Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

Ahmedabad Chandola, Lake Demolition:  અમદાવાદના ચંડોળા તળાવ નજીક છેલ્લા 40 વર્ષથી રહેલાં લોકોના ઘરો-ઝુંપડાં તોડવાનું ગઈકાલ(29 એપ્રિલ) સાવારથી શરુ કર્યું છે. આજે બીજા દિવસે પણ ડિમોલેશનનું કામ ચાલું છે. 1 મે સુધી આ ડિમોલેશન કામગીરી ચાલુ રહેશે. અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલેશનની કામગીરી ગણવામાં આવે છે. જો કે લોકો સવાલ કરી રહ્યા છે કે 40 વર્ષ કરતાં વધુ સમયનો વીતી ગયો પણ કાર્યવાહી ન કરી. હવે પહેલગામ હુમલો થયો ત્યારે દબાણ હટાવવાની કામગીરી તંત્ર કરી રહ્યું છે. અત્યાર સુધી અંદાજે 2 હજાર ઝૂંપડા પાડી દેવામાં આવ્યા છે.

આ મુદ્દાને લઈ અરજદારો ગઈકાલે હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા હતા. જો કે ત્યાથી હાતશા સાપડી છે. હાઇકોર્ટે દબાણો હટાવવાની કામગીરી પર સ્ટે મૂકવા ઇનકાર કર્યો છે. જેથી ડિમોલેશનની કામગીરી ચાલુ રહેશે. આ મામલે હાઇકોર્ટ અન્ય મુદ્દાઓ પર 19 જૂને સુનાવણી કરશે.

સરકાર અહીં બાગ્લાદેશીઓની ગેરકાદે વસાહત કહી દબાણો તોડી પાડી રહી છે. જો કે સરકારને અત્યારે દબાણો હટાવવાનું કેમ સૂજ્યું તે પણ સવાલ છે. ચંડોળા તળાવ વિસ્તારના ઝૂંપડાં તોડી પાડતાં લોકો બેઘર બન્યા છે. લોકો કહે છે અમે બાંગ્લાદેશી નથી. લોકોની આજીજી છતાં સરકારે ઝૂંપડા તોડી પાડવાનું યથાવત રાખ્યું છે.

મહિલાએ રડતાં રડતાં શું કહ્યું?

એક મહિલાએ કહ્યું અમે બચપનથી અહીં રહીએ છીએ. અમારા છોકરાઓના લગ્ન પણ અહીં થયા છે. મહિલાએ રડતાં રડતાં કહ્યું અમને તંત્ર દ્વારા સામન પણ બહાર ન કાઢવા દીધો. અમે  આ તાપમાં ક્યા જઈશું. અમારી પાસે લાઈટ બીલ છે, જન્મ, સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ છે.

બંદોબસ્તમાં પોલીસની તબિયત લથડી તો કાયમી છત ગુમાવનારની શું હાલત થશે?

બંદોબસ્ત દરમિયાન મહિલા કોન્સ્ટેબલની તબિયત લથડી હોવાની વિગતો સામે આવી છે.  ડિમોલિશનના બંદોબસ્ત દરમિયાન મહિલા કોન્સ્ટેબલની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે મેડિકલ વાન પાસે મોકલવામાં આવ્યા છે. જો સવાલ  એ છે કે માત્ર આટલાં સમયમાં પોલીસકર્મીઓની તબિયત બગડી જતી હોય તો આ તાપમાં છત ગુમાવનાર લોકોની શું હાલત થશે. તેમના બાળકોનું શું થશે. જેના ઘર તોડાયા છે એ કહી રહ્યા છે કે અમને સમય પણ ન આપવામાં આવ્યો કે નોટીસ પણ ન આપી.

 

આ પણ વાંચોઃ

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Related Posts

Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?
  • August 5, 2025

Satyapal Malik passed away: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું મંગળવારે 79 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું. તેમણે મંગળવારે બપોરે 1 વાગ્યે નવી દિલ્હીની રામ મનોહર લોહિયા…

Continue reading
Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?
  • August 5, 2025

Dahod: વિકસિત અને ગરવી ગુજરાતના દાવાઓ વચ્ચે ટ્રાઇબલ બેલ્ટ ગણાતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોની દુર્દશા ચિંતાનો વિષય બની રહી છે. ગરબાડા નગરના નવાગામ ફળિયામાં આવેલી એક આંગણવાડીની જર્જરીત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

  • August 5, 2025
  • 2 views
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

  • August 5, 2025
  • 9 views
Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

  • August 5, 2025
  • 10 views
Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

  • August 5, 2025
  • 17 views
‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા, કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા

  • August 5, 2025
  • 12 views
Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા,  કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા

મોદીએ અમિત શાહ સાથે સંબંધો કાપી નાંખ્યા હતા, શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી લેતાં | Amit shah

  • August 5, 2025
  • 34 views
મોદીએ અમિત શાહ સાથે સંબંધો કાપી નાંખ્યા હતા, શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી લેતાં | Amit shah