ચૂંટણી પંચ માટે નવા કમિશ્નરની નિમણૂંક માટે PM મોદીની બેઠક; રાહુલ ગાંધી- અમિત શાહ થયા સામેલ

  • India
  • February 17, 2025
  • 0 Comments
  • ચૂંટણી પંચ માટે નવા કમિશ્નરની નિમણૂંક માટે PM મોદીની બેઠક; રાહુલ ગાંધી- અમિત શાહ થયા સામેલ

ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર 18મી ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. નવા ચૂંટણી કમિશ્નર(Chief Election Commissioner)ની નિયુક્તિ માટેની કવાયત શરુ થઈ રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે બેઠક કરી હતી. બેઠકમાં લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામેલ થયા હતા. એક તરફ જ્યાં રાહુલ ગાંધી બેઠકમાં સામેલ હતા ત્યાં બીજી તરફ આ જ મુદ્દે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી.

મુખ્ય ચૂંટણી કમિશ્નરની પસંદગીની પ્રક્રિયા મામલે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું છે, કે ‘CEC અને ECની નિયુક્તિ વડાપ્રધાન, વિપક્ષ નેતા અને CJIની સમિતિ દ્વારા થવી જોઈએ. CECને લઈને સંતુલિત નિર્ણય લેવો જોઈએ અને પસંદગીની પ્રક્રિયામાં માત્ર કાર્યપાલિકા નહીં ન્યાયપાલિકા પણ સામેલ હોવી જોઈએ.’

અગાઉ શું પ્રક્રિયા હતી?

નોંધનીય છે કે મુખ્ય ચૂંટણી કમિશ્નર(CEC)ની પસંદગી માટેની કમિટીમાં વડાપ્રધાન અને વિપક્ષ નેતાની સાથે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એટલે કે CJI પણ સામેલ થતા હતા. જોકે કેન્દ્ર સરકારે આ મુદ્દે નવો કાયદો લઈને આવી અને તેમાંથી CJIને હટાવી દેવામાં આવ્યા.

નવા કાયદા પ્રમાણે પહેલા કાયદા મંત્રીની અધ્યક્ષતામાં એક કમિટી પાંચ ઉમેદવારોના નામની યાદી તૈયાર કરશે. પછી આ યાદી વડાપ્રધાન, વિપક્ષ નેતા તથા વડાપ્રધાન દ્વારા પસંદ કરાયેલા કોઈ પણ એક કેબિનેટ મંત્રીની કમિટી સમક્ષ મૂકવામાં આવશે અને આ ત્રણ નેતાઓ એક નામ પર મહોર લગાવશે. આમ આ વખતે કમિટીમાં વડાપ્રધાન મોદી, વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને ગૃહમંત્રી અમિત શાહની કમિટી બની છે અને આજે આ ત્રણેય નેતાઓ બેઠકમાં સામેલ હતા.

મુખ્ય ચૂંટણી કમિશ્નરની પસંદગીનો મુદ્દો રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાવ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો, કે ‘નિયમો બદલી નાંખવામાં આવ્યા. અગાઉ ચૂંટણી કમિશ્નરની પસંદગીમાં વડાપ્રધાન, વિપક્ષ નેતા અને CJI ત્રણેય સામેલ થતા હતા. CJIને કમિટીમાંથી શા માટે હટાવી દેવામાં આવ્યા?’

ચૂંટણી પંચમાં મુખ્ય ત્રણ અધિકારી હોય છે જેમાં એક મુખ્ય ચૂંટણી કમિશ્નર તથા બે ચૂંટણી કમિશ્નર હોય છે. વરિષ્ઠતા પ્રમાણે વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર બાદ જ્ઞાનેશ કુમાર સૌથી વરિષ્ઠ છે.

આ પણ વાંચો-રાજકોટ: ગાયનેક હોસ્પિટલની મહિલા દર્દીઓની પ્રાઈવસીને ખતરામાં મુક્તિ ગંભીર ઘટના

  • Related Posts

    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
    • March 23, 2026

     Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

    Continue reading
    Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
    • March 22, 2026

    Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

    • March 24, 2026
    • 2 views
    Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

    Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!

    • March 24, 2026
    • 4 views
    Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!

    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

    • March 23, 2026
    • 4 views
    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

    Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

    • March 23, 2026
    • 6 views
    Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

    UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

    • March 23, 2026
    • 18 views
    UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

    SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

    • March 23, 2026
    • 13 views
    SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?