
AAP: રાજ્યસભા સચિવાલય દ્વારા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનારા રાઘવ ચઢ્ઢા સહિતના તમામ સાતેય બાગી સાંસદોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે માન્યતા આપી દેવામાં આવી છે અને આ માટે એક સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.
આ સાથેજ હવે રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે, અને હવે આપ પાસે માત્ર 3 સાંસદો બચ્યા છે.
આમ આદમી પાર્ટી (AAP) છોડીને BJPમાં જોડાયા પછી રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પહેલો વીડિયો જાહેર કર્યો. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે AAPમાં નેતાઓને જનતાના કામ કરવા કે બોલવાથી રોકવામાં આવી રહ્યા છે,આ પાર્ટી હવે અમુક ભ્રષ્ટ અને સમાધાનકારી લોકોના હાથમાં ફસાઈને રહી ગઈ છે. આ લોકો પોતાના ફાયદા માટે કામ કરે છે.
મહત્વનું છે આ પહેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રવિવારે(26 એપ્રિલ, 2026)ના રોજ રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને બાગી સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી તેઓનું કહેવું હતું કે આ સાંસદો ‘આપ’ના નિશાન પર ચૂંટાયા હતા જેથી તેઓનું ભાજપમાં જોડાવું એ પંજાબની જનતા અને બંધારણ સાથે વિશ્વાસઘાત છે. તેમણે પક્ષાંતર અંતર્ગત આ સાંસદો સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી હતી જોકે,રાજ્યસભા સચિવાલયે સાંસદોના પક્ષ પરિવર્તનને માન્ય રાખતા તેઓ હવે ભાજપના માન્ય સાંસદો બની ગયા છે.
રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી AAP પર ગંભીર આરોપો લગાવ્યા હતા. આ પાર્ટી રાષ્ટ્રીય હિતમાં નહીં પરંતુ અંગત સ્વાર્થ માટે કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું તેઓનું માનવું છે કે હવે આમ આદમી પાર્ટીમાં પ્રમાણિક કાર્યકરો માટે કોઈ જગ્યા બચી નથી.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાઘવ ચઢ્ઢાએ ત્યારેજ સ્પષ્ટ કર્યું હતું કે, ‘રાજ્યસભામાં ‘આપ’ના કુલ સાંસદોમાંથી બે-તૃતીયાંશ(2/3) સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા હોવાથી બંધારણીય જોગવાઈ મુજબ તેમની સદસ્યતા રદ થવાની નથી અને હવે આખરે એવુંજ બન્યું છે કે રાજ્યસભા સચિવાલય દ્વારા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનારા રાઘવ ચઢ્ઢા સહિતના તમામ સાતેય બાગી સાંસદોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે માન્યતા આપી દેવામાં આવી છે જે આમ આદમી પાર્ટી માટે મોટો ફટકો છે અને આગામી વર્ષોમાં પંજાબમાં થનારી ચુંટણીઓમાં પણ આમ આદમી પાર્ટીને મોટું નુકશાન થવાનું હોવાનું વિશ્લેષકોનું માનવું છે.
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો







