
Ahmedabad News: અમદાવાદમાં એક પરણિતાએ નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. પરણિતાએ તેના 3 વર્ષના બાળકને લઈ નદીમાં કૂદીમાં કૂદી પડી હતી. ફાયર વિભાગની ટીમે બંન્ને જીવોને બચાવવા ઘણા પ્રયાસ હાથ ધર્યા હતા. છતાં બે જીંદગી બચી શકી નહી. હાલ આ મામલે પોલીસે બંને મૃતદેહ બહાર કઢાવી પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોઈને કોઈ કારણોસર મહિલાઓ આપઘાત કરી લે છે. ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટથી નિકોલની મહિલાએ પોતાના 3 વર્ષના દીકરા સાથે સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. મહિલા પોતાના પુત્રને દુપટ્ટા સાથે બાંધીને નદીમાં પડી હતી. આ વિશે જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ બંનેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતાં.
જો કે પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. અનુમાન છે કે મહિલાએ કોઈ પારિવારિક કારણોસર આપઘાત કર્યો હોય શકે. સાબરમતી વેસ્ટ પોલીસે મહિલા અને તેના દિકરાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.