
Ahmedabad plane crash: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગયું. આ વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત 242 લોકો સવાર હતા. અકસ્માત બાદ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચેલી રાહત અને બચાવ ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ક્રેશ થયેલા વિમાનમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. ત્યારે સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, આ દુર્ઘનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. જાણકારી મુજબ વિજય રુપાણીના પત્ની અંજલિ રુપાણી લંડનથી પરત આવવા માટે રવાના થયા છે. તેઓ 10 તારીખે લંડન ગયા હતા.
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વિજય રૂપાણીનું નિધન
આ પ્લેન દુર્ઘટનામાં પરિમલ નથવાણીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. જો કે હાલ તેમણે આ ટ્વિટ ડિલેટ કરી છે. આ મામલે હજુ સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
વિમાન દુર્ઘટના પછી, આ ફ્લાઇટના મુસાફરોની યાદી પણ સામે આવી છે. એર ઇન્ડિયાના ક્રેશ થયેલા વિમાન (ફ્લાઇટ નંબર AI 171) માં કુલ 230 મુસાફરો હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ આ ફ્લાઇટના મુસાફરોની યાદીમાં છે. વિજય રૂપાણીનું નામ મુસાફરોની યાદીમાં 12મા ક્રમે છે અને તેમનો સીટ નંબર 2D છે.
વિજય રૂપાણી લંડન જઈ રહ્યા હતા
વિજય રૂપાણી લંડન જઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ, આ વિમાને અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી રાત્રે 1:38 વાગ્યે લંડન માટે ઉડાન ભરી હતી, આ વિમાન એરપોર્ટની સીમા પણ પાર કરી શક્યું ન હતું. એર ઇન્ડિયાનું આ વિમાન રાત્રે 1:40 વાગ્યે ક્રેશ થયું હતું અને અમદાવાદનું આકાશ ધુમાડાથી છવાયું હતું.
અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર કરી વાત
ગૃહમંત્રી અમિત શાહે અકસ્માત અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી છે. રાહત અને બચાવ માટે સાતથી આઠ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય આપત્તિ બચાવ દળ (NDRF) ની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. અમદાવાદની તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો:
UP NEWS: સોનમ પાર્ટ- 2, પતિની હત્યા કરી નદીમાં ફેંકી દીધો મૃતદેહ, આવી રીતે ઉકેલાયો હત્યાનો ભેદ
La Curfew: ટ્રમ્પની ઇમિગ્રેશન કડક કાર્યવાહીનો લોસ એન્જલસમાં ઉગ્ર વિરોધ, કર્ફ્યુ લાગુ
ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનમાં ED ના દરોડા, 2700 કરોડની છેતરપિંડી મામલો
UP NEWS: સોનમ પાર્ટ- 2, પતિની હત્યા કરી નદીમાં ફેંકી દીધો મૃતદેહ, આવી રીતે ઉકેલાયો હત્યાનો ભેદ
Raja Raghuvanshi Case: પોલીસ સોનમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે, રાત્રે જ મેડિકલ તપાસ કરાઈ
Gujarat Weather News: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે છુટાછવાયા વરસાદની આગાહી