
Ahmedabad in Chandola 2 phase Demolition: પહેલગામ હુમલા બાદ ગુજરાતના અમદાવાદમાં આવેલા ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે રહેતાં લોકો પર AMC તવાઈ બોલાવી છે. બીજા તબક્કામાં AMC એ 8 હજાર 500 જેટલા દબાણો દૂર કર્યા છે. આટલા મોટાપાયે ઘરો તોડી પાડતાં પરિવારો તડકામાં રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે હજુ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી નથી. તંત્રએ ગરીબોના માથેથી છત છીનવી લીધી છે. તંત્રએ પહેલા તબક્કામાં ડિમોલિશન હાથ ધર્યું ત્યારે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા કહ્યું હતુ. જો કે હજુ સુધી તેમને રહેઠાણ આપ્યા નથી. ત્યારે હવે બીજા 8,500 જેટલા દબાણો હટાવી દેતાં ગરીબોના માથે કાળો કહેર વર્તાયો છે. ગરીબોના સંતાનોનો તડકામાં ટળવળી રહ્યા છે.
Ahmedabad: ચંડોળામાં ફરી AMCની લાલ આંખ, હજ્જારો ઘરો પાડ્યા, લોકો બેઘર
આજે ધાર્મિક સ્થળો તોડી પડાયા
આજે બીજા તબ્બકાના બીજા દિવસે(21 મે) ધાર્મિક સ્થળો તોડવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ચંડોળા તળાવમાં સિરાજ નગરમાં આવેલી સિરાજ મસ્જિદને વહેલી સવારે તોડી પાડવામાં આવી છે. લલ્લા બિહારીના ફાર્મની બાજુમાં આવેલી અલી નામની મસ્જિદને પણ તોડવાની શરૂઆત કરવામાં આવી છે. ચંડોળા તળાવ વિસ્તારમાં સ્થિત એક નાનું મહાકાળી માતા મંદિર તોડી પાડવામાં આવ્યું છે.
માહિતી મળી રહી છે કે AMC અને પોલીસના સંયુક્ત દબાણો હટાવવાની કામગીરીમાં ગઈકાલે(20 મે) 8 હજારથી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા. ફેઝ 2માં 2.50 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ઓપરેશન ક્લીન ચંડોળા 2.0માં સૂર્યનગર પોલીસ મથકથી મીરા સિનેમા રોડ તરફના દબાણ દૂર કરવામાં આવ્યા. ત્યારે આજે પણ ડિમોલિશનનું કામ ચાલુ રહ્યું છે.
દિવાલ બનાવાશે
ફરી દબાણ ન થાય તે માટે તળાવની ફરતે દિવાલ બાનાવશે. બાદમાં એક SRPનો પોઇન્ટ પણ મૂકવામાં આવશે. આગામી સમયમાં ચંડોળા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો
Gujarat માં આજે 21 જિલ્લામાં ખાબકશે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી
પતિ નેતાઓ પાસે છોકરીઓ મોકલે છે, મને સાથે સૂવા દબણા કરે છે: DMK નેતાની પત્નીનો આરોપો
ગુજરાત ATS એ નડિયાદમાંથી બે શંકાસ્પદ સાયબર આતંકીઓ પકડ્યા
પરેશ રાવલને ‘હેરા ફેરી 3’ ફિલ્મ છોડવી મોંઘી પડી!, અક્ષયએ 25 કરોડની નોટિસ મોકલી? | Paresh Rawal
વડોદરાથી આંકલાવ મહિલા સાથે ભજીયા ખાવા કોર્પોરેશનની ગાડીનો ઉપયોગ Sheetal Mistry એ કર્યો?
અદાણી ડિફેન્સ બનાવશે અદ્યતન એન્ટી-સબમરીન વોરફેર સિસ્ટમ, કોની સાથે કર્યા કરાર? | Adani
Hathmati Pollution: હિંમતનગર પાલિકા પોતે હાથમતી નદીમાં મળયુક્ત પાણી છોડે છે: વિપક્ષ
PM મોદીની પ્રશંસા ન કરવાનું પરિણામ, રાહુલને આસિફ મુનિર સાથે સરખાવ્યા | Amit Malviya
ચૈતર વસાવાએ GPSC ના ચેરમેન હસમુખ પટેલને હટાવવાની માગ કેમ કરી?
Ahmedabad: ચંડોળામાં ફરી AMCની લાલ આંખ, હજ્જારો ઘરો પાડ્યા, લોકો બેઘર
Ahmedabad: ધંધૂકામાંથી પાણીની બોટલની આડમાં દારુનો વેપલો પોલીસે પકડ્યો