Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય

By- દિલીપ પટેલ

Barda Sanctuary Illegal Liquor: ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરની સમીપ આવેલું 192 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું કુદરતી સૌંદર્યથી સભર બરડા વન્યપ્રાણી અભયારણ્ય આજે એક ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. જે વિસ્તારમાં સિંહો અને દીપડાઓનો વસવાટ છે, તે 200 કિલોમીટરનો અભયારણ્ય વિસ્તાર હવે જાણે દેશી દારૂ બનાવવાની ફેક્ટરીમાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક જાણકારો અને દારૂના વ્યવસાયથી વાકેફ લોકોના મતે બરડાના ડુંગરોમાં અંદાજે 300 જેટલી દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. સરેરાશ એક ભઠ્ઠીમાં રોજનો 200 લિટર દારૂ બનતો હોવાનું અનુમાન છે, જેનો અર્થ એ થયો કે રોજિંદો હજારો લિટર કેમિકલયુક્ત ખતરનાક દારૂ અહીં ઉત્પાદિત થઈ રહ્યો છે.

પર્યાવરણ અને વન્યજીવો પર તોળાતું જોખમ: વૃક્ષોનું નિકંદન

બરડા અભયારણ્ય એ માત્ર પર્યટન સ્થળ નથી, પણ અનેક કિંમતી ઔષધિઓ અને વન્યસૃષ્ટિનું ઘર છે. જોકે, દારૂ બનાવનારા બૂટલેગરો આ કુદરતી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. દારૂ ગાળવા માટે ભઠ્ઠીઓમાં બળતણ તરીકે જંગલના ઘટાદાર વૃક્ષોને કાપવામાં આવે છે. આ પ્રવૃત્તિને કારણે વનસ્પતિ અને પક્ષીઓના આવાસ નાશ પામી રહ્યા છે. સિંહોની હાજરી હોવા છતાં આ વિસ્તારમાં નિર્ભયપણે ચાલતી ભઠ્ઠીઓ વન વિભાગની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરે છે. જ્યાં પાણીના કુદરતી ઝરણા વહેતા હોય, ત્યાં જ બૂટલેગરો પોતાના અડ્ડા જમાવીને બેઠા છે.

આરોગ્ય સાથે રમત અને સામાજિક પાયમાલી

બરડામાં બનતો આ દેશી દારૂ અત્યંત ખતરનાક અને કેમિકલયુક્ત હોય છે. આ દારૂ સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જેવા 6 જિલ્લાઓમાં સપ્લાય કરવામાં આવે છે. આ ઝેરી દારૂના સેવનથી અનેક યુવાનો અકાળે અવસાન પામી રહ્યા છે, જેના કારણે આસપાસના નેસ વિસ્તારો અને ગામોમાં વિધવાઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. પીવાવાળો વર્ગ અને બનાવનાર વર્ગ અલગ હોવા છતાં, આ આખું રેકેટ સામાજિક સ્વાસ્થ્યને ઉધઈની જેમ કોતરી રહ્યું છે. ગુજરાતમાં વર્ષ 2025માં જ અંદાજે 300 કરોડનો દારૂ પકડાયો હોવાના આંકડા આ દૂષણની ગંભીરતા દર્શાવે છે.

રાજકીય છત્રછાયા અને વહીવટીતંત્રની ભૂમિકા પર સવાલ

પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં રાજકીય નેતાઓની ભૂમિકા પણ ચર્ચાના ચગડોળે ચઢી છે. એક તરફ નેતાઓ વ્યસન મુક્તિની વાતો કરે છે અને બીજી તરફ ભાજપના જ એક કાઉન્સિલરની હોટલ પાસે દારૂની દુકાન શરૂ થવા જઈ રહી હોવાની ચર્ચાઓ છે. અર્જુન મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતાઓએ અનેકવાર વ્યસન મુક્તિ યાત્રાઓ કાઢી છે, પરંતુ હવે જ્યારે તેઓ સત્તાધારી પક્ષમાં છે, ત્યારે તેમના જ વિસ્તારમાં ચાલતા આ દેશી દારૂના વેપાર સામે તેઓ કેમ મૌન છે તેવો પ્રશ્ન જનતા પૂછી રહી છે. વન વિભાગ અને પોલીસ દ્વારા અવારનવાર દરોડા પાડીને ‘કામગીરી’ બતાવવામાં આવે છે, પરંતુ 90 ટકા કિસ્સાઓમાં આરોપીઓ ફરાર થઈ જાય છે અને થોડા સમય પછી ભઠ્ઠીઓ ફરી શરૂ થઈ જાય છે.

ઝીરો ટોલરન્સ કે માત્ર દરોડાનું નાટક?

પોલીસ અને વન વિભાગના ચોપડે છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક કાર્યવાહીઓ નોંધાઈ છે. 24 ફેબ્રુઆરી 2026ના રોજ 1.20 લાખનો મુદ્દામાલ અને 3,000 લિટર આથો કબજે કરાયો હતો. એ જ રીતે 4 મે 2026ના રોજ વડલાવારી ઝર વિસ્તારમાંથી 36 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપાયો હતો. ડ્રોન કેમેરાની મદદથી પણ ભઠ્ઠીઓ પકડવામાં આવી રહી છે. જોકે, આંકડાઓ જોઈએ તો પકડાયેલા દેશી દારૂનું મૂલ્ય કરોડોમાં હોવા છતાં વાસ્તવિક ઉત્પાદન તેની સરખામણીએ ઘણું વધારે હોવાનું મનાય છે. શું આ દરોડા માત્ર હપ્તાખોરી અને સાંઠગાંઠ છુપાવવા માટેનું એક સાધન છે? તેવો સવાલ એક જાગૃત નાગરિક તરીકે ઉઠવો સ્વાભાવિક છે.

જંગલ સફારી અને સિંહોનું ભવિષ્ય

સરકારે બરડા અભયારણ્યમાં 180 કરોડના ખર્ચે ‘જંગલ સફારી’ શરૂ કરી છે અને અહીં સિંહોનું સંવર્ધન કેન્દ્ર પણ બનાવ્યું છે. હાલમાં અહીં અંદાજે 17 જેટલા સિંહો વસવાટ કરે છે. જંગલ સફારીના 27 કિલોમીટરના રૂટ પર પ્રવાસીઓને આકર્ષવાના પ્રયાસો થઈ રહ્યા છે, પણ જો જંગલમાં દારૂની ભઠ્ઠીઓ અને બૂટલેગરોનો જ દબદબો રહેશે, તો વન્યજીવો અને પ્રકૃતિ કઈ રીતે સુરક્ષિત રહેશે?. વન મંત્રી મૂળુભાઈ બેરા અને અર્જુન મોઢવાડિયાએ આ વિસ્તારના કુદરતી વારસાને બૂટલેગરોના હાથમાંથી છોડાવવા માટે નક્કર પગલાં લેવા પડશે.

આ પણ વાંચો:

Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન – thegujaratreport.com

Priyanka Chaturvedi on UN: “UN ને પોતે ખબર નથી કે શું કરી રહ્યું છે” – માર્કો રુબિયોના નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીની તીખી પ્રતિક્રિયા – thegujaratreport.com

Shehzad Poonawalla: કોંગ્રેસ સ્થાનિક પક્ષોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે, BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના વિપક્ષી ગઠબંધન પર ગંભીર આરોપ – thegujaratreport.com

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’

  • September 20, 2026
  • 5 views
Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’

DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

  • September 20, 2026
  • 6 views
DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

  • September 20, 2026
  • 6 views
Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 5 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 7 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 8 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી