પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પુસ્તક કેમ છે ચર્ચામાં?

  • India
  • February 4, 2025
  • 1 Comments
  • પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની (Mamata Banerjee) પુસ્તક કેમ છે ચર્ચામાં?

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની (Mamata Banerjee) નવી પુસ્તક ચર્ચામાં છે. આ પુસ્તકમાં તેમણે બીજેપીની (BJP) સાથે-સાથે કોંગ્રેસ (Congress) ઉપર પણ નિશાન સાંધ્યું છે.

કોલકાતા પુસ્તક મેળામાં તેમની ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું પરંતુ સૌથી વધારે ચર્ચા ‘બાંગલાર નિરબાચન ઓ આમરા (બંગાળની ચૂંટણી અને અમે)’ પર થઈ રહી છે. આ પુસ્તકમાં 2024 લોકસભા ચૂંટણીનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીમાં હાર માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે, અનેક રાજ્યોમાં ગઠબંધનના કારણે કોંગ્રેસને ફાયદો થયો પરંતુ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને બીજેપી અને વામ પાર્ટીઓ સાથે મળીને તૃણમૂલ કોંગ્રેસ વિરૂદ્ધ ચૂંટણી લડી.

પશ્ચિમ બંગાળ કોંગ્રેસે આ આરોપોને ફગાવતા કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ, બીજેપી અને વામ મોર્ચાના નેતા પરસ્પર મળેલા હતા.

મમતા બેનર્જીએ “બાંગલાર નિરબાચન ઓ આમરા”માં 2024 લોકસભા ચૂંટણીમાં હાર માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવ્યા છે. તેમનું કહેવું છે કે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને તેમની શક્તિથી સીટો મળી નથી પરંતુ કોંગ્રેસને જેટલી સીટો મળી, તે માત્ર ગઠબંધનની અન્ય પાર્ટીઓએ તેમના વિરૂદ્ધ ઉમેદવાર ઉતાર્યા નહોવાથી તેઓ વધુ સીટો લાવી શક્યા છે.

આ પણ વાંચો- દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવા-જૂનીના એંધાણ; શું કહે છે રાજકીય વિશ્લેષક અરૂણ શર્માનું મૂલ્યાંકન

તેમણે પુસ્તકરમાં બંગાળની ચૂંટણી રાજનીતિના સાથે-સાથે ઈન્ડિયા ગઠબંધનની પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે.

તેઓ લખે છે કે, 2024ની લોકસભા ચૂંટણીથી પહેલા જ અમને સમજમાં આવી ગયું હતુ કે ભારતીય જનતા પાર્ટીના વિરૂદ્ધ જો બધી જ વિપક્ષી પાર્ટીઓ એક થઇ જશે તો તેને હરાવી શકાય છે. તે માટે વિપક્ષી પાર્ટીઓની અનેક બેઠકો દિલ્હી, મુંબઈ અને કર્ણાટકમાં થઈ. કર્ણાટકની બેઠકમાં જ મેં વિપક્ષી પાર્ટીઓને ગઠબંધનનું નામ ઈન્ડિયા રાખવાની રજૂઆત કરી હતી.

પોતાની પુસ્તકમાં તેઓ લખે છે કે, તેમણે ગઠબંધનના ન્યૂનત્તમ સંયુક્ત કાર્યક્રમ અને સંયુક્ત નિવેદન રજૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. સાથે જ તેમણે કોંગ્રેસને અનુરોધ કર્યો હતો કે ગઠબંધનનું સંયોજક અને પ્રવક્તા નિયુક્ત કરવામાં આવે.

પુસ્તકના અંતિમ અધ્યાયમાં તેઓ લખે છે કે જે ક્ષેત્રીય પાર્ટી પોત-પોતાના વિસ્તારમાં મજબૂત છે, તે વિસ્તારોમાં તે પાર્ટી જ ગઠબંધનની આગેવાની કરે અથવા તેમની જ આગેવાનીમાં ચૂંટણી લડવામાં આવે.

આ પણ વાંચો- UCC લાગુ કરવા સરકારની મોટી જાહેરાત: SCના નિવૃત જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટિની રચના

જોકે, પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શક્યું નહીં. મમતા બેનર્જીનું કહેવું છે કે ન તો ન્યૂનતમ સંયુક્ત કાર્યક્રમની રૂપરેખા બનાવવામા આવી ન તો કોઈ સંયુક્ત નિવેદન રજૂ કરવામાં આવ્યું. ગઠબંધનની પાર્ટીઓ પરસ્પર જ એકબીજા સામે ચૂંટણી લડવા લાગ્યા, જેનો ફાયદો બીજેપીને થવા લાગ્યો અને તેને સરકાર બનાવી લીધી, તે છતાં કે બીજેપી પાસે પૂર્મ બહુમતી નહતી.

કોંગ્રેસ પર હુમલો યથાવત રાખતા મમતા બેનર્જીએ તે પણ સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ ગઠબંધનનું નેતૃત્વ કરવાથી બચતી રહી પરંતુ ગઠબંધન સહયોગીઓના સમર્થનના કારણે તેને કેટલાક રાજ્યોમાં ફાયદો થયો.

મમતા બેનર્જીએ કહ્યું, પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ, વામ પાર્ટી અને બીજેપીએ મળીને તૃણમૂલ કોંગ્રેસ વિરૂદ્ધ ચૂંટણી લડી.

તેઓ કહે છે કે તમિલાનાડૂ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની સીટો ગઠબંધનના કારણે મળી, પરંતુ બંગાળમાં કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસને હરાવવા માટે બીજેપી અને વામ પાર્ટી સાથે હાથ મિલાવી લીધો.

મમતા બેનર્જી આગળ લખે છે કે, 2024 લોકસભા ચૂંટણીમાં મીડિયાએ તૃણમૂલ કોંગ્રેસને 12-13 સીટો મળવાનું અનુમાન લગાવ્યું છે, પરંતુ અમને 29 સીટો મળી. બીજેપીને માત્ર 12 સીટો અને કોંગ્રેસને 1 સીટ મળી.

2019 લોકસભા ચૂંટણીમાં બીજેપીને 18 સીટ અને તૃણમૂલ કોંગ્રેસને 22 સીટ મળી હતી, એટલે બંને પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર હતી.

કોંગ્રેસે કર્યો પલટવાર

પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શુભંકર સરકારે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે તેમણે મમતા બેનર્જીની પુસ્તક વાંચી નથી અને ન વાંચવાના છે.

તેઓ કહે છે કે, જો મમતાએ કોંગ્રેસ પર કંઈક કહ્યું છે તો તેમણે તે વાતનો પણ ઉલ્લેખ કરવો જોઈએ કે જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થઈ રહી હતી, તો તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ તેનો બહિષ્કાર કેમ કર્યો હતો? તેઓ પુસ્તકો લખતા રહે છે પરંતુ તેનો અર્થ તે નથી કે અમે તે પુસ્તકોને વાંચવા બંધાયેલા છીએ. જ્યાં સુધી પશ્ચિમ બંગાળનો પ્રશ્ન છે, તો તૃણમૂલ કોંગ્રેસ, ભાજપા અને વામ મોર્ચાના નેતાઓ પરસ્પર મળેલા છે.

શંભુકર સરકારનું કહેવું છે કે કોંગ્રેસે પશ્ચિમ બંગાલમાં પોતાના સંગઠને શૂન્યથી ફરીથી ઉભું કર્યું છે. તેમનો દાવો છે કે મમતા બેનર્જીની વિરૂદ્ધ સત્તા વિરોધી લહેરને જોતા સામાન્ય મતદાતા કોંગ્રેસને એક નવા વિકલ્પના રૂપમાં દેખી રહ્યો છે.

આ પણ વાંચો- આપણા સંતો / મહંતો/ કથાકારો/ બાબાઓ જૈન સાધુઓની માફક અપરિગ્રહી બની શકે ખરાં?

Related Posts

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?
  • August 4, 2026

Bankipur By Election 2026: બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ રાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ વળાંક તરીકે જોવામાં આવી રહ્યું છે. જન સુરાજ પાર્ટી (જેએસપી)ના સ્થાપક પ્રશાંત કિશોરે ભાજપના મજબૂત ગઢ તરીકે ઓળખાતી…

Continue reading
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે
  • August 4, 2026

Brij Bhushan verdict: દિલ્હીની એક અદાલતે ભારતીય કુશ્તિ મહાસંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહને છ મહિલા પહેલવાનો દ્વારા નોંધાયેલા યૌન ઉત્પીડનના કેસમાં નિર્દોષ જાહેર કર્યા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 6 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 5 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 7 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 9 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 7 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 10 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ