
ચીનમાંથી ઉદ્ભવેલા HMPV વાઈરસે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાં આ વાઈરસનો કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આ વચ્ચે આરોગ્યમંત્રી રુષિકેશ પટેલે વાઈરસને મોટું લઈ નિવેદન આપ્યું છે.
આપણે તેનાથી ડરવાની જરુર નથી: ઋષિકેશ પટેલ
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યુ કે આ HMPV વાયરસ નવો નથી. આ જુનો જ વાયરસ છે,પરંતુ એ હમણાં ચીનમાં તેને ફેલાવો વધ્યો છે. આપણે તેનાથી ડરવાની જરૂર નથી. આ વાયરસમાં કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ માઇલ્ડ લક્ષણો છે. છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઇડલાઇન આવે એને આપણે ફોલો કરીશું. તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલની અંદર જે આરટીપીસીઆરની જે સગવડ હતી, ત્યાં જેનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઉભી કરીશું.
જોકે કોરોના વખતે પણ લોકોને આ રીતે જ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતુ. ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવી લાખોની જનમેદની એકઠી કરાઈ હતી. જેથી કોરોના વાઈરસ વધુ વકર્યો હતો. જેથી લોકો ડાઉન કરવાની નોબત આવી હતી. લોકો એકથી બીજા ગામમાં પણ ન જઈ શકે તેવી સ્થિત સર્જા હતી. જેમાં કેટલાંય લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આરોગ્યમંત્રીએ આપેલા નિવેદન પર કેટલો ભરોસો તેવા સવાલો પેદા થયા છે.
આ સમાચર પણ વાંચોઃ RAJKOT: ભાજપ MLA સામે સગી બહેને કર્યા ગંભીર આક્ષેપ, ભાઈએ બહેનને જેલમાં પુરાવી?