
Ahmedabad: ગુજરાતમાં સતત આગની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે અમદાવાદના ગુરુકુળ વિસ્તાર નજીક આવેલી ઈમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે. 15 જેટલા ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી રહ્યા છે.
ગુરૂકુળ વિસ્તારમાં લાગી આગ
અમદાવાદ: ગુરુકુળ વિસ્તારમાં સુભાષચોક પાસે આવેલ પૂર્વી ટાવરના 9મા માળે આગ લાગવાની ઘટના બની છે. ઘટનાનું કારણ ગેસનો બાટલો ફાટવાનું સામે આવ્યુ છે. ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. ફાયર વિભાગની 15 ગાડીઓ ઘટના સ્થળે છે આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ છે.#Amdavad #Fire pic.twitter.com/4ItuNn3Mm1
— The Gujarat Report (@TGujarat_Report) May 22, 2025
પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વી એપાર્ટમેન્ટમાં 8માં માળે એક ઘરમાં આગ લાગી છે. જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં એપાર્ટમેન્ટમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. જોકે બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીછે. હાલ ફાયરની 15 ટીમ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવાઈ રહ્યો છે.
આગ લાગવાનું કારણ અકબંધ
ઘરમાં એસી બ્લાસ્ટ અથવા ગેસ સિલિન્ડર બ્લાસ્ટના કારણે આગ લાગી હોય શકે છે. જોકે હજુ સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. કોઈ જાનહાનિ થઈ નથી. વારંવાર આવી આગની ઘટનાઓએ લોકોની બેદરકારી પણ દર્શાવે છે.
આ પણ વાંચો:
Indigo Flight: દિલ્હીથી શ્રીનગર જતું વિમાન તૂટ્યું!, જાણો શું થયું!
Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ
Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!
ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું આજે લોકાર્પણ, ડાકોર, કરમસદ સહિત આ સ્ટેશનનો સમાવેશ? | Railway station
જાપાનના કૃષિ મંત્રીએ ચોખા પર શું બોલ્યા કે રાજીનામું આપી દેવું પડ્યું? જાણો કારણ! | Taku Eto
Vadodara: સરકારી દવાખાનામાં આશાવર્કર પર બળાત્કારનો પ્રયાસ, કપડાં ફાડ્યા, સુરક્ષા પર સવાલો?
Bijnor: રુચિકા પ્રેમી શિવમને મળવા ગઈ પણ તે ક્યારેય ઘરે પાછી ન આવી!, પરિવારે શું કર્યો ખુલાસો!
UP: પ્રેમલગ્ન બાદ યુવક ગર્ભવતી પત્નીને ઘરે લઈ પહોંચ્યો, મળ્યો કરુણ અંજામ!, પત્નીની લાશ ખેતરમાંથી મળી
યોગી રાજમાં લોકોને ATM માં ઊંઘવાનો વારો કેમ આવ્યો?
પાકિસ્તાની સેનાએ પોતાના જ દેશના બાળકો પર ડ્રોન હુમલો કર્યો, 4ના મોત, શું છે કારણ? | Pakistan