક્લિક મામલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પિનારાઈ વિજયને ભાજપ માટે મોટો ઝટકો ગણાવ્યો, પ્રેસની આઝાદીની જીતનો દાવો

Gauri Lankesh Murder Case: ગૌરી લંકેશ કેસ: નવ વર્ષ, સાત જજ અને સત્યની શોધમાં ભટકતી ન્યાય વ્યવસ્થા!

  • June 12, 2026
  • 9 views
Gauri Lankesh Murder Case: ગૌરી લંકેશ કેસ: નવ વર્ષ, સાત જજ અને સત્યની શોધમાં ભટકતી ન્યાય વ્યવસ્થા!

UP University Anti-Conversion Cell: યુપીની યુનિવર્સિટીઓમાં ધર્માંતરણ-વિરોધી સેલનો વિવાદ!

  • June 12, 2026
  • 7 views
UP University Anti-Conversion Cell: યુપીની યુનિવર્સિટીઓમાં ધર્માંતરણ-વિરોધી સેલનો વિવાદ!

Ayodhya Ram Mandir: રામ મંદિરના દાનમાં કરોડોનો ગોટાળો? સંતો અને ભાજપના નેતાઓના જ ટ્રસ્ટ પર ગંભીર સવાલો!

  • June 12, 2026
  • 18 views
Ayodhya Ram Mandir: રામ મંદિરના દાનમાં કરોડોનો ગોટાળો? સંતો અને ભાજપના નેતાઓના જ ટ્રસ્ટ પર ગંભીર સવાલો!

Exam System Reform: પેપર લીક, ગડબડીઓ અને રાજકારણ વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને બચાવવાની કસોટી

  • June 12, 2026
  • 12 views
Exam System Reform: પેપર લીક, ગડબડીઓ અને રાજકારણ વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને બચાવવાની કસોટી