Ahmedabad Crime: બિલ્ડર સાથે થયેલી ક્રૂરતા મામલે મોટો ખૂલાસો, પૂર્વ ભાગીદારે સોપારી આપી હતી

  • Gujarat
  • September 14, 2025
  • 0 Comments

Ahmedabad Crime: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં એક જાણીતા બિલ્ડર અને પાટીદાર સમાજના અગ્રણી હિંમતભાઈ રૂડાણીની હત્યાના કેસમાં ઓઢવ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ હત્યા પાછળ મૃતકના પૂર્વ ભાગીદાર મનસુખ લાખાણી ઉર્ફે જેકીનો હાથ હોવાનું બહાર આવ્યું છે, જેમણે 50 હજાર રૂપિયાની સોપારી આપીને આ ગુનો કરાવ્યો હતો. આ ઘટનાએ શહેરમાં હત્યાના વધતા જતા બનાવો વચ્ચે નવો વળાંક લાવ્યો છે.

13 સપ્ટેમ્બર 2025ની મોડી રાત્રે, વિરાટનગર બ્રિજ નજીક ઠક્કરનગર બ્રિજ પાસે આવેલા કૈલાસધામ વિભાગ-1ના વિસ્તારમાં એક સફેદ મર્સિડીઝ કારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી. ઓઢવ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કારની તપાસ કરતાં તેમાં હિંમતભાઈ રૂડાણીનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ પર ધારદાર હથિયારના ઘા હોવાનું જણાયું, જેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે હત્યા નિકોલ વિસ્તારમાં સરદારધામના બેઝમેન્ટમાં કરવામાં આવી હતી. આરોપીઓએ હિંમતભાઈનો પીછો કરી, તેમની કાર બેઝમેન્ટમાં પાર્ક થતાં જ હુમલો કર્યો અને તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી. ત્યારબાદ મૃતદેહને કારની ડેકીમાં મૂકી, આરોપીઓએ કારને વિરાટનગર બ્રિજ નીચે છોડી દીધી અને બાઇક લઈને ફરાર થઈ ગયા.

આરોપીઓની ધરપકડ

ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં આ કેસનો ભેદ ઉકેલી લીધો અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓમાં હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઈ રાઠોડ (રહે. હિરાવાડી, અમદાવાદ), પપ્પુ હિરાજી મેઘવાલ (રહે. જાવલ, શીરોહી, રાજસ્થાન), અને એક સગીરનો સમાવેશ થાય છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને 100થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આરોપીઓને રાજસ્થાનના શીરોહી નજીકથી ઝડપી પાડ્યા. આ ઓપરેશનમાં બનાસકાંઠા એસપી, એલસીબી ટીમ, અને અમીરગઢ પોલીસે મદદ કરી.

ઝોન-૫ના ડીસીપી ડૉ. જીતેન્દ્ર યાદવે જણાવ્યું કે, “આરોપી રાહુલ ઉર્ફે હિંમાશુએ પૂછપરછમાં કબૂલ્યું કે તેને મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ 50 હજાર રૂપિયાની સોપારી આપી હતી. આ હત્યા પૂર્વ આયોજિત હતી, અને આરોપીઓ મૃતકને પહેલેથી ઓળખતા હતા.”

હત્યા પાછળનું કારણ

તપાસમાં બહાર આવ્યું કે મનસુખ લાખાણી અને હિંમતભાઈ રૂડાણી ભૂતકાળમાં બિઝનેસ પાર્ટનર હતા. બંને વચ્ચે પૈસાની લેતીદેતી અને અન્ય વિવાદોને લઈને મનદુ:ખ હતું. વર્ષ 2024માં હિંમતભાઈના પુત્ર ધવલ રૂડાણીએ મનસુખના પુત્ર કિંજલ લાખાણી વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમના ઇકોનોમિક ઓફેન્સ વિભાગમાં ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદમાં ખોટી સહીઓ અને ઓથોરિટી લેટરનો ઉપયોગ કરી 1.50 કરોડ રૂપિયા ઉપાડી લેવાનો અને બાર દુકાનો વેચી દેવાનો આરોપ હતો.

આ ઉપરાંત, વર્ષ 2020માં ધવલ રૂડાણી અને કિંજલ લાખાણી વચ્ચે ભાગીદારીમાં નિકોલમાં 3 કરોડ રૂપિયાની જમીન ખરીદીને કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવાનું નક્કી થયું હતું. જોકે, બંને વચ્ચે મતભેદો ઉભા થયા, અને કિંજલે હિંમતભાઈ સાથે મારામારી પણ કરી હતી, જેની ફરિયાદ પણ નોંધાઈ હતી.

આગળની કાર્યવાહી

પોલીસે મનસુખ લાખાણીની અટકાયત કરી છે અને તેની પૂછપરછ ચાલુ છે. આરોપી રાહુલ ઉર્ફે હિંમાશુ, જે અગાઉ મનસુખ લાખાણી પાસે ગાર્ડ તરીકે કામ કરતો હતો, આ હત્યાનો મુખ્ય સૂત્રધાર હોવાનું જણાયું છે. રાહુલે પપ્પુ મેઘવાલ અને સગીરને સાથે રાખી આ ગુનો આચર્યો હતો. પોલીસે આરોપીઓની બાઇકના માલિકની પૂછપરછ અને સીસીટીવી ફૂટેજના આધારે આ ઝડપી કાર્યવાહી કરી.

આ ઘટનાએ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખળભળાટ મચાવ્યો છે. પોલીસ હવે આ કેસની વધુ તપાસ કરી રહી છે, જેમાં હત્યાના ચોક્કસ હેતુઓ અને અન્ય સંભવિત સંડોવણીઓની તપાસ શામેલ છે. આ ઘટના શહેરમાં વધતા જતા ગુનાખોરીના દરને લઈને ચિંતાનું કારણ બની રહી છે.

આ પણ વાંચો:

બિલ્ડરનો કારમાંથી મૃતદેહ મળ્યો, અમદાવાદ બન્યુ અસુરક્ષિત | Ahmedabad Crime

સરકારનું નવું ગતકડુ, ભારતીય ટીમ પાકિસ્તાન સામે કાળી પટ્ટી પહેરી રમશે | IND vs PAK

‘મારા ભાઈને ગોળી વાગી, મને તે આપો પછી પાકિસ્તાન સાથે રમો’, પહેલગામ હુમલો ભૂલાયો! | Boycott Ind vs Pak Match

Surat: હોટલમાંથી હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, થાઈલેન્ડની 13 મહિલા સહિત 22 લોકોની અટકાયત

MP સરકારે લીધેલી 1200 ગાડીમાં મોટો ગોટાળો!, માત્ર એક ગાડી 1.25 કરોડમાં ખરીદી!, જુઓ

‘મારા ભાઈને ગોળી વાગી, મને તે આપો પછી પાકિસ્તાન સાથે રમો’, પહેલગામ હુમલો ભૂલાયો! | Boycott Ind vs Pak Match

 

 

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 2 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 3 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 8 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 7 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 10 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત