
ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે. દેશમાં આયુષ્માન કાર્ડના છબરડાંમાં પ્રથમવાર નામ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું આવ્યું છે. આ વિવાદ સમ્યો નથી. ત્યારે બીજી એક હોસ્પિટલમાં ગેરરીતિ બહાર આવી છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં શેલ્બી હોસ્પિટલમાં 8 નવેમ્બરે ગીર ગઢડાના એક વૃદ્ધ પગમાં તકલીફ થતાં આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર માટે દાખલ કરાયા હતા. જો કે 12 ડિસેમ્બરના રોજ તેમનું મોત થયું હતું. મોત થતાં ડોક્ટર પર બેદરાકીરના આરોપો લગાવ્યા છે. આરોપ લગાવ્યો છે કે શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે વૃદ્ધ ઘોહાભાઈ ખાંભલેનાં લિવર અને કિડની ખરાબ થઈ ગયાં અને મગજનો લકવો થઈ ગયો હતો. બાદમાં તેમનું મોત થઈ ગયું. પગના ઓપરેશન બાદ બીજુ એક ઓપરેશન કરવાનું હોવાનું હતુ. જો કે ડોક્ટરે કહ્યું હતુ કે પ્રથમ ઓપરેશન આયુષ્માન કાર્ડમાં થઈ ગયું છે. બીજુ ઓપરેશન કરવું હોય તો પૈસા થશે.
જો કે પરિવારના આ તમામ આક્ષેપને હોસ્પિટલના ડોક્ટરે નકારી કાઢ્યા છે. ડોક્ટરે કહ્યું કે વૃદ્ધની સ્થિતિ ઘણી નાજૂક હતી.
પરિવારે કરી ન્યાની માગ
મૃતકનાં પરિવારજનોએ કહ્યું કે દર્દીનું ડોક્ટરોની બેદરકારીના કારણે મોત થયું છે. પરિવારે ન્યાય અને સહાય મળે તે માટે માગ કરી છે. જો ન્યાય નહીં મળે તો 29 ડિસેમ્બરે હોસ્પિટલ બહાર પ્રતીક ધરણાં-ઉપવાસ કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે. આમ તેઓ આરોગ્ય કમિશનર અને આરોગ્યમંત્રી સુધી પણ રજૂઆત કરશે.