AAP: રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ! બાગી સભ્યોને મળી માન્યતા! ચઢ્ઢાએ કહ્યું,”આપ” પોતાના ફાયદા માટે કામ કરે છે!

AAP: રાજ્યસભા સચિવાલય દ્વારા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનારા રાઘવ ચઢ્ઢા સહિતના તમામ સાતેય બાગી સાંસદોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે માન્યતા આપી દેવામાં આવી છે અને આ માટે એક સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.
આ સાથેજ હવે રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે, અને હવે આપ પાસે માત્ર 3 સાંસદો બચ્યા છે.

આમ આદમી પાર્ટી (AAP) છોડીને BJPમાં જોડાયા પછી રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પહેલો વીડિયો જાહેર કર્યો. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે AAPમાં નેતાઓને જનતાના કામ કરવા કે બોલવાથી રોકવામાં આવી રહ્યા છે,આ પાર્ટી હવે અમુક ભ્રષ્ટ અને સમાધાનકારી લોકોના હાથમાં ફસાઈને રહી ગઈ છે. આ લોકો પોતાના ફાયદા માટે કામ કરે છે.

મહત્વનું છે આ પહેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રવિવારે(26 એપ્રિલ, 2026)ના રોજ રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને બાગી સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી તેઓનું કહેવું હતું કે આ સાંસદો ‘આપ’ના નિશાન પર ચૂંટાયા હતા જેથી તેઓનું ભાજપમાં જોડાવું એ પંજાબની જનતા અને બંધારણ સાથે વિશ્વાસઘાત છે. તેમણે પક્ષાંતર અંતર્ગત આ સાંસદો સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી હતી જોકે,રાજ્યસભા સચિવાલયે સાંસદોના પક્ષ પરિવર્તનને માન્ય રાખતા તેઓ હવે ભાજપના માન્ય સાંસદો બની ગયા છે.

રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી AAP પર ગંભીર આરોપો લગાવ્યા હતા. આ પાર્ટી રાષ્ટ્રીય હિતમાં નહીં પરંતુ અંગત સ્વાર્થ માટે કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું તેઓનું માનવું છે કે હવે આમ આદમી પાર્ટીમાં પ્રમાણિક કાર્યકરો માટે કોઈ જગ્યા બચી નથી.

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાઘવ ચઢ્ઢાએ ત્યારેજ સ્પષ્ટ કર્યું હતું કે, ‘રાજ્યસભામાં ‘આપ’ના કુલ સાંસદોમાંથી બે-તૃતીયાંશ(2/3) સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા હોવાથી બંધારણીય જોગવાઈ મુજબ તેમની સદસ્યતા રદ થવાની નથી અને હવે આખરે એવુંજ બન્યું છે કે રાજ્યસભા સચિવાલય દ્વારા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનારા રાઘવ ચઢ્ઢા સહિતના તમામ સાતેય બાગી સાંસદોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે માન્યતા આપી દેવામાં આવી છે જે આમ આદમી પાર્ટી માટે મોટો ફટકો છે અને આગામી વર્ષોમાં પંજાબમાં થનારી ચુંટણીઓમાં પણ આમ આદમી પાર્ટીને મોટું નુકશાન થવાનું હોવાનું વિશ્લેષકોનું માનવું છે.


આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

 

Related Posts

Modasa Water ATM: મોડાસાના વોટર ATM બન્યા શોભાના ગાંઠીયા, લાખોના ખર્ચ બાદ લાંબા સમયથી બંધ, નાગરિકોમાં રોષ
  • June 14, 2026

Modasa Water ATM: અરવલ્લીના મોડાસા શહેરમાં પ્રજાની સુખાકારીના નામે ખર્ચાયેલા લાખો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા ચાર રસ્તા અને માલપુર રોડ પર આવેલા ઓધારી માતાજી મંદિર પાસે…

Continue reading
Gujarat Congress Protest: હિંમતનગરથી ધરમપુર સુધી કોંગ્રેસનો હલ્લાબોલ, ગેસ સિલિન્ડર-બળદગાડા સાથે સરકાર સામે રોષ વ્યક્ત
  • June 12, 2026

Gujarat Congress Protest: ગુજરાતભરમાં કોંગ્રેસ પક્ષે વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને પેપર લીકની ઘટનાઓ સામે સરકારને ઘેરવા માટે ‘જન આક્રોશ’નો શંખ ફૂંક્યો છે. હિંમતનગર, ચીખલી અને ધરમપુર જેવા વિવિધ વિસ્તારોમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi Government Future Challenges: મોદી સાહેબ, હવે નેહરુની સરખામણી બંધ કરો: ભવિષ્યના પાંચ મોટા પડકારો તમારી રાહ જોઈ રહ્યા છે!

  • June 14, 2026
  • 1 views
Modi Government Future Challenges: મોદી સાહેબ, હવે નેહરુની સરખામણી બંધ કરો: ભવિષ્યના પાંચ મોટા પડકારો તમારી રાહ જોઈ રહ્યા છે!

Delhi HC NewsClick Case: ન્યૂઝક્લિક મામલે હાઈકોર્ટના નિર્ણય બાદ પ્રેસ ક્લબની માંગ, પત્રકારોને થયેલા નુકસાનની ભરપાઈ અને જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ

  • June 14, 2026
  • 5 views
Delhi HC NewsClick Case: ન્યૂઝક્લિક મામલે હાઈકોર્ટના નિર્ણય બાદ પ્રેસ ક્લબની માંગ, પત્રકારોને થયેલા નુકસાનની ભરપાઈ અને જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ

Northeast India News: પૂર્વોત્તરમાં અશાંતિનો વંટોળ: મણિપુરમાં ‘કઠપૂતળી’ સરકાર, તો અસમમાં ભરતી કૌભાંડનો મોટો ઘટસ્ફોટ!

  • June 14, 2026
  • 7 views
Northeast India News: પૂર્વોત્તરમાં અશાંતિનો વંટોળ: મણિપુરમાં ‘કઠપૂતળી’ સરકાર, તો અસમમાં ભરતી કૌભાંડનો મોટો ઘટસ્ફોટ!

Modasa Water ATM: મોડાસાના વોટર ATM બન્યા શોભાના ગાંઠીયા, લાખોના ખર્ચ બાદ લાંબા સમયથી બંધ, નાગરિકોમાં રોષ

  • June 14, 2026
  • 10 views
Modasa Water ATM: મોડાસાના વોટર ATM બન્યા શોભાના ગાંઠીયા, લાખોના ખર્ચ બાદ લાંબા સમયથી બંધ, નાગરિકોમાં રોષ

Gujarat Poverty Reality: બુલડોઝર નીચે કચડાતા ગરીબોના સપના, ‘અચ્છે દિન’ના વાયદા અને જમીની વાસ્તવિકતાનું સત્ય!

  • June 14, 2026
  • 10 views
Gujarat Poverty Reality: બુલડોઝર નીચે કચડાતા ગરીબોના સપના, ‘અચ્છે દિન’ના વાયદા અને જમીની વાસ્તવિકતાનું સત્ય!

Dholera Aerospace Project Reality: ધોલેરામાં વિમાન ન બન્યા, 20 વર્ષથી મોદીની માત્ર વાતો

  • June 14, 2026
  • 6 views
Dholera Aerospace Project Reality: ધોલેરામાં વિમાન ન બન્યા, 20 વર્ષથી મોદીની માત્ર વાતો