
- ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી.
- ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો.

Mayur Jani Official | મોદી – શાહની જોડીએ લોકોનું ખાસ કશુંય વિચાર્યું નથી. પરંતુ, તંત્રના ભ્રષ્ટાચારી અધિકારીઓ માટે એવું ઘણું કર્યું છે કે, તેના પરિણામે દેશના ભાજપા શાસિત રાજ્યોમાં તંત્રના આલા ભ્રષ્ટ અધિકારીઓ મોદી – શાહ માટે કંઈપણ કરવા માટે તત્પર હોય છે. આવતી કાલે પશ્ચિમ બંગાળમાં બીજા તકક્કાનું મતદાન યોજાનારા છે. ત્યારે, ટીએમસીના મતદારોને ધાકધમકી આપવા માટે યુપીના અજય પાલ શર્મા જેવા ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા અધિકારીઓને પશ્ચિમ બંગાળમાં ઉતારી દીધાં છે.
ચુંટણી કમિશનર ગ્યાનેશકુમારની આટલી અદમ્ય ભક્તિ છતાં મોદી – શાહને જાણે ચુંટણી જીતાશે કે નહીં? એ પ્રશ્નનો જવાબ મળી રહ્યો નથી. તેથી જ પેરા મિલટ્રી ફોર્સેસ સહિત મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ઉતારી દીધો છે. આવતી કાલે 29મી એપ્રિલે જ્યારે બીજા તબક્કાનું મતદાન પણ પહેલાં તબક્કાની માફક ઐતિહાસિક થાય તો મોદી – શાહની ઘણી ચાલ ઉંધી પડે તેવી શક્યતાઓ છે.
ન્હાતા – ધોતાં, ખાતા – પિતા, સૂતા – જાગતાં 24 કલાક માત્ર પોતાની સત્તા ટકાવવાના જ વિચારોથી ઘેરાયેલા મોદી – શાહે એક રીતે તો દેશમાંથી લોકતંત્રને ઘણે અંશે ખત્મ કરી નાંખ્યું છે. ભ્રષ્ટ તંત્રને પોતાના કબજામાં કરીને લોકતંત્રનું ગળું ટૂંપવાનો તેમનો પૂરો ખેલ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
ગૃહમંત્રી છેલ્લાં બે અઠવાડિયાથી પશ્ચિમ બંગાળમાં તંબૂ તાણીને બેસી ગયા છે. ત્યાં તેઓ ટીએમસીના ગુંડાઓ અંગે ભાષણો આપી રહ્યાં છે. મુસલમાન વિરોધી ભાષણ કરીને પોતે જ મોટા ગુંડા હોય તેવું સાબિત કરવા માંગી રહ્યાં છે. અને તેમ છતાં પશ્ચિમ બંગાળનો સમજદાર મતદાર તેમના ઝાંસામાં આવશે નહીં તેવું જણાતાં પોતે સીઆરપીએફ સહિતના કાફલાને પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો છે. જ્યારે પશ્ચિમ બંગાળની પાસે જ મણીપુર ભડકે બળી રહ્યું છે પરંતુ, મોદી – શાહ ત્યાના નાગરીકોને રાહત મળે તેવું એક પણ પગલું ભરવા માટે સક્ષમ નથી અથવા તો તેઓની ઇચ્છા જ નથી.
પશ્ચિમ બંગાળમાં બની રહેલી લોકતંત્ર વિરોધી ઘટનાઓ અંગેનો વિશિષ્ટ અહેવાલ જુઓ હિન્દીમાં.
અમારી હિન્દી યૂટ્યુબ ચેનલ @mayurjaniofficial પર જઇને પૂરો રિપોર્ટ જુઓ. ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો. અને કોમેન્ટ કરી પોતાના વિચારો વ્યક્ત કરશો.
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો









