West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • India
  • September 19, 2026
  • 0 Comments

West Bengal Bypolls: પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજિનગર વિધાનસભા પેટાચૂંટણીઓ પહેલાં રાજકીય ઘટનાક્રમમાં સતત નવા વળાંકો આવી રહ્યા છે. રેજિનગરથી મમતા બેનર્જીના નેતૃત્વવાળા TMC જૂથના ઉમેદવાર રબીઉલ આલમ ચૌધરીએ શનિવારે સવારે ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જોકે, થોડા કલાકો બાદ તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો અને હવે રેજિનગરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. મમતા બેનર્જી સાથેની ચર્ચા અને પોલીસ તરફથી સુરક્ષાની ખાતરી બાદ તેમણે આ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.

નવા ચૂંટણી ચિહ્નને લઈને મુશ્કેલીનો દાવો

રબીઉલે શરૂઆતમાં ઉમેદવારી પાછી ખેંચવાનું કારણ સમજાવતા નવા ચૂંટણી ચિહ્ન અને ટૂંકા પ્રચાર સમયને લઈને મુશ્કેલી વ્યક્ત કરી હતી. ચૂંટણી પંચે TMCના મૂળ નામ અને ‘જોડાફૂલ’ ચિહ્ન અંગેના વિવાદ વચ્ચે મમતા જૂથને અલગ નામ અને અસ્થાયી ચિહ્ન ફાળવ્યું છે. રબીઉલના જણાવ્યા મુજબ કાર્યકરો માટે નવા ચિહ્ન સાથે મેદાનમાં ઉતરવું મુશ્કેલ બની રહ્યું હતું. તેમણે કાર્યકરો પર દબાણ અને ધરપકડ અંગે પણ દાવા કર્યા હતા.

મમતા સાથે ચર્ચા બાદ ફરી ચૂંટણી મેદાનમાં

ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત બાદ રબીયુલની પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા થઈ હતી. ત્યારબાદ તેમણે મમતા બેનર્જી સાથે વાત કરી અને ચૂંટણી લડવાનો નિર્ણય ફરી લીધો. રબીયુલે પોલીસ પાસેથી પણ પ્રચાર દરમિયાન સુરક્ષાની ખાતરી મેળવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ રીતે સવારના ઉમેદવારી પાછી ખેંચવાના નિર્ણયથી સર્જાયેલી અનિશ્ચિતતા થોડા કલાકોમાં જ સમાપ્ત થઈ ગઈ અને હવે તેઓ 6 ઓક્ટોબરની પેટાચૂંટણીમાં મમતા જૂથના ઉમેદવાર તરીકે મેદાનમાં રહેશે.

નંદીગ્રામમાં સાંચિતા પ્રધાન ડેએ ઉમેદવારી પાછી ખેંચી

રેજિનગરની ઘટનાના એક દિવસ પહેલાં નંદીગ્રામમાં પણ મમતા જૂથને મોટો વળાંક મળ્યો હતો. મમતા જૂથના ઉમેદવાર સાંચિતા પ્રધાન ડેએ અચાનક ચૂંટણીમાંથી હટી જવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ મમતા બેનર્જીએ નંદીગ્રામમાં કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. આ ઘટનાક્રમથી નંદીગ્રામની પેટાચૂંટણીનું રાજકીય સમીકરણ બદલાઈ ગયું હતું.

મિલન પ્રધાનની ધરપકડથી વધુ રાજકીય વિવાદ

મમતા બેનર્જીએ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યાના થોડા સમય બાદ મિલન પ્રધાનની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તેમની સામે 2007ના નંદીગ્રામ આંદોલન સાથે જોડાયેલા જૂના કેસોમાં વોરંટ હતા. અહેવાલ મુજબ તેમની સામે રમખાણ, હત્યા, હત્યાના પ્રયાસ અને ગુનાહિત ધમકી સહિતના આરોપો સાથે જોડાયેલા ચાર કેસોનો ઉલ્લેખ છે. પોલીસનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી ફરાર હતા અને ચૂંટણી દરમિયાન પેન્ડિંગ વોરંટના અમલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ધરપકડના સમયને લઈને કોંગ્રેસ અને BJP વચ્ચે આરોપ-પ્રત્યારોપ

મિલન પ્રધાનની ધરપકડના સમયને લઈને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે મમતા બેનર્જીએ સમર્થન આપ્યા બાદ જ વિપક્ષી ઉમેદવારની ધરપકડ થવી રાજકીય રીતે પ્રશ્નો ઊભા કરે છે. બીજી તરફ BJP તરફથી ધરપકડને કાયદાકીય પ્રક્રિયાનો ભાગ ગણાવવામાં આવી છે. રિતબ્રત બેનર્જીના નેતૃત્વવાળા ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસ જૂથે પણ મિલન પ્રધાન સામેના પેન્ડિંગ કેસો અને વોરંટનો ઉલ્લેખ કરીને પોલીસ કાર્યવાહીનું સમર્થન કર્યું છે. આ મુદ્દે અલગ-અલગ રાજકીય પક્ષોએ અલગ દાવા કર્યા છે.

રાહુલ ગાંધીએ ધરપકડને ‘રાજકીય બદલો’ ગણાવ્યો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મિલન પ્રધાનની ધરપકડ પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે તેને ‘રાજકીય બદલો’ ગણાવીને આરોપ મૂક્યો કે નંદીગ્રામમાં ચૂંટણીનો મુકાબલો નબળો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ BJP પર નિષ્પક્ષ ચૂંટણીથી દૂર રહેવાનો આરોપ પણ મૂક્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ ડરશે નહીં અને ચૂંટણી લડશે. આ નિવેદન બાદ નંદીગ્રામની ચૂંટણીને લઈને રાજકીય નિવેદનબાજી વધુ તેજ બની હતી.

રિતબ્રત જૂથનો કોંગ્રેસ પર પલટવાર

રાહુલ ગાંધીના આરોપો સામે રિતબ્રત બેનર્જીના ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસ જૂથે પલટવાર કર્યો હતો. રિતબ્રતના જણાવ્યા મુજબ મિલન પ્રધાન વિરુદ્ધ ફરિયાદ તેમના જૂથ તરફથી કરવામાં આવી હતી અને તેમની સામે ગંભીર કેસો તથા પેન્ડિંગ વોરંટ છે. તેમના મતે ચૂંટણી દરમિયાન આવા વોરંટનો અમલ કરવો પોલીસની કાયદેસરની પ્રક્રિયા છે. આ મુદ્દે કોંગ્રેસ અને રિતબ્રત જૂથ વચ્ચે પણ જાહેરમાં આરોપ-પ્રત્યારોપ શરૂ થયા છે.

રબીયુલનો રેજિનગર સાથે જૂનો રાજકીય સંબંધ

રબીઉલ આલમ ચૌધરી માટે રેજિનગર નવી બેઠક નથી. તેઓ 2013 અને 2016માં કોંગ્રેસની ટિકિટ પર આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા અને 2021માં TMCની ટિકિટ પર રેજિનગરથી ફરી જીત્યા હતા. 2026ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી Aam Janata Unnayan Partyના સ્થાપક અને પૂર્વ TMC ધારાસભ્ય હુમાયુ કબીર જીત્યા હતા. તેઓ નૌદા બેઠક પરથી પણ જીત્યા હોવાથી રેજિનગર બેઠક ખાલી પડી અને પેટાચૂંટણીની જરૂર પડી.

બંને જૂથો માટે અલગ નામ અને ચૂંટણી ચિહ્ન

આ પેટાચૂંટણીઓમાં TMCના આંતરિક વિવાદની પણ મોટી અસર છે. ચૂંટણી પંચે બંને હરીફ જૂથો વચ્ચેના વિવાદને ધ્યાનમાં રાખીને મૂળ TMC નામ અને ચૂંટણી ચિહ્ન પર વચગાળાની રોક લગાવી હતી. ત્યારબાદ મમતા જૂથને ‘Mamata All India Trinamool Congress’ નામ અને ‘Football Player’ ચિહ્ન ફાળવવામાં આવ્યું, જ્યારે રિતબ્રત જૂથને ‘Democratic Trinamool Congress’ નામ અને ‘Envelope’ ચિહ્ન મળ્યું.

6 ઓક્ટોબરે નક્કી થશે હવે કોણ કેટલું મજબૂત

નંદીગ્રામ અને રેજિનગર બંને બેઠકો પર 6 ઓક્ટોબરે મતદાન થવાનું છે. નંદીગ્રામમાં મમતા જૂથે પોતાનો ઉમેદવાર હટાવી કોંગ્રેસના મિલન પ્રધાનને સમર્થન આપ્યું છે, જ્યારે રેજિનગરમાં રબીઉલ આલમ ચૌધરીએ ઉમેદવારી પાછી ખેંચવાના નિર્ણયમાંથી U-Turn લઈને ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.

આ સમગ્ર ઘટનાક્રમમાં ઉમેદવારોના બદલાતા નિર્ણયો, TMCના બે જૂથો વચ્ચેનો વિવાદ, નવા ચૂંટણી ચિહ્નનો મુદ્દો અને મિલન પ્રધાનની ધરપકડ જેવા મુદ્દાઓએ બંને પેટાચૂંટણીઓને રાજકીય રીતે વધુ ચર્ચાસ્પદ બનાવી દીધી છે.

આ પણ વાંચો:

Related Posts

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ
  • September 19, 2026

Delhi SIR Notices: દિલ્હીમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRની પ્રક્રિયા વચ્ચે ચૂંટણી પંચની કામગીરીની પારદર્શિતાને લઈને સવાલો ઊભા થયા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો…

Continue reading
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી
  • September 19, 2026

West Bengal SIR: પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRને લઈને અપીલોના નિકાલની ગતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 2 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 3 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 5 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 4 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 8 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 7 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ