Banaskantha: મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જતાં રોકવા MLA કાંતિ ખરાડીને કર્યા નજરકેદ, દાદાના બુલડોઝરનો ભારે વિરોધ?

  • Gujarat
  • February 9, 2025
  • 0 Comments

Banaskantha: ગુજરાત સરકાર ચારે કોરથી ઘરાઈ છે. કારણ કે દાદાના બુલડોઝરનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. યાત્રાધામ દ્વારકા બાદ અંબાજીમાં પણ દબાણ હટાવવાની કામગીરીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. એવામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજીમાં યોજાયેલા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવાના છે. ત્યારે  કોઈ વિરોધ ન થાય માટે દાંતાના ધારાસભ્યને નજરકેદ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને આજે નિવાસસ્થાન અમીરગઢ તાલુકાના ઘાંઘુ ખાતે પોલીસે નજરકેદ કર્યા છે. અંબાજીમાં  યોજાનારા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સંભવિત વિરોધ પ્રદર્શનને ટાળવા માટે તેમને નજરકેદ કરાયા હોવાની માહિતી મળી રહી છે.  મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને સવારથી જ ધારાસભ્યના નિવાસ સ્થાને તૈનાત કરાયા છે.

જાણવા મળી રહ્યું છે કે અંબાજીમાં ગત 29 જાન્યુઆરીએ રાત્રે રબારીવાસમાં બુલડોઝરી ફેરવી દઈ લોકોને ઘરવિહોણા કરી દીધા છે. 89 પરિવારોના ઘરોને તોડી પાડવામાં આવ્યા છે. સરકારે બાંહેધરી આપી છે કે આ લોકોને આવાસ યોજના હેઠળ ઘર આપવાાં આવશે. જો કે તમ છતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રીને અંબાજીમાં કાર્યક્રમ યોજવો ભારે પડી શકે છે. કારણે લોકોમાં સરકાર પ્રત્યે ભારે રોષ છે.

ધારાસભ્ય અને પોલીસ વચ્ચે થઈ હતી બોલાચાલી

ગઈકાલે 89 પરિવારોને વળતર આપવાના મુદ્દે એસપી સાથે ધારાસભ્યની બોલાચાલી થઈ હતી. આજે મુખ્યમંત્રીના 51 શક્તિપીઠના કાર્યક્રમમાં કાંતિ ખરાડીને આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. ધારાસભ્ય મુખ્યમંત્રીને કેટલાક મુદ્દે રજૂઆત કરવાના હતા. જો કે હવે નજરકેદ કરતાં શું થશે તે આવનારો સમય બતાવશે.

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sujalam Sufalam Canal Deodar Farmers Protest: 3 હજાર ક્યુસેકની સુજલામ સુફલામ નહેર કોરી, ખાલી નહેરમાં આંદોલન, ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી પાણી ન આપ્યું

  • June 30, 2026
  • 1 views
Sujalam Sufalam Canal Deodar Farmers Protest: 3 હજાર ક્યુસેકની સુજલામ સુફલામ નહેર કોરી, ખાલી નહેરમાં આંદોલન, ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી પાણી ન આપ્યું

Akal Takht Ultimatum: અકાલ તખ્તનો આદેશ, પંજાબ સરકારને બેઅદબી વિરોધી કાયદામાં સુધારા કરવા માટે એક મહિનાની મહોલત

  • June 30, 2026
  • 5 views
Akal Takht Ultimatum: અકાલ તખ્તનો આદેશ, પંજાબ સરકારને બેઅદબી વિરોધી કાયદામાં સુધારા કરવા માટે એક મહિનાની મહોલત

Tamil Nadu Politics: વિધાનસભામાં TVK નો દબદબો વધારવા વિજયની નવી વ્યૂહરચના, ગઠબંધન સહયોગીઓ પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી

  • June 30, 2026
  • 4 views
Tamil Nadu Politics: વિધાનસભામાં TVK નો દબદબો વધારવા વિજયની નવી વ્યૂહરચના, ગઠબંધન સહયોગીઓ પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી

Ram Mandir Donation Scam: રામ મંદિર દાનમાં કરોડોનું કૌભાંડ, ટ્રસ્ટની આંતરિક લડાઈએ ખોલી ભ્રષ્ટાચારની પોલ!

  • June 30, 2026
  • 10 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાનમાં કરોડોનું કૌભાંડ, ટ્રસ્ટની આંતરિક લડાઈએ ખોલી ભ્રષ્ટાચારની પોલ!

BJP Leadership Strategy: ભારતીય યુવાનો અને Gen Z પર ભાજપ અધ્યક્ષનું નિવેદન, ‘અમારા યુવાનો અરાજકતામાં નહીં, પણ રાષ્ટ્ર નિર્માણમાં વિશ્વાસ રાખે છે’

  • June 30, 2026
  • 7 views
BJP Leadership Strategy: ભારતીય યુવાનો અને Gen Z પર ભાજપ અધ્યક્ષનું નિવેદન, ‘અમારા યુવાનો અરાજકતામાં નહીં, પણ રાષ્ટ્ર નિર્માણમાં વિશ્વાસ રાખે છે’

Bhagirath Chaudhary Subsidy Controversy: ભાગીરથ ચૌધરીની 99 લાખની સબસિડીનો વિવાદ, કોંગ્રેસે ગણાવી ‘ખુલ્લી લૂંટ’

  • June 30, 2026
  • 7 views
Bhagirath Chaudhary Subsidy Controversy: ભાગીરથ ચૌધરીની 99 લાખની સબસિડીનો વિવાદ, કોંગ્રેસે ગણાવી ‘ખુલ્લી લૂંટ’