Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી

Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી

દિલીપ પટેલ
અમદાવાદ, 22 જુલાઈ 2026

કેન્દ્રના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી આખો દેશ કરી રહ્યો છે, હવે વડાપ્રધાનના રાજીનામાની માંગણી થઈ રહી છે. પણ નરેન્દ્ર મોદીએ તેમનું રાજીનામું લીધું નથી. નરેન્દ્ર મોદીનો ભૂતકાળ બતાવે છે કે તેમના અનેક બનાવોમાં રાજીનામાં માંગવામાં આવ્યા હતા પણ એક પણ વખત તેમણે કે તેમના પ્રધાનોએ ક્યારેય રાજીનામાં આપ્યા નથી કે લીધા નથી. પણ બે મુખ્ય પ્રધાનો અને તેમની આખી કેબિનેટના રાજીનામાં તેમની સૂચનાથી પક્ષે લઈ લીધા હતા.

2001થી 22 જુલાઈ 2026 સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી અને રાજ્યમંત્રી સામે અથવા ગુજરાત સરકારની કામગીરીની જવાબદારીના મુદ્દે વિપક્ષે રાજીનામું માંગ્યું હોય તેવી ઘટનાઓ 28 બની છે. પણ એક પણ પ્રધાને રાજીનામું આપ્યું નથી.

સૌથી વધારે રાજીનામાની માંગણી કોંગ્રેસના પૂર્વ નેતા અને હાલના ભાજપ સરકારના વન પ્રધાન અર્જૂન મોઢવાડીયાએ માંગ્યા હતા.

અર્જુન મોઢવાડિયાએ નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગ, 2001–2014 સુધીમાં 7 વખત કરી હતી.

8 ઓગસ્ટ 2013 – નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી રાજીનામું લોકાયુક્ત નિમણૂક વિવાદ. જસ્ટિસ આર.એ. મહેતાએ લોકાયુક્ત કાર્યાલય ગ્રહણ કરવાનો ઇનકાર કર્યો હતો; મોઢવાડિયાએ કહ્યું કે મોદીએ પદ છોડવું જોઈએ અને પરિસ્થિતિની તુલના બી.એસ. કર્ણાટકમાં યેદિયુરપ્પાનું રાજીનામું. રાજીનામું આપ્યું નથી; મે 2014 સુધી મુખ્યમંત્રી રહ્યા.

20 નવેમ્બર 2013 નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાને તાત્કાલિક રાજીનામું આપ્યું કથિત “જાસૂસી” / દેખરેખ વિવાદ જેમાં એક યુવતી અને રાજ્યની તંત્રનો કથિત દુરુપયોગ. GPCC પ્રમુખ તરીકે મોઢવાડિયાએ કહ્યું કે જો મોદી પાસે નૈતિકતા હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. આ મુદ્દે રાજીનામું આપ્યું નથી.

20 નવેમ્બર 2013 અમિત શાહ ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય મંત્રી / ભાજપ નેતા રાજીનામું (વિવાદના સંદર્ભમાં) સમાન કથિત સર્વેલન્સ/જાસુસી વિવાદ. GPCCના અર્જૂન મોઢવાડીયાએ માંગ કરી હતી કે મોદી અને શાહ બંને તેમના હોદ્દા પરથી રાજીનામું આપે અને સ્વતંત્ર તપાસની હાકલ કરી. આ માંગ પર રાજીનામું આપ્યું નથી.

6 ફેબ્રુઆરી અને 2 માર્ચ 2016માં આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમના સમયમાં જમીન ફાળવી હોવાથી રાજીનામું માંગ્યું હતું. ત્યારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન હતા. તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદી પટેલનું રાજીનામું જમીન ફાળવણી વિવાદ જેમાં ગીર/ઇકો-સેન્સિટિવ ઝોનમાં 422 એકર જમીન અને તેમની પુત્રી અનાર પટેલના બિઝનેસ સહયોગી અંગેના આક્ષેપો. મોઢવાડિયાએ કહ્યું કે નિષ્પક્ષ તપાસ માટે તેમનું રાજીનામું જરૂરી છે. માંગણી પર તાત્કાલિક રાજીનામું આપ્યું ન હતું.
મોઢવાડિયાએ સ્પષ્ટપણે મોદી અને આનંદીબેન પટેલ બંનેના રાજીનામાની માંગ કરી હતી અને હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની SIT તપાસ માટે હાકલ કરી હતી.

2001–2014: નરેન્દ્ર મોદી સરકાર
2001માં નરેન્દ્ર મોદી – મુખ્યમંત્રી ભૂકંપ પછી રાહત-પુનર્વસન અને સરકારની કામગીરી અંગે રાજીનામાની માંગણી કરી હતી.

2002માં નરેન્દ્ર મોદી – મુખ્યમંત્રી ગોધરા બાદના રમખાણો અને કાયદો-વ્યવસ્થા અંગે કોંગ્રેસ અને અન્ય વિપક્ષે CMના રાજીનામાની વારંવાર માંગ કરી હતી. દેશમાં પણ માંગણી થઈ હતી. પણ મોદીએ રાજીનામું આપ્યું નહીં અને ખુરશી પર ચીટકી રહ્યા હતા.

હરેન પંડ્યાની હત્યા વખતે રાજીનામું માંગ્યું હતું.

2004માં નરેન્દ્ર મોદી – મુખ્યમંત્રી ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા અને કોમી તણાવ અંગે વિપક્ષી આક્ષેપો CMના રાજીનામાની માંગ કરી હતી.

2006માં નરેન્દ્ર મોદી – મુખ્યમંત્રી ગરીબી, ખેડૂતો અને સરકારની નીતિઓ અંગે કોંગ્રેસનો વિરોધ CM પદ છોડવાની માંગ કરી હતી.

2008માં નરેન્દ્ર મોદી – મુખ્યમંત્રી / અમિત શાહ – ગૃહ રાજ્યમંત્રી અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ અને કાયદો-વ્યવસ્થા સરકારની જવાબદારી અંગે રાજીનામાની માંગ કરી હતી.

2009માં અમિત શાહ – ગૃહ રાજ્યમંત્રી અમદાવાદ લઠ્ઠાકાંડ અંગે કોંગ્રેસે અમિત શાહ અને નરેન્દ્ર મોદીની સરકાર સામે રાજીનામાની માંગ કરી હતી. 2009ના અહેવાલમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે ગૃહમંત્રીને નૈતિક જવાબદારી સ્વીકારી પદ છોડવા કહ્યું હતું.

2010માં નરેન્દ્ર મોદી – મુખ્યમંત્રી સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસ અને રાજ્ય સરકારની જવાબદારી વિપક્ષે રાજીનામાની માંગ કરી હતી.

2013માં નરેન્દ્ર મોદી – મુખ્યમંત્રી સ્નૂપગેટ/મહિલાની કથિત જાસુસી વિવાદ અંગે કોંગ્રેસે રાજીનામાની માંગ કરી હતી.

20 નવેમ્બર 2013માં અને તે પહેલાં સૌરાબુદ્દીન કેસમાં અમિત શાહના રાજીનામાની માંગણી કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા દ્વારા કરવામાં આવી હતી. એક યુવતીની કથિત ગેરકાયદે જાસૂસી અને ફોન-ટેપિંગનો વિવાદ હતો.

15 જૂન, 2013, ગુજરાત કોંગ્રેસે બાબુ બોખીરિયાના રાજીનામાની માગણી કરી, તેઓને ચૂનાના પત્થર-ખાણના ગેરકાયદેસર કેસમાં દોષિત ઠેરવ્યા બાદ.

2014માં નરેન્દ્ર મોદી – મુખ્યમંત્રી સ્નૂપગેટ વિવાદ કોંગ્રેસે ફરી રાજીનામાની માંગ કરી; મે 2014માં મોદી CM પદેથી વિદાય થયા કારણ કે તેઓ વડાપ્રધાન બન્યા પણ રાજીનામું ન આપ્યું.

2014–2016: આનંદીબેન પટેલ સરકાર

2015માં આનંદીબેન પટેલ – મુખ્યમંત્રી પાટીદાર અનામત આંદોલન અને પોલીસ કાર્યવાહી કોંગ્રેસે CMના રાજીનામાની માંગ કરી; ઓગસ્ટ 2015માં કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં “CM must resign”ના સૂત્રો સાથે વિરોધ કર્યો હતો.

2016માં આનંદીબેન પટેલ – મુખ્યમંત્રી ઉના દલિત અત્યાચાર, કાયદો-વ્યવસ્થા અને પાટીદાર આંદોલનમાં જનતા પર લાઠીચાર્જ, અત્યાચાર, ગોળીબાર, હત્યા અંગે વિપક્ષે રાજીનામાની માંગ કરી; બાદમાં આનંદીબેને ઓગસ્ટ 2016માં CM પદ છોડ્યું. પણ રાજીનામું ન આપ્યું તેમણે કહ્યું હતું કે, ગોળીબાર કરવાની સૂચના મેં આપી ન હતી. જૂલાઈ 2026માં નીતિન પટેલે કહ્યું કે ગોળીબાર કોણે કર્યો હતો તે રહસ્ય છે.

2016–2021: વિજય રૂપાણી સરકાર
2016–17 વિજય રૂપાણી – મુખ્યમંત્રી ઉના ઘટના બાદ કાયદો-વ્યવસ્થા અને દલિત મુદ્દો વિપક્ષે સરકારની જવાબદારી અંગે રાજીનામાની માંગ કરી હતી.

2017માં વિજય રૂપાણી – મુખ્યમંત્રી ખેડૂતોના પ્રશ્નો, પાટીદાર આંદોલન અને કાયદો-વ્યવસ્થા કોંગ્રેસ દ્વારા સરકાર સામે રાજીનામાની માંગ કરી હતી.

2018માં વિજય રૂપાણી – મુખ્યમંત્રી ખેડૂતો, બેરોજગારી અને વિવિધ સરકારી મુદ્દાઓ વિપક્ષે CM પદ છોડવાની માંગ કરી હતી.

2019માં વિજય રૂપાણી – મુખ્યમંત્રી કાયદો-વ્યવસ્થા અને સરકારની કામગીરીમાં નિષ્ફળ જતાં વિપક્ષ દ્વારા રાજીનામાની માંગ કરાઈ હતી.

2020માં વિજય રૂપાણી – મુખ્યમંત્રી કોરોના મહામારી અને આરોગ્ય વ્યવસ્થાપન કોંગ્રેસે સરકારની કામગીરીને નિષ્ફળ ગણાવી રાજીનામાની માંગ કરી હતી.

2021માં વિજય રૂપાણી – મુખ્યમંત્રી કોરોના વ્યવસ્થાપન સહિત સરકારની કામગીરી કોંગ્રેસ સહિત વિપક્ષે રાજીનામાની માંગ કરી; 11 સપ્ટેમ્બર 2021એ રૂપાણીએ અમિત શાહના કહેવાથી CM પદેથી રાજીનામું આપ્યું પણ તે નિષ્ફળ સરકાર બદલવા માટે આપ્યું હતું.

2021–2026: ભુપેન્દ્ર પટેલ સરકાર
2022માં હર્ષ સંઘવી – ગૃહ રાજ્યમંત્રી બોટાદ-ધંધુકા લઠ્ઠાકાંડ કોંગ્રેસે ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની સીધી માંગ કરી હતી. 42થી વધુ મૃત્યુ થયા ત્યારે રાજીનામું માંગ્યું હતું.

2023માં સંબંધિત મંત્રી / CMના જુનિયર ક્લાર્ક સહિત વારંવારના પેપર લીક અંગે AAPએ CM અને સંબંધિત મંત્રીના રાજીનામાની માંગ કરી; AAPના ઈસુદાન ગઢવીએ CMને જવાબદારી લેવાની અને સંબંધિત મંત્રીના રાજીનામાની માંગ કરી હતી.

2023માં મુખ્યમંત્રી/ગૃહ વિભાગ મોરબી ઝુલતો પુલ દુર્ઘટના વિપક્ષે સરકારની જવાબદારી નક્કી કરવા અને રાજકીય જવાબદારી સ્વીકારવાની માંગ કરી હતી. ઉપરાંત બીજા કેટલાક પ્રસંગોએ રાજીનામાની માંગ પણ ઉઠી હતી.

2024માં ભુપેન્દ્ર પટેલ – મુખ્યમંત્રી / હર્ષ સંઘવી – ગૃહ રાજ્યમંત્રી રાજકોટ TRP ગેમ ઝોન આગ, હરણી બોટ દુર્ઘટના વગેરે અંગે વિપક્ષે CM અને ગૃહ વિભાગની જવાબદારી અંગે રાજીનામાની/પદ છોડવાની માંગ ઉઠાવી હતી.

2025મા ઑક્ટોબર ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓના રાજીનામાં વિપક્ષની માંગ હતી.

2025માં બચુભાઈ ખાબડ – રાજ્યમંત્રી, પંચાયત અને કૃષિ દાહોદ MGNREGA કથિત કૌભાંડ કોંગ્રેસે વિધાનસભામાં મંત્રીના રાજીનામાની સીધી માંગ કરી.

2025માં ભુપેન્દ્ર પટેલ સરકારમાં પેપર લીક, પુલ તૂટવા, લઠ્ઠાકાંડ અને મહિલાઓ સામે ગુનાઓ સહિત અનેક મુદ્દા AAP નેતા ગોપાલ ઇટાલિયાએ રાજ્ય સરકારના અધિકારીઓ/સરકારની જવાબદારી અંગે પદ છોડવાની માંગ કરી.

2025માં ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળ મંત્રીમંડળનું પુનર્ગઠન આ વિપક્ષની માંગના કારણે થયેલા રાજીનામાં નહોતાં. CM સિવાયના તમામ 16 મંત્રીઓએ ઓક્ટોબર 2025માં પુનર્ગઠન પહેલાં રાજીનામાં આપ્યાં હતાં.

2026માં જીતુ વાઘાણી – કૃષિ મંત્રીના રાજીનામાં ખેડૂતોના જમીન સંપાદન, વીજ ટ્રાન્સમિશન લાઇન, વળતર, પાકના ભાવ વગેરે મુદ્દે કરવામાં આવી રહી છે.

2026માં રમેશ કટારા – કૃષિ રાજ્યમંત્રીનું શિક્ષકો અંગે વિવાદાસ્પદ ટિપ્પણી અંગે શિક્ષક સંગઠનો દ્વારા રાજીનામાની માંગણી કરી હતી. પરંતુ માફી માંગી હતી.

અગાઉ સપ્ટેમ્બર 2021માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમની આખી કેબિનેટે પક્ષ હાઈકમાન્ડના આદેશથી રાજીનામું આપ્યું હતું.

પરસોત્તમ સોલંકીનું પણ માછલા ઠેકા કૌભાંડમાં રાજીનામું માગવામાં આવ્યું હતું. અમિત શાહના રાજીનામાની માંગણી પણ થઈ હતી. બીજા અનેક પ્રધાનોના રાજીનામાં અલગ અલગ કારણોથી અલગ અલગ જૂથો દ્વારા કરવામાં આવી હતી. પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ અને પૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતા તથા પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ પણ રાજીનામાની માંગણી કરી હતી. બીજા જૂથો અને સામાજિક સંસ્થાઓએ પણ આવી જ માંગણી કરી પણ કોઈએ રાજીનામા આપ્યા નથી.

મે 2020માં  ગુજરાત હાઈકોર્ટે પોસ્ટલ બેલેટની ગણતરીમાં કથિત ગેરરીતિઓ બદલ ચુડાસમાની 2017ની ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ કરી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવ્યો હતો. આનાથી વિપક્ષી વર્તુળોમાંથી તેમના રાજીનામાની માંગણીઓ પેદા થઈ હતી.
2021: એક શિક્ષક સંગઠને પણ શિક્ષક-તૈયારી સર્વેક્ષણ વિવાદ પર ચૂડાયમાના રાજીનામાની માંગણી કરી હતી.

કૃષિ પ્રધાન રાઘવજી પટેલના બે વખત રાજીનામાં માંગવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી + કેબિનેટ મંત્રી + રાજ્યમંત્રી અને ગુજરાત સરકારની કામગીરી સંબંધિત રાજીનામાની જાહેર માંગ 2014–જુલાઈ 2026 દરમિયાન ઓછામાં ઓછી 15–20 અલગ રાજકીય ઘટનાઓ મળે છે.

માયાબેન કોડનાની અને અમિત શાહના રાજીનામાં કેસના સંદર્ભમાં લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: 

Nationwide youth protest: સંસદમાં સંજય સિંહનો સરકાર પર પ્રહાર, જંતર-મંતર પર યુવતીઓ સાથે પોલીસના વર્તન પર ઉઠાવ્યા સવાલ – thegujaratreport.com

BJP Downfall: ભાજપના પતનની શરૂઆત? સરકાર સામે વધતા જનઅસંતોષ પાછળના 5 મોટા કારણો – thegujaratreport.com

Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા – thegujaratreport.com

Related Posts

NEET Paper Leak Protest: વિદ્યાર્થીઓના આંદોલનથી સરકારની જવાબદારી સુધી, વિશ્વસનીયતા અને લોકતંત્ર પર ઊભા થયેલા સવાલો
  • July 22, 2026

NEET Paper Leak Protest: દેશમાં શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષા પ્રણાલી અને સરકારી સંસ્થાઓની વિશ્વસનીયતા અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ થઈ છે. NEET પરીક્ષા પેપર લીકના આરોપો, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને…

Continue reading
Jantar Mantar Protest: પ્રેશર કુકર બન્યો દેશ, જંતરમંતરના આંદોલનથી સરકારના પાયા હલાવવાની તૈયારીમાં યુવાનો
  • July 20, 2026

Jantar Mantar Protest: દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત જંતરમંતર પર ચાલી રહેલા યુવા આંદોલન અને વિરોધ પ્રદર્શનને લઈને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ ઈન્ટરવ્યુ સામે આવ્યું છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Student Protest Police Violence: દિલ્હીમાં વિદ્યાર્થી આંદોલન, પોલીસ કાર્યવાહી અને ઉઠેલા ગંભીર સવાલો વચ્ચે વધતી ચર્ચા

  • July 22, 2026
  • 1 views
Student Protest Police Violence: દિલ્હીમાં વિદ્યાર્થી આંદોલન, પોલીસ કાર્યવાહી અને ઉઠેલા ગંભીર સવાલો વચ્ચે વધતી ચર્ચા

NEET Paper Leak Protest: વિદ્યાર્થીઓના આંદોલનથી સરકારની જવાબદારી સુધી, વિશ્વસનીયતા અને લોકતંત્ર પર ઊભા થયેલા સવાલો

  • July 22, 2026
  • 2 views
NEET Paper Leak Protest: વિદ્યાર્થીઓના આંદોલનથી સરકારની જવાબદારી સુધી, વિશ્વસનીયતા અને લોકતંત્ર પર ઊભા થયેલા સવાલો

Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી

  • July 22, 2026
  • 7 views
Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી

BJP Downfall: ભાજપના પતનની શરૂઆત? સરકાર સામે વધતા જનઅસંતોષ પાછળના 5 મોટા કારણો

  • July 22, 2026
  • 8 views
BJP Downfall: ભાજપના પતનની શરૂઆત? સરકાર સામે વધતા જનઅસંતોષ પાછળના 5 મોટા કારણો

Houthis Saudi Blockade: હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ પર ખતરો! હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર પર મોટું જોખમ

  • July 22, 2026
  • 6 views
Houthis Saudi Blockade: હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ પર ખતરો! હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર પર મોટું જોખમ

Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા

  • July 22, 2026
  • 13 views
Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા