ચૂંટણી પંચ માટે નવા કમિશ્નરની નિમણૂંક માટે PM મોદીની બેઠક; રાહુલ ગાંધી- અમિત શાહ થયા સામેલ

  • India
  • February 17, 2025
  • 0 Comments
  • ચૂંટણી પંચ માટે નવા કમિશ્નરની નિમણૂંક માટે PM મોદીની બેઠક; રાહુલ ગાંધી- અમિત શાહ થયા સામેલ

ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર 18મી ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. નવા ચૂંટણી કમિશ્નર(Chief Election Commissioner)ની નિયુક્તિ માટેની કવાયત શરુ થઈ રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે બેઠક કરી હતી. બેઠકમાં લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામેલ થયા હતા. એક તરફ જ્યાં રાહુલ ગાંધી બેઠકમાં સામેલ હતા ત્યાં બીજી તરફ આ જ મુદ્દે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી.

મુખ્ય ચૂંટણી કમિશ્નરની પસંદગીની પ્રક્રિયા મામલે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું છે, કે ‘CEC અને ECની નિયુક્તિ વડાપ્રધાન, વિપક્ષ નેતા અને CJIની સમિતિ દ્વારા થવી જોઈએ. CECને લઈને સંતુલિત નિર્ણય લેવો જોઈએ અને પસંદગીની પ્રક્રિયામાં માત્ર કાર્યપાલિકા નહીં ન્યાયપાલિકા પણ સામેલ હોવી જોઈએ.’

અગાઉ શું પ્રક્રિયા હતી?

નોંધનીય છે કે મુખ્ય ચૂંટણી કમિશ્નર(CEC)ની પસંદગી માટેની કમિટીમાં વડાપ્રધાન અને વિપક્ષ નેતાની સાથે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એટલે કે CJI પણ સામેલ થતા હતા. જોકે કેન્દ્ર સરકારે આ મુદ્દે નવો કાયદો લઈને આવી અને તેમાંથી CJIને હટાવી દેવામાં આવ્યા.

નવા કાયદા પ્રમાણે પહેલા કાયદા મંત્રીની અધ્યક્ષતામાં એક કમિટી પાંચ ઉમેદવારોના નામની યાદી તૈયાર કરશે. પછી આ યાદી વડાપ્રધાન, વિપક્ષ નેતા તથા વડાપ્રધાન દ્વારા પસંદ કરાયેલા કોઈ પણ એક કેબિનેટ મંત્રીની કમિટી સમક્ષ મૂકવામાં આવશે અને આ ત્રણ નેતાઓ એક નામ પર મહોર લગાવશે. આમ આ વખતે કમિટીમાં વડાપ્રધાન મોદી, વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને ગૃહમંત્રી અમિત શાહની કમિટી બની છે અને આજે આ ત્રણેય નેતાઓ બેઠકમાં સામેલ હતા.

મુખ્ય ચૂંટણી કમિશ્નરની પસંદગીનો મુદ્દો રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાવ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો, કે ‘નિયમો બદલી નાંખવામાં આવ્યા. અગાઉ ચૂંટણી કમિશ્નરની પસંદગીમાં વડાપ્રધાન, વિપક્ષ નેતા અને CJI ત્રણેય સામેલ થતા હતા. CJIને કમિટીમાંથી શા માટે હટાવી દેવામાં આવ્યા?’

ચૂંટણી પંચમાં મુખ્ય ત્રણ અધિકારી હોય છે જેમાં એક મુખ્ય ચૂંટણી કમિશ્નર તથા બે ચૂંટણી કમિશ્નર હોય છે. વરિષ્ઠતા પ્રમાણે વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર બાદ જ્ઞાનેશ કુમાર સૌથી વરિષ્ઠ છે.

આ પણ વાંચો-રાજકોટ: ગાયનેક હોસ્પિટલની મહિલા દર્દીઓની પ્રાઈવસીને ખતરામાં મુક્તિ ગંભીર ઘટના

  • Related Posts

    CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ
    • August 15, 2026

    Green India Mission: ભારત સરકારના મહત્વાકાંક્ષી ગ્રીન ઇન્ડિયા મિશનના અમલીકરણ અંગે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG)ના ઓડિટમાં ગંભીર ખામીઓ સામે આવી છે. ગુરુવાર, 13 ઓગસ્ટે સંસદમાં રજૂ કરવામાં આવેલી CAGની…

    Continue reading
    UP Election 2027: UP માં મહિલા મતદારો માટે મોટો દાવ! ₹50,000ની કેશ સહાય યોજના પર વિચારણા, અખિલેશ યાદવનો મોટો આરોપ
    • August 15, 2026

    UP Election 2027: ઉત્તર પ્રદેશમાં ફેબ્રુઆરી 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર મહિલાઓને સીધી આર્થિક સહાય આપવા માટે નવી યોજના અંગે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ

    • August 15, 2026
    • 2 views
    CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ

    UP Election 2027: UP માં મહિલા મતદારો માટે મોટો દાવ! ₹50,000ની કેશ સહાય યોજના પર વિચારણા, અખિલેશ યાદવનો મોટો આરોપ

    • August 15, 2026
    • 4 views
    UP Election 2027: UP માં મહિલા મતદારો માટે મોટો દાવ! ₹50,000ની કેશ સહાય યોજના પર વિચારણા, અખિલેશ યાદવનો મોટો આરોપ

    Nagaland Vande Mataram controversy: નાગાલેન્ડમાં ‘વંદે માતરમ્’ના ફરજિયાત ગાયન સામે વિરોધ, ચર્ચ બાદ વિદ્યાર્થી સંગઠનો પણ મેદાનમાં

    • August 15, 2026
    • 5 views
    Nagaland Vande Mataram controversy: નાગાલેન્ડમાં ‘વંદે માતરમ્’ના ફરજિયાત ગાયન સામે વિરોધ, ચર્ચ બાદ વિદ્યાર્થી સંગઠનો પણ મેદાનમાં

    Narendra Modi Speech: 75 મિનિટના ભાષણમાં મોદીનો ‘દિમાગી નક્સલ’થી રિફોર્મ એક્સપ્રેસ સુધીનો સંદેશ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

    • August 15, 2026
    • 5 views
    Narendra Modi Speech: 75 મિનિટના ભાષણમાં મોદીનો ‘દિમાગી નક્સલ’થી રિફોર્મ એક્સપ્રેસ સુધીનો સંદેશ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

    Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ

    • August 15, 2026
    • 9 views
    Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ

    Har Ghar Tiranga campaign: ‘હર ઘર તિરંગા’થી સંઘના તિરંગા સાથેના ઐતિહાસિક સંબંધ સુધી, ચાર વર્ષના અભિયાન વચ્ચે જૂના વિવાદો ફરી ચર્ચામાં

    • August 15, 2026
    • 6 views
    Har Ghar Tiranga campaign: ‘હર ઘર તિરંગા’થી સંઘના તિરંગા સાથેના ઐતિહાસિક સંબંધ સુધી, ચાર વર્ષના અભિયાન વચ્ચે જૂના વિવાદો ફરી ચર્ચામાં