મહારાષ્ટ્રના રાજકારણમાં હોબાળાના સંકેત; બાજી સંભાળવા મહાયુતિના ટોચના નેતાઓ મેદાનમાં

  • Gujarat
  • December 17, 2024
  • 0 Comments

ચૂંટણી પરિણામ બાદ 10 દિવસ પછી મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જોકે 10 દિવસમાં જ અન્ય નેતાઓની નારાજગી સામે આવી રહી છે. આ નારાજગી બળવાખોરીમાં ન પરિવર્તે તેવા પગલા ભરવામાં આવી શકે છે. શિંદે, પવાર અને ફડણવીસ સામે માત્ર 10 દિવસમાં જ નારાજ નેતાઓને મનાવવા માટે મેદાનમાં ઉતરવું પડી રહ્યું છે. સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, નારાજ નેતાઓ મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જૂની કરી શકે છે. તેથી સરકાર સંભાળી રહેલા ટોચના નેતાઓ એલર્ટ થઇ ગયા છે.

જણાવી દઇએ કે, દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં મહાગઠબંધનમાં સામેલ તમામ પક્ષોને અગાઉની સરકાર કરતાં વધુ જગ્યા મળી હતી. જેમાં શિવસેનાના 12 અને એનસીપીના 10 મંત્રીઓ સરકારમાં સામેલ છે. તેમ છતાં તમામ પક્ષોમાં અસંતુષ્ટ નેતાઓનું લાંબુ લિસ્ટ છે. જેની અસર એનસીપી અને શિવસેના પર જોવા મળી રહી છે.

મહાગઠબંધનના ટોચના નેતાઓની વધી મુશ્કેલી

શિંદે સરકારના 11 વરિષ્ઠ મંત્રીઓને ફડણવીસ કેબિનેટમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. તેમજ મંત્રી પદના ઘણા મોટા દાવેદારોને પણ અઢી વર્ષના વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. મહાયુતિના ત્રણેય પક્ષો ભાજપ, શિવસેના અને એનસીપીમાં ઘણા ધારાસભ્યો નિરાશ થયા હતા. હવે તેઓ ભાષણબાજી અને બળવાના સંકેતો આપી રહ્યા છે, જેનો અર્થ છે કે મહાગઠબંધન સરકારમાં સામેલ પક્ષોના વડાઓ મોટા સંકટનો સામનો કરવા જઈ રહ્યા છે.

શિંદે સરકારના દૂર કરાયેલા 11 મંત્રીઓ કરી શકે છે નવાજૂની

નાગપુરમાં દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટના વિસ્તરણમાં શિંદે સરકારના 11 મંત્રીઓને દૂર કર્યા છે અને 25 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે. અજિત પવારની એનસીપીએ સૌથી વધુ પાંચ ભૂતપૂર્વ મંત્રીઓને પડતા મૂક્યા હતા. છગન ભુજબળ, સંજય બનસોડે, અનિલ પાટીલ, ધર્મરાવ બાબા આત્રામ અને દિલીપ વાલ્સે પાટીલને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. જયારે બીજેપીમાં રવીન્દ્ર ચવ્હાણ, સુધીર મુનગંટીવાર અને વિજય કુમાર ગાવિતને તેમજ શિવસેનામાં અબ્દુલ સત્તાર, દીપક કેસરકર અને તાનાજી સાવંતને વેઇટિંગ લિસ્ટમાં મૂક્યા છે.

શિવસેનાના ધારાસભ્યોએ શિંદેના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા

શિવસેનાના ધારાસભ્યોને મંત્રી પદ ન મળતાં તેમણે નિવેદનો આપવાનું શરુ કરી દીધું છે. જેમાં ધારાસભ્ય નરેન્દ્ર ભોંડેકરે નાગપુરમાં શપથ લેતાં પહેલા પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપીને નારાજગી વ્યક્ત કરી હતી. હવે પુરંદરના ધારાસભ્ય વિજય શિવતારેએ જાહેરાત કરી છે કે, ‘હું અઢી વર્ષ પછી પણ મંત્રી પદ સ્વીકારીશ નહીં. તેમજ મને મંત્રીપદ ન મળવાનો કોઈ અફસોસ નથી. પરંતુ મારી સાથે જે વર્તન કરવામાં આવ્યું તેનાથી હું દુખી છું.

શિવતારેએ નિવેદન આપ્યું કે, ‘કાર્યકર કોઈના ગુલામ નથી. મહારાષ્ટ્રને બિહારના રસ્તે ધકેલવામાં આવી રહ્યું છે, જ્યાં પ્રાદેશિક સંતુલનને બદલે નેતાઓની જાતિ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.’

જ્યારે ઉદ્ધવ વિરુદ્ધ એકનાથ શિંદેના બળવામાં ભાગીદાર રહેલા ધારાસભ્ય પ્રકાશ સુર્વે પણ ટીકાકારોમાંના એક બની ગયા છે. સુર્વેએ કહ્યું કે, ‘મેં સંઘર્ષ કરીને જ કંઈક હાંસલ કર્યું છે અને આગળ પણ સંઘર્ષ ચાલુ રાખીશ. કેબિનેટમાં સામેલ ઘણા લોકો મોટા નેતાઓના બાળકો છે, હું નથી.’

એનસીપી-શિવસેના નેતાઓ પાસે વિકલ્પો છે

રાજકીય નિષ્ણાતો માને છે કે મહાયુતિના તમામ પક્ષોના નેતાઓમાં મંત્રી ન બનવાની હિંમત છે, પરંતુ તેની અસર શિવસેના અને એનસીપીમાં વધુ જોવા મળશે. સરકારના બળ પર બંને પક્ષો આગળ વધી શકે છે. જ્યારે અજિત પવાર અને એકનાથ શિંદેએ પાર્ટી તોડી ત્યારે તેમનો હેતુ સરકાર બનાવવાનો હતો.

મહાયુતિની તાજેતરની સમસ્યા એ છે કે ભાજપ, શિવસેના અને એનસીપીએ સારા સ્ટ્રાઇક રેટ સાથે મોટી ચૂંટણીઓ જીતી છે. ભાજપ રાષ્ટ્રીય પક્ષ છે. આવી સ્થિતિમાં ભાજપના નિરાશ નેતાઓ પાસે ધીરજ રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી. એનસીપી-શિવસેના નેતાઓ પાસે પોતાના મૂળ પક્ષમાં પાછા ફરવાનો વિકલ્પ છે. નાગરિક ચૂંટણી દરમિયાન પક્ષપલટા શક્ય છે.

Related Posts

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
  • June 20, 2026

Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

Continue reading
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bharat Tiwari Encounter: યોગી મોડલની હોડમાં ફસાયા સમ્રાટ ચૌધરી? ભરત તિવારી એન્કાઉન્ટર કેસ બન્યો ગળાનું હાડકું

  • June 21, 2026
  • 3 views
Bharat Tiwari Encounter: યોગી મોડલની હોડમાં ફસાયા સમ્રાટ ચૌધરી? ભરત તિવારી એન્કાઉન્ટર કેસ બન્યો ગળાનું હાડકું

CM Vijay Temple Funds Decision: તમિલનાડુમાં મંદિર ભંડોળને લઈને ઐતિહાસિક ફેરફાર, સીએમ વિજયના નિર્ણયથી હિન્દુ સંગઠનોમાં ખુશી

  • June 21, 2026
  • 5 views
CM Vijay Temple Funds Decision: તમિલનાડુમાં મંદિર ભંડોળને લઈને ઐતિહાસિક ફેરફાર, સીએમ વિજયના નિર્ણયથી હિન્દુ સંગઠનોમાં ખુશી

Indian Army Proposal Controversy: સોશિયલ મીડિયાના યુગમાં સૈન્ય મૂલ્યોની કસોટી, યુવા કેપ્ટનની ઘટનાએ નેતૃત્વ અને તટસ્થતા પર શરૂ કરી નવી ચર્ચા

  • June 21, 2026
  • 7 views
Indian Army Proposal Controversy: સોશિયલ મીડિયાના યુગમાં સૈન્ય મૂલ્યોની કસોટી, યુવા કેપ્ટનની ઘટનાએ નેતૃત્વ અને તટસ્થતા પર શરૂ કરી નવી ચર્ચા

Study Abroad Reality: વિદેશી ભણતરનું કડવું સત્ય, એજન્ટોના માયાજાળમાં કેવી રીતે બરબાદ થઈ રહ્યું છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય?

  • June 21, 2026
  • 9 views
Study Abroad Reality: વિદેશી ભણતરનું કડવું સત્ય, એજન્ટોના માયાજાળમાં કેવી રીતે બરબાદ થઈ રહ્યું છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય?

Shashi Tharoor Congress: શશિ થરૂર અને કોંગ્રેસ વચ્ચે ફરી વધ્યો તણાવ, પવન ખેડાના ‘મહામાનવ મોદી’ કટાક્ષે ગરમાવી રાજકીય ચર્ચા

  • June 21, 2026
  • 8 views
Shashi Tharoor Congress: શશિ થરૂર અને કોંગ્રેસ વચ્ચે ફરી વધ્યો તણાવ, પવન ખેડાના ‘મહામાનવ મોદી’ કટાક્ષે ગરમાવી રાજકીય ચર્ચા

TMC Political Crisis: પશ્ચિમ બંગાળથી રાષ્ટ્રીય રાજનીતિ સુધી સંદેશ આપતો ટીએમસી સંકટ, પ્રાદેશિક પક્ષો માટે કેમ છે ચેતવણીની ઘંટડી?

  • June 21, 2026
  • 5 views
TMC Political Crisis: પશ્ચિમ બંગાળથી રાષ્ટ્રીય રાજનીતિ સુધી સંદેશ આપતો ટીએમસી સંકટ, પ્રાદેશિક પક્ષો માટે કેમ છે ચેતવણીની ઘંટડી?