RAJASTHAN: સિરોહીમાં એક સાથે 15 વાંદરાઓના મોત, તપાસની માગ

  • India
  • January 22, 2025
  • 1 Comments

રાજસ્થાનના સિરોહી જિલ્લાના નાગડી સ્થિત અમલારી ગામમાં એક સાથે 10 થી 15 વાંદરાઓના મોતનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્થાનિક લોકોએ પહેલા એક કે બે વાંદરાઓ મૃત જોયા, ત્યારબાદ સામાજિક કાર્યકરોની મદદથી તપાસ કરતાં 15 વાંદરાઓ મૃત હાલતમાં મળતાં દફનાવી દેવામાં આવ્યા છે. જો કે વાંદરાઓના મોતથી સ્થાનિકોમાં ભયોનો માહોલ છે. દફનાવતી વખતે ગામલોકોનું ટોળું પણ સ્થળ પર એકઠું થઈ ગયું હતુ.

ગ્રામજનોએ આ અંગે પશુચિકિત્સા અને વન વિભાગની ટીમને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અમલારી ગામમાં ખેતીની સિંચાઈ માટે કૂવા આવેલા છે. જ્યાં મોટી સંખ્યામાં વાંદરાઓ એકઠા થતાં હતા. વાંદરાઓના મોત મામલે ગ્રામ પંચાયતે કલંદરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તપાસની માગ કરી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે 70 વાંદરાઓનું જૂથ હતું. વાંદરાઓના મૃત્યુ પછી, જ્યારે લોકો સવારે નીકળ્યા ત્યારે વાંદરાઓ મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ ARVALLIમાં ભયંકર અકસ્માત, બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત, એક ગંભીર, જુઓ VIDEO

 ઝેરી પદાર્થ અપાયોનો આરોપ

અમલારી ગામમાં મળી આવેલા મૃત વાંદરાઓમાંથી કેટલાક બેભાન હતા અને મૃત્યુની આરે હતા. સ્થળ પર હાજર લોકોએ કહ્યું કે બેભાન વાંદરાઓના મોંમાંથી ફીણ નીકળી રહ્યું હતું. તેમના મોંમાંથી નીકળતા ફીણ પરથી એવું લાગતું હતું કે કોઈએ વાંદરાઓને કોઈ ઝેરી પદાર્થ આપ્યો હોઈ શકે છે. જોકે મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી,  ફરિયાદમાં જણાવ્યું છે કે કોઈએ વાંદરાઓને ઝેર આપીને મારી નાખ્યા છે.

શાળાએ પહોંચેલા બાળકોને પહેલા મૃત વાંદરાઓ જોયા

મૃત વાંદરાઓ વિશે સૌથી પહેલા શાળાના બાળકોને ખબર પડી હતી. જ્યારે બાળકો શાળાએ  જતા હતા ત્યારે તેઓએ એક વાંદરાને ઝાડ પરથી નીચે પડતો જોયો અને જ્યારે તેઓ નજીક ગયા ત્યારે તેમને ખબર પડી કે તે મરી ગયો હતો. આ પછી, જ્યારે બાળકોએ વધુમાં જોયું  ત્યારે કેટલાક વાંદરાઓ મૃત હાલતમાં હતા. આ પછી ગ્રામજનોએ તપાસ કરી હતી. ગામમાં લગભગ 60 થી 70 વાંદરાઓનું જૂથ ફરતું હતું, પરંતુ જ્યારે ગ્રામજનોએ મંગળવારે સવારે જોયું તો તેમને એક પણ વાંદરો દેખાયો ન હતો. હાલ વાંદરાઓના મોત મામલે તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચોઃ દેવાયત ખવડના ચાલુ ડાયરામાં સ્ટેજ તૂટ્યો, લોકોની ભીડ સ્ટેજ પર ચઢી જતાં બની ઘટના(VIDEO)

Related Posts

BJP નેતા રવિ સતીજા સામે બળાત્કાર કેસના ફસાયા, કેસ પાછો ખેંચવા ખંડણી માગી, જાણો પછી શું થયું?
  • August 8, 2025

પોલીસે બુધવારે ‘ઓપરેશન મહાકાલ’ હેઠળ કાનપુરના પ્રખ્યાત વકીલ અખિલેશ દુબેની ધરપકડ કરી હતી. BJP  નેતા રવિ સતીજાએ બુધવારે બપોરે 3 વાગ્યે અખિલેશ દુબે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. આ પછી…

Continue reading
Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ? વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો
  • August 8, 2025

Manoj Tiwari Controversy: શ્રાવણ મહિનામાં હજારો ભક્તો કાવડ યાત્રા લઈને ભોલે બાબા પાસે પહોંચે છે અને આ વખતે ભોજપુરી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપના સાંસદ મનોજ તિવારી પણ આ હજારો લોકો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP નેતા રવિ સતીજા સામે બળાત્કાર કેસના ફસાયા, કેસ પાછો ખેંચવા ખંડણી માગી, જાણો પછી શું થયું?

  • August 8, 2025
  • 2 views
BJP નેતા રવિ સતીજા સામે બળાત્કાર કેસના ફસાયા, કેસ પાછો ખેંચવા ખંડણી માગી, જાણો પછી શું થયું?

Iraqi parliament Video: ઇરાકની સંસદમાં શિયા અને સુન્ની સાંસદો વચ્ચે હાથાપાઈ, જૂતાં ચપ્પલ ઉછળ્યાં, એક બીજાને માર માર્યો

  • August 8, 2025
  • 4 views
Iraqi parliament Video: ઇરાકની સંસદમાં શિયા અને સુન્ની સાંસદો વચ્ચે હાથાપાઈ, જૂતાં ચપ્પલ ઉછળ્યાં, એક બીજાને માર માર્યો

Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?

  • August 8, 2025
  • 24 views
Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?

Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ? વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો

  • August 8, 2025
  • 12 views
Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ?  વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો

Delhi Tubata Restaurant: ટુંકા કપડા પહેરો તો જ મળશે એન્ટ્રી! સલવાર- સૂટ પહેરેલા હોવાથી કપલને રેસ્ટોરન્ટમાં ન જવા દીધા

  • August 8, 2025
  • 17 views
Delhi Tubata  Restaurant: ટુંકા કપડા પહેરો તો જ મળશે એન્ટ્રી!  સલવાર- સૂટ પહેરેલા હોવાથી કપલને રેસ્ટોરન્ટમાં ન જવા દીધા

Vote theft: મોદી વોટ ચોરી કરી PM બન્યા, 25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા, રાહુલના આરોપ

  • August 8, 2025
  • 14 views
Vote theft: મોદી વોટ ચોરી કરી PM બન્યા, 25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા, રાહુલના આરોપ