

The Gujarat Report | ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના વિજય અંગેનું વિસ્તૃત વિશ્લેષણ કરી રહ્યાં છે પત્રકાર જીતુભાઈ મહેતા તેમજ દિલીપભાઈ પટેલ. જેમાં મહત્વનો મુદ્દો એ છે કે અંબાજી, ડાકોર, સોમનાથ જેવાં ધાર્મિક સ્થળોએ ભારતીય જનતા પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. તો ધર્મના નામે સત્તા પર બિરાજમાન થયેલી ભાજપાને રાજ્યના ધાર્મિક મહત્વ ધરાવતાં સ્થળોએ હાર કેમ સહન કરવી પડી?
અંબાજી શહેર ભાજપનો ગઢ ગણાતું હતું પરંતુ, આ વખતે અંબાજી શહેરમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, જેમ અયોધ્યામાં રામ મંદીર બનાવ્યા બાદ ભાજપને અયોધ્યામાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેવી જ સ્થિતિ સર્જાઈ હોય તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે. કારણ કે, વિકાસ ભૂખ્યાં ભાજપીઓ દ્વારા પોતાનો ડંકો વગાડવાની લ્હાયમાં સ્થાનિક લોકોનાં ખભા તોડી નાંખવામાં આવતાં હોય છે.
અંબાજી કોરીડોર બનાવવામાં અનેક સ્થાનિક લોકો – વેપારીઓને ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે. અને તેથી જ અંબાજીની જનતાએ ભાજપીઓને મતદાન દ્વારા જણાવી દીધું કે તેઓ તેમના આડેધડ કરાતાં વિકાસથી રાજી નથી. અંબાજી, ડાકોર સહિતના ધાર્મિક સ્થળોએ 40 વર્ષો બાદ ભાજપની હાર થઈ છે.
આ સમગ્ર મામલે વિસ્તૃત અહેવાલ જુઓ @thegujaratreports પર. વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ અને જીતુ મહેતાની વાત સાથે આપ કેટલાં સહમત કે અસહમત છો. તે કોમેન્ટ કરીને જણાવશો. ધ ગુજરાત રિપોર્ટની યૂટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. વિડીયો આપને કામનો લાગ્યો હોય તો લાઈક કરશો તેમજ અન્ય લોકો સુધી વિડીયોને પહોંચાડવા માટે શેર કરશો.
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો









