Ahmedabad plane crash: 242 થી માત્ર 1 વ્યક્તિ જીવિત બચી

Ahmedabad plane crash:  આજે, 12 જૂન 2025ના રોજ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાનું વિમાન AI-171 (બોઈંગ 787 ડ્રીમલાઈનર) ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ હતા, જેમાં 2 બાળકો હતા. જેમાંથી માત્ર 1 જ વ્યક્તિ જીવિત બચી હોવાનું જાણવા મળી રહ્યું છે.  અહેવાલો અનુસાર આ ક્રેશ થયેલા પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી પણ સવાર હતા. જેમનું પણ મોત થયું છે.

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી, અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું છે. મોદી અને શાહ ગુજરાત આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું વિજય રુપાણી આપણે વચ્ચે રહ્યા નથી. જે બધા મિત્રો રહ્યા નથી. તે દુઃખદ ઘટના છે. તેમના પરિવારોને સાંત્વના. સાથે સાથે કહ્યું જેના પર પ્લેન પડ્યું તે ડોક્ટર ખૂબ ઈજાગ્રસ્ત થયા છે. ઘણાના મોત થયા છે.

3 મેડિકલ વિદ્યાર્થીઓના મોત

મેડિકલ એસોસિએશનનું કહેવું છે કે દુર્ઘટનામાં 3 મેડિકલ વિદ્યાર્થીઓના મોત થયા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પુષ્ટિ આપી છે કે આજે અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ત્રણ MMBS વિદ્યાર્થીઓ હતા. લગભગ 45 વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની હાલત સ્થિર છે. અમદાવાદ પોલીસે અગાઉ પુષ્ટિ કરી હતી કે આ દુ:ખદ ઘટનામાં અત્યાર સુધીમાં 204 લોકોના મોત થયા છે.

એક મુસાફરનો બચાવ

Image

અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં એક મુસાફર બચી ગયો છે,  “પોલીસને સીટ 11A માં એક જીવિત વ્યક્તિ મળી આવી. એક જીવિત વ્યક્તિ હોસ્પિટલમાં મળી આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક વિશે હજુ કંઈ કહી શકાય નહીં. ફ્લાઇટ રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે,”

ઇઝરાયલના વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ દુ:ખદ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. “મારા મિત્ર, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના લોકો, મને એર ઇન્ડિયાના દુ:ખદ અકસ્માત વિશે જાણીને દુઃખ થયું, જેમાં 242 પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના જીવ ગયા. મારા વિચારો અને પ્રાર્થનાઓ મૃતકોના પરિવારો સાથે છે,”

આ પણ વાંચો:

કોંગ્રેસે રાજેન્દ્ર પાલ ગૌતમને સોંપી મોટી જવાબદારી, AAP પાર્ટી કેમ છોડવી પડી?

Ahmedabad plane crash: વિમાન ડોક્ટર્સની હોસ્ટેલ પર ક્રેશ થયું, ઇમારત પર ફસાયેલો દેખાયો

Ahmedabad plane crash: અમદાવાદ પોલીસે જાહેર કર્યો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર, જાણો અત્યાર સુધીની અપડેટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ કર્યું ટ્વિટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

Ahmedabad plane crash: ઉડાન ભરતાની સાથે 2 મીનીટમાં જ પ્લેન થયું ક્રેશ, વિમાનનું કમાન્ડિંગ કોણ કરી રહ્યા હતા ?

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના પર એર ઇન્ડિયાનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

મોદી મિત્ર ટ્રમ્પે આર્મી ડે સેલિબ્રેશનમાં પાકિસ્તાનના આસિફ મુનિરને આમંત્રિત કેમ કર્યા? America invited Pakistan

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

 Donald Trump Vs Elon Musk: એલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચે સીઝફાયર!, શબ્દયુદ્ધ રોકાયું, મસ્ક ઢીલા પડ્યા

કેટલાક દેશોને ગમશે નહીં, પરંતુ પાકિસ્તાન પાસે ખૂબ જ મજબૂત નેતૃત્વ છે : Donald Trump

જામગનરમાં 1 લાખની લાંચ લેતા POLICE પકડાયો, PSI અને રાઈટર ફરાર

ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનમાં ED ના દરોડા, 2700 કરોડની છેતરપિંડી મામલો

 

 

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ