Ahmdedabad Plane Crash: ભાઈને શોધવા આવેલ યુવકે કહ્યું- ‘મારા ભાઈનો ફોન ઓન, તે હજુ પણ જીવીત હશે’

  • India
  • June 13, 2025
  • 0 Comments

Ahmdedabad Plane Crash: અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી 241 ના મોત થયા હતા. વિમાનમાં સવાર માત્ર એક જ વ્યક્તિ જીવીત બચ્યો છે ત્યારે અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારો ખૂબ જ ખરાબ હાલતમાં છે. તેમણે જે લોકોને થોડા કલાકોમાં સુરક્ષિત રીતે વિદાય આપી હતી તેઓ હવે આ દુનિયામાંથી ચાલ્યા ગયા છે. તેમાં જાવેદનો પરિવાર પણ હતો. જાવેદ તેના બે નાના માસૂમ બાળકો અને તેની પત્ની સાથે લંડન જઈ રહ્યો હતો અને આ અકસ્માતનો ભોગ બન્યો. આ અકસ્માતમાં ચારેયના મોત થયા હતા.

વિમાન દુર્ઘટનામાં NRI નો આખો પરિવાર હોમાયો

મળતી માહિતી મુજબ, મૂળ મુંબઈના રહેવાસી જાવેદ અલીના આખા પરિવારનું આ અકસ્માતમાં મોત થયું હતું. જાવેદ અલી લંડનથી મુંબઈ આવ્યો હતો અને તેની માતાની સારવાર કરાવીને લંડન જઈ રહ્યો હતો. ત્યારે વિમાન દુર્ઘટનામાં જાવેદ અલી (37 વર્ષ), તેમની પત્ની મરિયમ અલી (35વર્ષ) અને બે બાળકોનું મોત થયું હતું. જાવેદના આઠ વર્ષના પુત્ર ઝયાન અલી અને ચાર વર્ષની પુત્રી અમીન અલીએ પણ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત બાદ પરિવારમાં શોકનો માહોલ છે.

ભાઈને શોધવા આવેલ યુવકે શું કહ્યું ? 

તેમના ભાઈ ઈમતિયાઝ અલીએ લલ્લન ટોપ સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, બધા એવું કહે છે કે, બોડી બધાની સળગી ગઈ છે. કોઈનો ચહેરો ઓળખાતો નથી પરંતુ બોડી જોઈ લઈશું તો દિલને ઠંડક મળી જશે, તે ભાઈ છે મારો, હું ડીએનએ ટેસ્ટ માટે આવ્યો છું પરંતુ મને હજુ પણ એવું થાય છે કે, બીજી કોઈ હોસ્પિટલ હોય તો તેમાં પણ જઈને જોઈ આવું કે હકીકતમા આવું થયું છે કેમકે મારા માન્યામાં નથી આવતું.

વધુમાં તેમણે કહયું કે, હું તેને મેસેજ કરી રહ્યો છું. આમ કહીને તેમને કેમેરાની સામે જ મેસેજ કરીને બતાવ્યો જે મેસેજ ડબલ ટીક થયો. ભાઈનું મન નથી માનતું. જો કે તેમના ભાઈના છેલ્લા સીસીટીવી ફોટા સમાચારમાં આવ્યા હતા તેમાં તેઓ દેખાતા હતા. બોડી મળી નથી એટલા માટે તેઓ જીવીત હોય તેવું લાગે છે.

આ પણ વાંચો:

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

Air india Flight : 156 મુસાફરો સાથે થાઇલેન્ડથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુઆંક 297 પર પહોંચ્યો, જાણો અત્યાર સુધીની અપડેટ

Vijay Rupani: પહેલી કારથી લઈને વર્ષો જૂના સ્કૂટર સુધી, ’12’ નંબર… વિજય રૂપાણી માટે લકી નંબર જ બન્યો અપશુકનિયાળ

  • Related Posts

    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા
    • June 15, 2025

    Maharashtra Pune, Indrayani river bridge Collapsed: મહારાષ્ટ્રના પૂણેમાં આવેલા પિંપરી ચિંચવાડમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો. ઘટના સમયે ઘટનાસ્થળે ભારે ભીડ હતી અને પ્રારંભિક માહિતી મુજબ 20 થી 25…

    Continue reading
    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!
    • June 15, 2025

    Adani’s Haifa port attack: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો છે. શનિવારે ઈરાને ઈઝરાયલના દરિયાકાંઠાના શહેર હાઈફાને નિશાન બનાવીને અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. હાઈફા ઈઝરાયલનું એક…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    • June 15, 2025
    • 16 views
    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    • June 15, 2025
    • 17 views
    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    • June 15, 2025
    • 22 views
    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    • June 15, 2025
    • 12 views
    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    • June 15, 2025
    • 31 views
    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

    • June 15, 2025
    • 18 views
    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ