Ahmedabad: હરિયાણાથી પોલીસકર્મીઓના મૃતદેહ વતન લવાયા

Ahmedabad: હરિયાણામાં 26 માર્ચે અમદાવાદ પોલીસની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં 2 પોલીસકર્મી અને ડ્રાઈવરનું મોત થયું હતુ. ત્યારબાદ તેમના મૃતદેહ અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જ્યા હેડ ક્વોટર ખાતે ત્રણેય કર્મચારીઓને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિતના મૃતદેહને તેના વતન તાપી લઈ જવાયો છે. જ્યારે ખાનગી ડ્રાઇવર કનુભાઈ ભરવાડ અને હોમગાર્ડ રવિન્દ્ર મૃતદેહોને પણ સિટીએમ અને સિંગરવા તેઓના ઘરે લઈ જવામાં આવ્યા હતાં.

ડ્રાઇવર કનુભાઈ ભરવાડના અમદાવાદના હાટકેશ્વર સ્મશાનમાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો અને સ્થાનિક રહીશોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. જ્યારે હોમગાર્ડ રવિન્દ્ર અને સુનિલ ગામિતના આજે અંતિમ સંસ્કાર કરાશે.

26 માર્ચે હરિયાણામાં ગુજરાત પોલીસના કર્મચારીઓ સાથે બનેલી એક દુ:ખદ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટના એક માર્ગ અકસ્માતમાં બની હતી, જ્યારે પોલીસનું વાહન હાઇવે પર પાર્ક કરેલા અજાણ્યા વાહન સાથે અથડાયું હતું. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ગુજરાત પોલીસની ટીમ પોક્સો કેસની તપાસ માટે પંજાબ જઈ રહી હતી. આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ (PC) સુનિલ ગામીત, હોમગાર્ડ (HG) રવિન્દ્ર, ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડનું મોત થયું હતુ. જ્યારે ઘટનામાં એક અધિકારી, PSI જ્યેન્દ્રસિંહ સોલંકી, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચોઃ  Ahmedabad:અકસ્માતનો ભોગ બનેલા પોલીસકર્મીઓના મૃતદેહ વતન લવાયા

આ પણ વાંચોઃ Ahmedabad: વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં પ્રદર્શન કરતાં NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

આ પણ વાંચોઃ Kheda: ફરી ઝડપાયો નકલી ઘીનો વેપલો, તંત્ર બેદરકાર, કોના સહારે બીજીવાર ફેક્ટરી ધમધમતી થઈ?

આ પણ વાંચોઃ હવે દ્વારકાધીશ અંગે સ્વામી નીલકંઠ ચરણદાસજીની ખોટી ટિપ્પણી, મોગલ ધામના મણિધરબાપુ રોષે ભરાયા | Dwarkadhish

 

 

  • Related Posts

    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’
    • October 27, 2025

    Gujarat Cyclone Forecast: ગુજરાતમાં એક વરસાદી માહોલ તો બીજી તરફ હવે ગુજરાતના દરિયાકાંઠાના તટ વિસ્તારમાં ચક્રવાતની શક્યતાને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવતા તંત્ર સાબદુ બન્યું…

    Continue reading
    LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?
    • October 27, 2025

    LIC Exposure to Adani: ભારતીય વ્યવસાય જગતના અબજોપતિ ગૌતમ અદાણીને “નસીબદાર” કહીને એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વિવાદને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે. આ પોસ્ટમાં 68 વર્ષ પહેલાંના પ્રખ્યાત ‘મુન્ધરા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    • October 27, 2025
    • 4 views
    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

    • October 27, 2025
    • 17 views
    LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

     SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

    • October 27, 2025
    • 14 views
     SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

    BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

    • October 27, 2025
    • 3 views
    BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

    Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

    • October 27, 2025
    • 20 views
    Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

    Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

    • October 27, 2025
    • 24 views
    Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો