
Gujarat Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેના જાહેર પ્રચારના પડઘમ આજે, શુક્રવાર, ૨૪ એપ્રિલ ૨૦૨૬ ના રોજથી સાંજે શાંત થઈ ગયા છે ચૂંટણી પંચના નિયમો અનુસાર, મતદાનના ૪૮ કલાક પહેલા જાહેર પ્રચાર પર પ્રતિબંધ લાદવામાં આવે છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાં સાંજે ૫:૦૦ થી ૬:૦૦ વાગ્યાની વચ્ચે જાહેર સભાઓ, રેલીઓ અને લાઉડસ્પીકર દ્વારા થતો પ્રચાર બંધ કરી દેવામાં આવ્યો છે જાહેર પ્રચાર બંધ થતા જ હવે ઉમેદવારો ‘ડોર-ટુ-ડોર’ (ઘેર-ઘેર) સંપર્ક, ખાટલા બેઠકો અને સોશિયલ મીડિયાના માધ્યમથી મતદારોને રીઝવવાના પ્રયાસો થશે.
અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત) ની ચૂંટણી તા. 26 એપ્રિલ 2026 ના રોજ થવાની છે. આ ચૂંટણીમાં 15 મનપા, 84 પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન થશે, જ્યારે મતગણતરી તા.28 એપ્રિલ 2026 ના રોજ થશે.
આ મુદ્દા ઉપર વાત કરતા સિનિયર પત્રકાર દિલીપ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં મતદારોને ડરાવવા, ધમકાવવા જેવી ફરિયાદો પણ આ વખતે સામે આવી છે જે અંગે તેઓએ વિસ્તુત જાણકારી આપી હતી જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો








