AAP: રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ! બાગી સભ્યોને મળી માન્યતા! ચઢ્ઢાએ કહ્યું,”આપ” પોતાના ફાયદા માટે કામ કરે છે!

AAP: રાજ્યસભા સચિવાલય દ્વારા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનારા રાઘવ ચઢ્ઢા સહિતના તમામ સાતેય બાગી સાંસદોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે માન્યતા આપી દેવામાં આવી છે અને આ માટે એક સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.
આ સાથેજ હવે રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે, અને હવે આપ પાસે માત્ર 3 સાંસદો બચ્યા છે.

આમ આદમી પાર્ટી (AAP) છોડીને BJPમાં જોડાયા પછી રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પહેલો વીડિયો જાહેર કર્યો. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે AAPમાં નેતાઓને જનતાના કામ કરવા કે બોલવાથી રોકવામાં આવી રહ્યા છે,આ પાર્ટી હવે અમુક ભ્રષ્ટ અને સમાધાનકારી લોકોના હાથમાં ફસાઈને રહી ગઈ છે. આ લોકો પોતાના ફાયદા માટે કામ કરે છે.

મહત્વનું છે આ પહેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રવિવારે(26 એપ્રિલ, 2026)ના રોજ રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને બાગી સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી તેઓનું કહેવું હતું કે આ સાંસદો ‘આપ’ના નિશાન પર ચૂંટાયા હતા જેથી તેઓનું ભાજપમાં જોડાવું એ પંજાબની જનતા અને બંધારણ સાથે વિશ્વાસઘાત છે. તેમણે પક્ષાંતર અંતર્ગત આ સાંસદો સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી હતી જોકે,રાજ્યસભા સચિવાલયે સાંસદોના પક્ષ પરિવર્તનને માન્ય રાખતા તેઓ હવે ભાજપના માન્ય સાંસદો બની ગયા છે.

રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી AAP પર ગંભીર આરોપો લગાવ્યા હતા. આ પાર્ટી રાષ્ટ્રીય હિતમાં નહીં પરંતુ અંગત સ્વાર્થ માટે કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું તેઓનું માનવું છે કે હવે આમ આદમી પાર્ટીમાં પ્રમાણિક કાર્યકરો માટે કોઈ જગ્યા બચી નથી.

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાઘવ ચઢ્ઢાએ ત્યારેજ સ્પષ્ટ કર્યું હતું કે, ‘રાજ્યસભામાં ‘આપ’ના કુલ સાંસદોમાંથી બે-તૃતીયાંશ(2/3) સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા હોવાથી બંધારણીય જોગવાઈ મુજબ તેમની સદસ્યતા રદ થવાની નથી અને હવે આખરે એવુંજ બન્યું છે કે રાજ્યસભા સચિવાલય દ્વારા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનારા રાઘવ ચઢ્ઢા સહિતના તમામ સાતેય બાગી સાંસદોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે માન્યતા આપી દેવામાં આવી છે જે આમ આદમી પાર્ટી માટે મોટો ફટકો છે અને આગામી વર્ષોમાં પંજાબમાં થનારી ચુંટણીઓમાં પણ આમ આદમી પાર્ટીને મોટું નુકશાન થવાનું હોવાનું વિશ્લેષકોનું માનવું છે.


આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Surat News: સુરતમાં SBI બેંકમાં ₹50 લાખની લૂંટ
  • April 27, 2026

Surat News: સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની શાખામાં આજે ધોળે દિવસે લૂંટની મોટી ઘટના બની છે. ફિલ્મી અંદાજમાં ચાર લૂંટારુઓએ બેંકમાં ઘૂસીને કર્મચારીઓને બંધક બનાવી…

Continue reading
Sagar Rabari: ખેડૂત અગ્રણી સાગર રબારીનું AAPમાંથી રાજીનામુ!
  • April 27, 2026

Sagar Rabari: રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદો ભાજપમાં ભળી જવાના ભૂકંપના આફ્ટર શોક છેક ગુજરાત સુધી અનુભવાયા હોય તેમ ગુજરાતમાં 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો પહેલા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat News: સુરતમાં SBI બેંકમાં ₹50 લાખની લૂંટ

  • April 27, 2026
  • 6 views
Surat News: સુરતમાં SBI બેંકમાં ₹50 લાખની લૂંટ

Sagar Rabari: ખેડૂત અગ્રણી સાગર રબારીનું AAPમાંથી રાજીનામુ!

  • April 27, 2026
  • 8 views
Sagar Rabari: ખેડૂત અગ્રણી સાગર રબારીનું AAPમાંથી રાજીનામુ!

AAP: રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ! બાગી સભ્યોને મળી માન્યતા! ચઢ્ઢાએ કહ્યું,”આપ” પોતાના ફાયદા માટે કામ કરે છે!

  • April 27, 2026
  • 13 views
AAP: રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ! બાગી સભ્યોને મળી માન્યતા! ચઢ્ઢાએ કહ્યું,”આપ” પોતાના ફાયદા માટે કામ કરે છે!

PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?

  • April 27, 2026
  • 5 views
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?

Mamta Banerjee: બંગાળમાં કોણ જીતે છે? અમિત શાહના દાવામાં કેટલું સત્ય? ગુજરાતની ચૂંટણીઓ લેખાજોખા,જુઓ ખાસ વિશ્લેષણ

  • April 27, 2026
  • 14 views
Mamta Banerjee: બંગાળમાં કોણ જીતે છે? અમિત શાહના દાવામાં કેટલું સત્ય? ગુજરાતની ચૂંટણીઓ લેખાજોખા,જુઓ ખાસ વિશ્લેષણ

America: પાકિસ્તાન અમેરિકાનું પીઠઠું બની ગયું છે! ઈરાનના હિતો કરતા પાકિસ્તાનને અમેરિકાની વધુ ચિંતા છે! ઈરાની સાંસદે કર્યો ધડાકો

  • April 27, 2026
  • 11 views
America: પાકિસ્તાન અમેરિકાનું પીઠઠું બની ગયું છે! ઈરાનના હિતો કરતા પાકિસ્તાનને અમેરિકાની વધુ ચિંતા છે! ઈરાની સાંસદે કર્યો ધડાકો