મહારાષ્ટ્રના રાજકારણમાં હોબાળાના સંકેત; બાજી સંભાળવા મહાયુતિના ટોચના નેતાઓ મેદાનમાં

  • Gujarat
  • December 17, 2024
  • 0 Comments

ચૂંટણી પરિણામ બાદ 10 દિવસ પછી મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જોકે 10 દિવસમાં જ અન્ય નેતાઓની નારાજગી સામે આવી રહી છે. આ નારાજગી બળવાખોરીમાં ન પરિવર્તે તેવા પગલા ભરવામાં આવી શકે છે. શિંદે, પવાર અને ફડણવીસ સામે માત્ર 10 દિવસમાં જ નારાજ નેતાઓને મનાવવા માટે મેદાનમાં ઉતરવું પડી રહ્યું છે. સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, નારાજ નેતાઓ મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જૂની કરી શકે છે. તેથી સરકાર સંભાળી રહેલા ટોચના નેતાઓ એલર્ટ થઇ ગયા છે.

જણાવી દઇએ કે, દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં મહાગઠબંધનમાં સામેલ તમામ પક્ષોને અગાઉની સરકાર કરતાં વધુ જગ્યા મળી હતી. જેમાં શિવસેનાના 12 અને એનસીપીના 10 મંત્રીઓ સરકારમાં સામેલ છે. તેમ છતાં તમામ પક્ષોમાં અસંતુષ્ટ નેતાઓનું લાંબુ લિસ્ટ છે. જેની અસર એનસીપી અને શિવસેના પર જોવા મળી રહી છે.

મહાગઠબંધનના ટોચના નેતાઓની વધી મુશ્કેલી

શિંદે સરકારના 11 વરિષ્ઠ મંત્રીઓને ફડણવીસ કેબિનેટમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. તેમજ મંત્રી પદના ઘણા મોટા દાવેદારોને પણ અઢી વર્ષના વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. મહાયુતિના ત્રણેય પક્ષો ભાજપ, શિવસેના અને એનસીપીમાં ઘણા ધારાસભ્યો નિરાશ થયા હતા. હવે તેઓ ભાષણબાજી અને બળવાના સંકેતો આપી રહ્યા છે, જેનો અર્થ છે કે મહાગઠબંધન સરકારમાં સામેલ પક્ષોના વડાઓ મોટા સંકટનો સામનો કરવા જઈ રહ્યા છે.

શિંદે સરકારના દૂર કરાયેલા 11 મંત્રીઓ કરી શકે છે નવાજૂની

નાગપુરમાં દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટના વિસ્તરણમાં શિંદે સરકારના 11 મંત્રીઓને દૂર કર્યા છે અને 25 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે. અજિત પવારની એનસીપીએ સૌથી વધુ પાંચ ભૂતપૂર્વ મંત્રીઓને પડતા મૂક્યા હતા. છગન ભુજબળ, સંજય બનસોડે, અનિલ પાટીલ, ધર્મરાવ બાબા આત્રામ અને દિલીપ વાલ્સે પાટીલને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. જયારે બીજેપીમાં રવીન્દ્ર ચવ્હાણ, સુધીર મુનગંટીવાર અને વિજય કુમાર ગાવિતને તેમજ શિવસેનામાં અબ્દુલ સત્તાર, દીપક કેસરકર અને તાનાજી સાવંતને વેઇટિંગ લિસ્ટમાં મૂક્યા છે.

શિવસેનાના ધારાસભ્યોએ શિંદેના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા

શિવસેનાના ધારાસભ્યોને મંત્રી પદ ન મળતાં તેમણે નિવેદનો આપવાનું શરુ કરી દીધું છે. જેમાં ધારાસભ્ય નરેન્દ્ર ભોંડેકરે નાગપુરમાં શપથ લેતાં પહેલા પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપીને નારાજગી વ્યક્ત કરી હતી. હવે પુરંદરના ધારાસભ્ય વિજય શિવતારેએ જાહેરાત કરી છે કે, ‘હું અઢી વર્ષ પછી પણ મંત્રી પદ સ્વીકારીશ નહીં. તેમજ મને મંત્રીપદ ન મળવાનો કોઈ અફસોસ નથી. પરંતુ મારી સાથે જે વર્તન કરવામાં આવ્યું તેનાથી હું દુખી છું.

શિવતારેએ નિવેદન આપ્યું કે, ‘કાર્યકર કોઈના ગુલામ નથી. મહારાષ્ટ્રને બિહારના રસ્તે ધકેલવામાં આવી રહ્યું છે, જ્યાં પ્રાદેશિક સંતુલનને બદલે નેતાઓની જાતિ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.’

જ્યારે ઉદ્ધવ વિરુદ્ધ એકનાથ શિંદેના બળવામાં ભાગીદાર રહેલા ધારાસભ્ય પ્રકાશ સુર્વે પણ ટીકાકારોમાંના એક બની ગયા છે. સુર્વેએ કહ્યું કે, ‘મેં સંઘર્ષ કરીને જ કંઈક હાંસલ કર્યું છે અને આગળ પણ સંઘર્ષ ચાલુ રાખીશ. કેબિનેટમાં સામેલ ઘણા લોકો મોટા નેતાઓના બાળકો છે, હું નથી.’

એનસીપી-શિવસેના નેતાઓ પાસે વિકલ્પો છે

રાજકીય નિષ્ણાતો માને છે કે મહાયુતિના તમામ પક્ષોના નેતાઓમાં મંત્રી ન બનવાની હિંમત છે, પરંતુ તેની અસર શિવસેના અને એનસીપીમાં વધુ જોવા મળશે. સરકારના બળ પર બંને પક્ષો આગળ વધી શકે છે. જ્યારે અજિત પવાર અને એકનાથ શિંદેએ પાર્ટી તોડી ત્યારે તેમનો હેતુ સરકાર બનાવવાનો હતો.

મહાયુતિની તાજેતરની સમસ્યા એ છે કે ભાજપ, શિવસેના અને એનસીપીએ સારા સ્ટ્રાઇક રેટ સાથે મોટી ચૂંટણીઓ જીતી છે. ભાજપ રાષ્ટ્રીય પક્ષ છે. આવી સ્થિતિમાં ભાજપના નિરાશ નેતાઓ પાસે ધીરજ રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી. એનસીપી-શિવસેના નેતાઓ પાસે પોતાના મૂળ પક્ષમાં પાછા ફરવાનો વિકલ્પ છે. નાગરિક ચૂંટણી દરમિયાન પક્ષપલટા શક્ય છે.

Related Posts

Surat SBI Bank Robbery: સુરત SBI બેંક લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો પર્દાફાશ
  • May 6, 2026

Surat SBI Bank Robbery: સુરત જેવા સુરક્ષિત ગણાતા શહેરમાં 27 એપ્રિલ 2026ના રોજ ધોળા દિવસે થયેલી હાઈપ્રોફાઈલ SBI બેંક લૂંટની ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રને દોડતું કરી દીધું હતું. પોલીસ કમિશનર…

Continue reading
Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય
  • May 6, 2026

By- દિલીપ પટેલ Barda Sanctuary Illegal Liquor: ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરની સમીપ આવેલું 192 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું કુદરતી સૌંદર્યથી સભર બરડા વન્યપ્રાણી અભયારણ્ય આજે એક ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’

  • May 6, 2026
  • 7 views
Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’

Surat SBI Bank Robbery: સુરત SBI બેંક લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો પર્દાફાશ

  • May 6, 2026
  • 6 views
Surat SBI Bank Robbery: સુરત SBI બેંક લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો પર્દાફાશ

Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય

  • May 6, 2026
  • 8 views
Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય

Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન

  • May 6, 2026
  • 8 views
Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન

Shehzad Poonawalla: કોંગ્રેસ સ્થાનિક પક્ષોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે, BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના વિપક્ષી ગઠબંધન પર ગંભીર આરોપ

  • May 6, 2026
  • 12 views
Shehzad Poonawalla: કોંગ્રેસ સ્થાનિક પક્ષોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે, BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના વિપક્ષી ગઠબંધન પર ગંભીર આરોપ

Priyanka Chaturvedi on UN: “UN ને પોતે ખબર નથી કે શું કરી રહ્યું છે” – માર્કો રુબિયોના નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીની તીખી પ્રતિક્રિયા

  • May 6, 2026
  • 9 views
Priyanka Chaturvedi on UN: “UN ને પોતે ખબર નથી કે શું કરી રહ્યું છે” – માર્કો રુબિયોના નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીની તીખી પ્રતિક્રિયા