
- ગાયોના પેટમાં જમા થતું પ્લાસ્ટિક કાઢવાનો સચોટ દેશી ઉપાય; મળશે 100% રિઝલ્ટ
અમદાવાદ: દેશભરમાં વર્તમાન સમયમાં પેકેજિંગ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ સૌથી વધારે થાય છે. તેથી કચરાના ઢગલાઓમાં સૌથી વધારે પ્લાસ્ટિંક જોવા મળે છે. તેવામાં શહેરો અને ગામડાઓમાં ગાયો પ્લાસ્ટિકને પણ ભોજન બનાવી દઈ રહી છે. ગામડાઓમાં તો ઠિક પણ શહેરોમાં ગાયોના પેટમાં વધારે પ્રમાણમાં પ્લાસ્ટિક જઈ રહ્યું છે. તેમાંય હરાયા ગાય અને આંખલાઓનો તો ખોરાક જ જાણે પ્લાસ્ટિક થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.
આ પ્લાસ્ટિક ખાવાના કારણે ગાયોને ખુબ જ મુશ્કેલી પડતી હોય છે. સરકાર પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછું કરવાની જાહેરાત કરી રહી છે પરંતુ પ્લાસ્ટિક આપણા જીવન સાથે સંકળાઈ ગયું છે, તેથી તેની માત્રા ઓછી થવામાં થોડો સમય લાગશે. પરંતુ પ્લાસ્ટિક ખાવાથી ગાયોની તકલીફને દૂર કરવા માટે આપણે દેશી ઉપાય કરી શકીએ છીએ. જેથી ગૌમાતાને સરળતાથી બચાવી શકાય.
ગાયો દ્વારા અખાધ્ય પ્રદાર્થો ખાવાના લીધે તે પેટમાં જમા થાય છે અને એક સમય પછી તે એક ગાંઠ સ્વરૂપે બહાર પણ દેખાવા લાગે છે. પ્લાસ્ટિક કે ચામડું ખાવાના કારણે ક્યારેક ગાયનું મોત પણ થાય છે. જો આપણે ખરેખર ગાયને માતા માનતા હોઈએ અને તેને બચાવવા માંગતા હોઈએ તો કેટલાક દેશી ઈલાજ અપનાવી શકીએ છીએ.
200 ગ્રામ દીવેલ, 200 ગ્રામ તલનું તેલ, 200 ગ્રામ સરસીયું, 100 ગ્રામ હરડેનું ચૂર્ણ આટલું ભેગું કરીને તેના ત્રણ સરખા ભાગ કરીને ત્રણ વખત આપવાથી ગાયના પેટમાં રહેલું પ્લાસ્ટિક બહાર નિકળી જાય છે.
અન્ય એક દેશી ઉપચારમાં 100 ગ્રામ લીમડો, 100 ગ્રામ એરંડા અને 100 ગ્રામ સરસવને છાશમાં મેળવી મિશ્રણ કરવું. આ મિશ્રણ ગાયના પબેટમાં ગયા પછી રાસાણીક પ્રક્રિયા શરૂ થાય છે, તેના લીધે પેટમાં રહેલું બધુ જ પ્લાસ્ટિક મળ દ્વારા બહાર નિકળી જાય છે.
આ પ્રયોગ રાજસ્થાનની ત્રણ જેટલી ગૌશાળાઓમાં હાથ ધરવામાં આવ્યો અને તેમાં 100 ટકા સફળતા મળી હતી.
આ પણ વાંચો- શંકર ચૌધરીનું મોટું નિવેદન; થરાદ-વાવ જિલ્લામાં બનશે વધુ એક તાલુકો!