પ્રિયંકા ગાંધીએ ભારત સરકારને કહ્યું- ‘ઈન્દિરા ગાંધીની જેમ બાંગ્લાદેશના લઘુમતીઓની રક્ષા કરો’

  • India
  • December 16, 2024
  • 0 Comments

વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ આજે સંસદમાં 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અને બાંગ્લાદેશની આઝાદીને યાદ કરીને મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે. આજે બાંગ્લાદેશનો સ્વતંત્રતા દિવસ (Bangladesh Independence Day) છે, ત્યારે પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને પડોશી દેશોમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ સહિત અન્ય લઘુમતીઓને બચાવવાની અપીલ કરી છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આજે વિજય દિવસ છે. 1971માં ભારતે યુદ્ધ કરી પાકિસ્તાન (1971 India-Pakistan War)ને ભોય ભેગું કર્યું હતું, જેના કારણે બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું. આ યુદ્ધને ઈન્દિરા ગાંધીની નિર્ણાયક સરકાર અને બહાદુર સૈનિકોએ અંજામ આપ્યો હતો. પ્રિયંકાએ ઈન્દિરા ગાંધીની ઈચ્છા શક્તિનો ઉલ્લેખ કરી મોદી સરકારને અપીલ કરી છે કે, ‘તમે પણ તેમની જેમ બાંગ્લાદેશના લઘુમતીઓની રક્ષા કરો.’

સરકારે બાંગ્લાદેશમાં લઘુમતીઓને બચાવવા જોઈએ : પ્રિયંકા ગાંધી

તેમણે લોકસભામાં સોમવારે કહ્યું કે, ‘મોદી સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ. 1971ના જે બહાદુરો અને શહિદોએ યુદ્ધ લડ્યું હતું, હું તેઓને નમન કરું છું. હું દેશની જનતાને પણ નમન કરું છું. કારણ કે તેમના વગર પાકિસ્તાન સામે વિજય મેળવવો અસંભવ હતો. તે વખતે આપણે એકલા હતા અને બંગાળી ભાઈ-બહેનોનો અવાજ કોઈ સાંભળતું ન હતું. તે સમયે ભારતની જનતા સાથે આવી અને નેતૃત્વ સાથે ઉભી રહી.’

‘ઈન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશનો વિજય થયો’

તેમણે વધુમાં કહ્યું કે, ‘હું ઈન્દિરા ગાંધીને નમન કરવા ઈચ્છું છું. તેઓ આ દેશના મહાન શહીદ છે. તેમણે પડકારજનક સ્થિતિમાં આવું નેતૃત્વ કરી દેખાડ્યું, જેના કારણે તે દેશનો વિજય થયો. એ લડાઈ સિદ્ધાંતોની હતી. મારો પહેલો મુદ્દો એ છે કે, બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ અત્યાચાર થઈ રહ્યા છે, તેની સામે મોદી સરકારે અવાજ ઉઠાવવો જોઈએ. સરકારે ત્યાં પીડિત હિન્દુઓ અને ખ્રિસ્તીઓનો મુદ્દો ઉઠાવવો જોઈએ.

‘ભારતીય સૈન્ય મથકમાંથી ‘પાકિસ્તાનની શરણાગતિ’ તસવીર ઉતારી દેવાઈ’

તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કરાત કહ્યું કે, ‘1971માં ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ કરીને બાંગ્લાદેશનો વિજય અપાવ્યો હતો. તે વખતે પાકિસ્તાનના 93000 સૈનિકોએ ભારત સામે ઘૂંટણીએ પડી આત્મસમર્પણ કર્યું હતું. પાકિસ્તાની સેનાએ ભારતીય સેનાની તાકાત સામે શરણાગતિ સ્વિકારી લીધી હતી. ત્યારે ભારતીય સૈન્ય મથકમાંથી ‘પાકિસ્તાનની શરણાગતિ’ની તસવીર ઉતારી દેવાઈ છે. આજે પણ પાકિસ્તાન તે શરણાગતિની તસવીર જોઈને ચિડાઈ જાય છે.

Related Posts

‘મોદી કોઈની માતાને 50 કરોડની ગર્લફ્રેન્ડ કહે, તો વાહ મોદીજી!’, બેવડા ચારિત્ર્યવાળા લોકો: Tejashwi Yadav
  • September 3, 2025

 Tejashwi Yadav: મોદીની વોટ ચોરી પકડાયા બાદ દેશના લોકોની સામે રડવાનું શરુ કર્યું છે. ગઈકાલે પોતાની માતાના નામે ભાવૂક થઈ કહ્યું મારી માતાને વિપક્ષે ગાળો બોલી. જો કે તેના પુરાવા…

Continue reading
Jammu and Kashmir: નકલી IED મૂકી પતિને ફસાવવાનો પ્રયાસ, વકીલ પત્નીના કાવતરાનો પર્દાફાશ
  • September 3, 2025

Jammu and Kashmir: જમ્મુ અને કાશ્મીર પોલીસે એક મહિલા વકીલ દ્વારા તેના પૂર્વ પતિને આતંકવાદના આરોપોમાં ફસાવવાના કેસનો પર્દાફાશ કર્યો છે. રાહિલા કાદરીએ તેના પૂર્વ પતિને લાંબા સમય સુધી જેલમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

AJab Gajab: અહીં ભાડે મળે છે સુંદર પત્નીઓ, કિંમત જાણીને ચોંકી જશો!

  • September 3, 2025
  • 2 views
AJab Gajab: અહીં ભાડે મળે છે સુંદર પત્નીઓ, કિંમત જાણીને ચોંકી જશો!

Viral video: નાનો બાળક રાત્રે 1 કિમી દૂર ગર્લફ્રેન્ડને મળવા પહોંચી ગયો?

  • September 3, 2025
  • 10 views
Viral video: નાનો બાળક રાત્રે 1 કિમી દૂર ગર્લફ્રેન્ડને મળવા પહોંચી ગયો?

Vadodara: શરમજનક ઘટના, શિક્ષકે વિદ્યાર્થીઓને તમાકું અને ચા લેવા દુકાને મોકલ્યા

  • September 3, 2025
  • 7 views
Vadodara: શરમજનક ઘટના, શિક્ષકે વિદ્યાર્થીઓને તમાકું અને ચા લેવા દુકાને મોકલ્યા

‘મોદી કોઈની માતાને 50 કરોડની ગર્લફ્રેન્ડ કહે, તો વાહ મોદીજી!’, બેવડા ચારિત્ર્યવાળા લોકો: Tejashwi Yadav

  • September 3, 2025
  • 13 views
‘મોદી કોઈની માતાને 50 કરોડની ગર્લફ્રેન્ડ કહે, તો વાહ મોદીજી!’, બેવડા ચારિત્ર્યવાળા લોકો: Tejashwi Yadav

Jammu and Kashmir: નકલી IED મૂકી પતિને ફસાવવાનો પ્રયાસ, વકીલ પત્નીના કાવતરાનો પર્દાફાશ

  • September 3, 2025
  • 12 views
Jammu and Kashmir: નકલી IED મૂકી પતિને ફસાવવાનો પ્રયાસ, વકીલ પત્નીના કાવતરાનો પર્દાફાશ

Odisha: પિતાએ કેળાના ઝાડનો ‘મૃતદેહ’ બનાવ્યો, જીવતી પુત્રીની કાઢી અંતિમયાત્રા, જાણો કેમ કર્યું આવું?

  • September 3, 2025
  • 20 views
Odisha: પિતાએ કેળાના ઝાડનો ‘મૃતદેહ’ બનાવ્યો, જીવતી પુત્રીની કાઢી અંતિમયાત્રા, જાણો કેમ કર્યું આવું?