
Sagar Rabari: રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદો ભાજપમાં ભળી જવાના ભૂકંપના આફ્ટર શોક છેક ગુજરાત સુધી અનુભવાયા હોય તેમ ગુજરાતમાં 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો પહેલા આમ આદમી પાર્ટીના મજબૂત ખેડૂત નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ AAPમાંથી રાજીનામું આપી દીધું છે.
સાગર રબારી ગુજરાત AAPના પ્રદેશ ઉપાધ્યક્ષ અને જનરલ સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળતા હતા, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક (Facebook) મારફતે પોતાના રાજીનામાની જાહેરાત કરી અને પક્ષના તમામ પદો પરથી મુક્ત થવાનો નિર્ણય લીધો છે.
સાગર રબારી ખેડૂત નેતા તરીકે જાણીતા છે અને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવામાં તેમની ભૂમિકા મહત્વની રહી હતી.
અગાઉ રાજુ કરપડાએ રાજીનામું આપ્યા બાદ હવે સાગર રબારીનું પક્ષ છોડયો છે જે ‘આપ’ માટે મોટું ગાબડું માનવામાં આવે છે સાગર રબારીના રાજીનામા પાછળના કારણો સ્પષ્ટ થયા નથી, પરંતુ આ નિર્ણયને કારણે ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે
મહત્વનું છે કે થોડા સમય પહેલાં જ રાજુ કરપડા એ પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. સતત બે મોટા નેતાઓના રાજીનામા AAP માટે ગુજરાતમાં મોટો ઝટકો માનવામાં આવે છે. સાગર રબારી હવે કયા પક્ષમાં જોડાશે તે હજુ સ્પષ્ટ થયું નથી પણ ગુજરાતમાં કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીમાં ભંગાણ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો







