
- બનાસકાંઠાની ધરા ધ્રૂજી; પાલનપુર સહિતના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા
બનાસકાંઠા જિલ્લામાં આજે સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુર શહેરથી 34 કિલોમીટર દુર નોંધાયું હતું.
ભૂકંપના આંચકાને કારણે દાંતીવાડા, ઈકબાલગઢ અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે, રાહતની વાત એ છે કે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે માલ-મિલકતને નુકસાન થયાનો કોઈ અહેવાલ નોંધાયા નથી.
બનાસકાંઠા જિલ્લાની ધરા ત્રણ મહિના બાદ આજે ફરી ધ્રુજી હતી. આજે સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે.
3.3 કિલોમીટરની ઊંડાઈ પર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઈ છે. દાંતીવાડા તાલુકામાં ભૂકંપના આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. જોકે, ભૂકંપને લઈ અત્યારસુધી કોઈ જાનહાનિ કે નુકસાન થયું હોવાના અહેવાસ સામે આવ્યાં નથી.
આ પણ વાંચો- કેન્દ્ર સરકારે મણિપુરમાં લાગુ કર્યું રાષ્ટ્રપતિ શાસન