
Ahmedabad Plane Crash:ગત 12 જૂનના રોજ અમદાવાદના મેધાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું લંડન જઈ રહેલું વિમાન AI171 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુ:ખદ ઘટનામાં મૃત્યુ પામેલા 31 વ્યક્તિઓના ડીએનએ સેમ્પલની ઓળખ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, અને અત્યાર સુધીમાં 12 મૃતદેહ તેમના પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવ્યા છે. આ માહિતી અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે આજે સવારે 9:00 વાગ્યે યોજાયેલી મીડિયા બ્રીફિંગ દરમિયાન આપી હતી.
અત્યાર સુધી કુલ 31 મૃતકોનાં DNA સેમ્પલ થયા મેચ
ડો. રજનીશ પટેલે જણાવ્યું કે, ડીએનએ સેમ્પલ મેચ થયેલા મૃતદેહોને પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા ચાલુ છે, જેમાં સંપૂર્ણ સન્માન અને સંવેદનશીલતા જળવાઈ રહી છે. આ પ્રક્રિયાને વધુ સરળ અને સહાનુભૂતિપૂર્ણ બનાવવા માટે રાજ્ય સરકારે દરેક મૃતકના પરિવાર માટે એક અલગ ટીમ ગઠિત કરી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે, જેઓ પરિવારજનોને ભાવનાત્મક અને વહીવટી સહાય પૂરી પાડે છે.
વિજય રૂપાણીના DNA હજુ મેચ થયા નથી
સિવિલ હોસ્પિટલ તરફથી વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, હજુ સુધી પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના DNA મેચ થયા નથી. સતત તેમના ડીએમએ મેચ કરવાની પ્રોસેસ ચાલી રહી છે. બીજી તરફ તેમની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેથી અમદાવાદમાં DNA મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેમના મુતદેહને રાજકોટ પહોંચશે. જેથી રાજકોટના નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજય રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારી કરવામાં આવી છે.
આ પણ વાંચો:
Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા
Dhubri violence:’જોતાં જ ગોળી મારવાનો આદેશ’, આસામના ધુબરીમાં પરિસ્થિતિ વધુ વણસી
Ahmdedabad Plane Crash: 15 સફાઈ કર્મચારીઓ લાપતા, 19 મૃતદેહોની નથી થઈ ઓળખ
Israel Iran War: ઈરાને રાતોરાત ઈઝરાયલમાં મચાવી તબાહી, અનેક શહેરોમાં વિસ્ફોટ, જાણો કેટલું નુકસાન થયું
Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ
Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video