BREAKING: મહારાષ્ટ્રમાં ટ્રેન અકસ્માતઃ આગની અફવાથી લોકો ટ્રેનમાંથી કુદ્યા, 8 લોકોના મોત, અફવા કોણે ફેલાવી?

  • India
  • January 22, 2025
  • 1 Comments

મહારાષ્ટ્રના જલગાંવના પરધાડે રેલ્વે સ્ટેશન પર એક મોટો અકસ્માત થયો છે. અહીં પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરેલા મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસે કચડી નાખ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈએ પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાવી હતી. આ પછી ઘણા લોકોએ ટ્રેનમાંથી કૂદી પડ્યા. તે જ સમયે, કર્ણાટક એક્સપ્રેસ વિરુદ્ધ દિશામાંથી આવી રહી હતી, જેના કારણે ઘણા મુસાફરો કર્ણાટક એક્સપ્રેસ નીચે કચડાઈ ગયા છે.  આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.  જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

 

કર્ણાટક સંપર્ક ક્રાંતિ યશવંતપુરથી હઝરત નિઝામુદ્દીન જઈ રહી હતી, જ્યારે પુષ્પક એક્સપ્રેસ લખનઉથી મુંબઈ જઈ રહી હતી. અહેવાલો અનુસાર, બ્રેક લગાવતી વખતે પુષ્પક એક્સપ્રેસના પૈડામાંથી ધુમાડો નીકળ્યો હતો. આ કારણે મુસાફરોમાં ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા વાયુવેગે ફેલાઈ ગઈ હતી. જેથી ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી. બાદમાં ઘણા મુસાફરો કોચમાંથી કૂદી પડ્યા છે.

રેલવે અધિકારીઓ દોડી ગયા

અધિકારીઓ તાત્કાલિક સહાય પૂરી પાડવા અને ઘટનાની તપાસ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા છે. મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરવા અને અફવા ફેલાવવામાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. અધિકારીઓ ખોટા ફાયર એલાર્મના સ્ત્રોતની પણ તપાસ કરી રહ્યા છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે પગલાં લઈ રહ્યા છે.

પરધાડે રેલ્વે સ્ટેશન પર બનેલી દુ:ખદ ઘટના બાદ, ભુસાવલના ડિવિઝનલ રેલ્વે મેનેજર (DRM) બચાવ અને રાહત કામગીરીનું નિરીક્ષણ કરવા માટે અકસ્માત સ્થળ પર રવાના થઈ ગયા છે. રેલવેના સિનિયર સેક્શન એન્જિનિયર, સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ સાથે, પરિસ્થિતિનો તાગ મેળવવા  અને કટોકટીના પગલાંનું સંકલન કરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાજ્ય સરકારના અધિકારીઓ અને બચાવ ટીમો  મદદ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

 

 

  • Related Posts

    Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી
    • April 30, 2025

    Char Dham Yatra: આજથી ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. ભક્તો માટે ગંગોત્રી ધામના દરવાજા ખોલવામાં આવ્યા છે. પીએમ મોદીના નામે ધામમાં પહેલી પૂજા કરવામાં આવી હતી. સીએમ…

    Continue reading
    Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?
    • April 29, 2025

    Pahalgam Attack: 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકવાદી હુમલાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. જેમાં એક ઝિપ લાઇન ઓપરેટર હુમલા દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા…

    Continue reading

    One thought on “BREAKING: મહારાષ્ટ્રમાં ટ્રેન અકસ્માતઃ આગની અફવાથી લોકો ટ્રેનમાંથી કુદ્યા, 8 લોકોના મોત, અફવા કોણે ફેલાવી?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

    • April 30, 2025
    • 2 views
    અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

    Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

    • April 30, 2025
    • 10 views
    Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

    Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

    • April 30, 2025
    • 19 views
    Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

    Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

    • April 30, 2025
    • 23 views
    Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

    નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

    • April 30, 2025
    • 24 views
    નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

    Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

    • April 30, 2025
    • 29 views
    Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર