
ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી મામલે રોજે રોજ નવા ખુલાસોઓ થઈ રહ્યા છે. અમદાવાદ સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં ખોટી રીતે આયુષ્મના કાઢી, દર્દીઓના આપરેશન અન સર્જરી કરાઈ હતી. જેમાંથી બે લોકોના મોત થતાં સમગ્ર કારસ્તાન બહાર આવ્યું હતુ. આ મમલામાં આરોપીઓની ધરપકડ કરી લઈ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. જોકે, કેસની ગંભીરતાને જોતા આ કેસ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે નવો ખુલાસો થયો છે.
આરોપીઓ સરકારી વેબસાઇટની ટેક્નિકલ ખામીનો દુરૂપયોગ કરી બોગસ ડોક્યુમેન્ટના આધારે ગેરકાયદેસર આયુષ્યમાન કાર્ડ બનાવતા હોવાનો પર્દાફાશ થયો છે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે 6 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આષ્યમાનકાર્ડ કાઢવાના પોર્ટલ પર કર્યા ચેડા
તપાસમાં ખુલાસો થયો કે ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટરની સૂચનાથી આયુષ્યમાન ભારત પોર્ટલમાં ચેડા કરી આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા. જેમાં ચિરાગ રાજપૂતે નિમેષ ડોડિયા સાથે મળીને ઓનલાઈન પોર્ટલ દ્વારા કાર્ડ બનાવવાની સેવાઓની જાહેરાત કરી હતી. જેમાં છેતરપિંડી કરીને દરેક કાર્ડ 1,500- 2,000 રૂપિયામાં વેચવામાં આવ્યા હતા, જેમાં નિમેશને કાર્ડ દીઠ 1,000 રૂપિયાની કમાણી થઈ હતી. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.