હવે, PM મોદી સાહેબ Blood Donation નહીં કરી શકે…!

  • GOOGLE & GROK પાસે મોદીએ બ્લડ ડોનેશન કર્યું હોવાની કોઈ માહિતી નથી.
  • બિકાનેરમાં મોદીએ કહ્યું, મારી નસોમાં હવે લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે.

મેહુલકુમાર વાસુદેવ વ્યાસ (mehul.v.vyas@gmail.com)

PM MODI BLOOD DONATION: છેલ્લાં 11 વર્ષથી ભારતની કુંડળીમાં મજબૂત ખૂણો પકડીને બેઠેલાં નરેન્દ્ર દામોદરદાસ મોદી… હવે બ્લડ ડોનેશન કરી શકશે નહીં… કારણ કે, એમની નસોમાં લોહી વહેતું જ નથી, એમની નસોમાં તો ગરમાગરમ સિંદૂર વહે છે. હવે ગરમાગરમ સિંદૂર તો કોઈ દેશભક્ત કે અંધભક્ત ભારતીયની નસોમાં વહેતું હોય તેવી તો કોઈ શક્યતા છે નહીં. એટલે મોદી મહારાજ બ્લડ ડોનેશન નહીં કરી શકે. અહીં ખાલી યાદ કરાવવા પુરતું જણાવી દઉં કે, નરેન્દ્ર દામોદરદાસ મોદીએ ક્યારેય રક્તદાન કર્યું હોય એની કોઈ વિગતો ગુગલ કે ગ્રોક પાસે મળતી નથી. કદાચ કોઈ અંધભક્તની ડાયરીમાં લખાયેલી હોય તો એની મને ખબર નથી.

આમ તો પ્રધાનમંત્રી મોદીના વિરોધમાં કંઈ બોલીએ કે લખીએ… એટલે નફરતી ચિંટુઓ આપણને દેશદ્રોહી – વિકાસ દ્રોહી તત્વો ખપાવવા પાછળ પડી જતાં હોય છે. બિચારાઓને બીજો કોઈ રોજગાર પણ નથી, એટલે તેઓની અગાઉથી ક્ષમા પ્રાર્થના સાથે વાત શરૂ કરું છું. ક્ષમા પ્રાર્થના તેઓનો ગુસ્સો સહન ના કરવો પડે એટલા માટે નથી કહી રહ્યો. પણ, એમની પૈતૃક લાગણી દુભાવવા અંગેનો ખેદ છે એટલે ક્ષમા માંગી છે.

માત્ર “મિત્રો”ના ઉદ્ધાર માટે જીવન સમર્પિત કરી દેનારા… મિત્રો માટે ખપી જવાની અદમ્ય વૃત્તિ ધરાવનારા… નરેન્દ્ર દામોદરદાસ મોદીએ આજે બિકાનેરમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે કહ્યું કે, મારી નસોમાં લોહી નહીં પરંતુ ગરમ સિંદૂર વહે છે.

લગભગ 40 મિનિટના ભાષણમાં 15 જેટલી વખત પોતાનું નામ લઈને આતંકવાદીઓને અને પાકિસ્તાનને પડકાર ફેંક્યો.. મોદીભક્તોમાં આનંદનો જુવાળ ફાટી નિકળ્યો. મોદીને ખબર છે કે બિકાનેરમાં બોલાયેલું બિહારમાં પણ સંભળાશે. એટલે વધારે જોશ બતાવીને તેમણે આતંક પર પ્રહારો કર્યાં.

પણ, જો ખરેખર મોદીના લોહીમાં આટલી જ ગરમી હોય તો… એમણે સૌથી તો પહેલગામમાં હુમલો શા માટે થયો? સુરક્ષામાં ક્યાં ચૂક રહી ગઈ? પાકિસ્તાનને જાણ કર્યા બાદ શા માટે ઓપરેશન સિંદૂર શરું કરવામાં આવ્યું? જેને યુદ્ધ ગણાવ્યું જ નહોતું એ ઓપરેશન સિંદૂરને એકદમ વિરામ (સિઝફાયર) કેમ આપવામાં આવ્યો?

આવા બધાં પ્રશ્નોના જવાબો પણ ગરમાગરમ સિંદુરીયા લોહીવાળા મહામાનવે જનતાને આપવા જોઈએ. ચાલો માની લઈએ કે દેશના પત્રકારો મોદીને દીઠા ગમતાં નથી પણ, શું હવે આ મહામાનવને પ્રજા જનોની પણ જરૂર નથી? માત્ર ઈવીએમ – નાણાં – ગુંડાઓ અને અંધભક્તોના સહારે જ સત્તા મેળવ્યા કરશો?

મને તો લાગે છે, માનનિય વડાપ્રધાન શ્રી નગારા જેવી 56 ઈંચની છાતી પર ઢમ ઢમ કરી નાંખે છે. બાકી જો ખરેખર નક્કર છાતી હોય તો ટ્રમ્પને તેવર કેમ નથી બતાવતાં? ટ્રમ્પ સાથેની પત્રકાર પરિષદમાં તમારા ચહેરાના હાવભાવ પરથી લાગતું નહોતું કે તમારા લોહીમાં ગરમાવો છે.

આ બધું તો ઠીક, મુળ મુદ્દા પર આવીએ તો… આજે બિકાનેરમાં મોદી સાહેબે 40 મિનિટના ભાષણમાં એમના નસોમાં વહેતાં લોહીની વાત કરી એટલે સહજ પ્રશ્ન થયો કે, મોદીસાહેબે ક્યારેય રક્તદાન કર્યું છે?

આ પ્રશ્નનો જવાબ શોધવા ગુગલ કર્યું તો જાણવા મળ્યું કે, મોદીના જન્મ દિવસે ભક્તો રક્તદાન શિબિરો યોજતાં હોય છે. મોદીના માર્ગદર્શનમાં અથવા તો મોદીની છબી ચમકાવવા માટે રક્તદાન શિબિરો થાય છે પણ, નરેન્દ્ર દામોદરદાસ મોદીએ ક્યારેય રક્તદાન કર્યું હોય. પોતાની નસોમાંથી લોહી કોઈના હીતાર્થે વહાવ્યું હોય એવી વિગતો પ્રાપ્ત ના થઈ.

એટલે છેવટે મોદીના મિત્ર ટ્રમ્પના ખાસ એલોન મસ્કના ગ્રૂકને સવાલ પુછ્યો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલીવાર બ્લડ ડોનેશન કર્યું છે. સત્તાવાર માહિતી આપો

ગ્રૂકને અક્ષરસઃ જે પ્રશ્ન પુછ્યો એનો ગ્રૂકે જે જવાબ આપ્યો એ નીચે મુજબ છે.

નરેન્દ્ર મોદીએ બ્લડ ડોનેશન કેટલી વખત કર્યું તે અંગેની સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. જોકે, નરેન્દ્ર મોદીએ બ્લડ ડોનેશનને પ્રોત્સાહન આપવા માટે ઘણી પહેલ કરી છે. ઉદાહરણ તરીકે, 2014માં વર્લ્ડ બ્લડ ડોનર ડે નિમિત્તે તેમણે યુવાનોને બ્લડ ડોનેશન માટે પ્રેરણા આપી હતી અને તેને સમાજ માટે મહાન સેવા ગણાવી હતી.

વધુમાં, તેમના જન્મદિવસ (17 સપ્ટેમ્બર) નિમિત્તે ઘણી વખત બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. 2022માં, ‘રક્તદાન અમૃત મહોત્સવ’ નામની એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેમાં 1 લાખથી વધુ લોકોએ બ્લડ ડોનેટ કર્યું અને એક દિવસમાં સૌથી વધુ બ્લડ ડોનેશનનો વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. આ ડ્રાઈવ 17 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર (નેશનલ વોલન્ટરી બ્લડ ડોનેશન ડે) સુધી ચાલી હતી.

જો તમને નરેન્દ્ર મોદીના વ્યક્તિગત બ્લડ ડોનેશનની વિગતો જોઈએ છે, તો તે માટે સત્તાવાર સ્ત્રોત જેમ કે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) અથવા સંબંધિત સરકારી પોર્ટલ પરથી માહિતી મેળવવાની જરૂર પડશે.

ગ્રૂકનો ઉપરોક્ત જવાબ વાંચીને એટલું તો ખબર પડે છે કે મોદી સાહેબે ક્યારે લોહીનું દાન કર્યું નથી. કારણકે, જો કર્યું હોત તો ઓપરેશન સિંદૂર વખતે એમના જે ફોટા જાહેરમાં લગાડવામાં આવ્યા હતાં એના કરતાં વિશાળ ફોટોગ્રાફ્સ રસ્તાઓ પર લગાડવામાં આવ્યા હોત.

કારણકે, ઓપરેશન સિંદૂરમાં શહીદી વહોરનારા જવાનો કરતાં ટીપુંય લોહી ના વહાવનાર મોદીને સેના કરતાં મહાન ચિતરનારાઓ કે ચિતરાવનારાઓ… જો સ્વયં સ્વ-ઘોષિત મહામાનવ રક્તદાન કરે તો કેટલો પ્રચંડ ઉત્સાહ દાખવે?

એકંદરે, જે અંધભક્તોની નસોમાં સિંદૂર જેવા રંગનું લોહી વહેતું હોય તેઓ મહેરબાની કરી પીએમ મોદીને ત્યાં નામ નોંધાવી રાખે. કદાચ તમને લોહીની જરૂર પડે તો મોદી સાહેબ કદાચ તમારા કામમાં આવે.

બાકી, છેલ્લે એક વાત કરીને વિરમું છું.

આપણાં શાસ્ત્રોમાં ક્યાંય કોઈ દેવતાંને ગરમા ગરમ સિંદૂર ચડાવવામાં આવતું હોય તેવો ઉલ્લેખ મળતો નથી. કદાચ શાસ્ત્રો વાંચવામાં હું મોદી સાહેબ જેટલો પારંગત નહીં હોઉં. પણ, હવે જ્યારે મોદી સાહેબે સિંદુરીયા લોહીની વાત જાહેર મંચ પરથી કરી છે તો કાલે ઉઠીને કેટલાંક ભક્તો મોદીને એલિયન ગણાવે તો નવાઈ નહીં

ભારત માતા કી જય

આ પણ વાંચો:

‘ ED હદો વટાવે છે’, 1 હજાર કરોડના દારૂ કૌભાંડની તપાસમાં સુપ્રીમની ED ને લપડાક

Ahmedabad:  કેબલ ચોરી થતાં વસ્ત્રાલથી થલતેજ તરફની મેટ્રો ટ્રેન બંધ

IAS વિક્રાંત પાંડેની ગુજરાતમાં વાપસી કેમ? | Vikrant Pandey

Ahmedabad: ગુરુકુળ વિસ્તાર પાસેની ઈમારતમાં આગ લાગતાં દોડધામ!

Indigo Flight: દિલ્હીથી શ્રીનગર જતું વિમાન તૂટ્યું!, જાણો શું થયું!

Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું આજે લોકાર્પણ, ડાકોર, કરમસદ સહિત આ સ્ટેશનનો સમાવેશ? | Railway station

જાપાનના કૃષિ મંત્રીએ ચોખા પર શું બોલ્યા કે રાજીનામું આપી દેવું પડ્યું? જાણો કારણ! | Taku Eto

Vadodara: સરકારી દવાખાનામાં આશાવર્કર પર બળાત્કારનો પ્રયાસ, કપડાં ફાડ્યા, સુરક્ષા પર સવાલો?

 

Related Posts

જનતાનો વિજય તો પરાજય કોનો? સ્થાનિક સરકારોની ચૂંટણી વિશ્લેષણ
  • April 28, 2026

The Gujarat Report | ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના વિજય અંગેનું વિસ્તૃત વિશ્લેષણ કરી રહ્યાં છે પત્રકાર જીતુભાઈ મહેતા તેમજ દિલીપભાઈ પટેલ. જેમાં મહત્વનો મુદ્દો એ છે કે અંબાજી, ડાકોર,…

Continue reading
Election: રાજ્યમાં 70 સ્થળે મતદાનનો જનતામાં વિરોધ:310 બૂથમાં મતદાનનો બહિષ્કાર
  • April 27, 2026

Election: 724 બેઠક બિનહરીફ કરીને 15 લાખ મતદારોના અધિકાર છીનવી દીધા હતા 4 કરોડ મતદારોમાંથી સરેરાશ 50 ટકા મતદાન ગણતાં 2 કરોડ મતદારોએ મતદાન નહીં કરીને આડકતરો વિરોધ કર્યો હતો.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

  • May 4, 2026
  • 4 views
Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

  • May 4, 2026
  • 4 views
Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

  • May 4, 2026
  • 7 views
Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

Surat Vesu Violent Clash: સુરતના પોશ વિસ્તારમાં ભયનો માહોલ, વેસુમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો

  • May 4, 2026
  • 8 views
Surat Vesu Violent Clash: સુરતના પોશ વિસ્તારમાં ભયનો માહોલ, વેસુમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો

Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને

  • May 4, 2026
  • 9 views
Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને

NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ

  • May 4, 2026
  • 9 views
NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ