
Ahmedabad: હરિયાણામાં 26 માર્ચે અમદાવાદ પોલીસની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં 2 પોલીસકર્મી અને ડ્રાઈવરનું મોત થયું હતુ. ત્યારબાદ તેમના મૃતદેહ અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જ્યા હેડ ક્વોટર ખાતે ત્રણેય કર્મચારીઓને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિતના મૃતદેહને તેના વતન તાપી લઈ જવાયો છે. જ્યારે ખાનગી ડ્રાઇવર કનુભાઈ ભરવાડ અને હોમગાર્ડ રવિન્દ્ર મૃતદેહોને પણ સિટીએમ અને સિંગરવા તેઓના ઘરે લઈ જવામાં આવ્યા હતાં.
ડ્રાઇવર કનુભાઈ ભરવાડના અમદાવાદના હાટકેશ્વર સ્મશાનમાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો અને સ્થાનિક રહીશોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. જ્યારે હોમગાર્ડ રવિન્દ્ર અને સુનિલ ગામિતના આજે અંતિમ સંસ્કાર કરાશે.
26 માર્ચે હરિયાણામાં ગુજરાત પોલીસના કર્મચારીઓ સાથે બનેલી એક દુ:ખદ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટના એક માર્ગ અકસ્માતમાં બની હતી, જ્યારે પોલીસનું વાહન હાઇવે પર પાર્ક કરેલા અજાણ્યા વાહન સાથે અથડાયું હતું. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ગુજરાત પોલીસની ટીમ પોક્સો કેસની તપાસ માટે પંજાબ જઈ રહી હતી. આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ (PC) સુનિલ ગામીત, હોમગાર્ડ (HG) રવિન્દ્ર, ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડનું મોત થયું હતુ. જ્યારે ઘટનામાં એક અધિકારી, PSI જ્યેન્દ્રસિંહ સોલંકી, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચોઃ Ahmedabad:અકસ્માતનો ભોગ બનેલા પોલીસકર્મીઓના મૃતદેહ વતન લવાયા
આ પણ વાંચોઃ Ahmedabad: વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં પ્રદર્શન કરતાં NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
આ પણ વાંચોઃ Kheda: ફરી ઝડપાયો નકલી ઘીનો વેપલો, તંત્ર બેદરકાર, કોના સહારે બીજીવાર ફેક્ટરી ધમધમતી થઈ?
આ પણ વાંચોઃ હવે દ્વારકાધીશ અંગે સ્વામી નીલકંઠ ચરણદાસજીની ખોટી ટિપ્પણી, મોગલ ધામના મણિધરબાપુ રોષે ભરાયા | Dwarkadhish