Ahmedabad: સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલો, બેદરકારી બદલ શાળા સામે ફરિયાદ નોંધાશે!, જાણો વધુ

Ahmedabad Student Murder Case: અમદાવાદની ખોખરાની સેવન્થ ડે હાઇસ્કૂલ હત્યા મામલે ક્રાઇમ બ્રાંચે બે સગીર આરોપીની અટકાયત કરી છે. આ કેસની તપાસમાં હત્યા કરનાર વિદ્યાર્થીએ કટરનું કીચેઇન બનાવી લીધું હતું અને તે એક વર્ષથી પોતાની પાસે રાખતો હોવાની વાત સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચે 24 કલાકની તપાસ દરમિયાન સ્કૂલના પ્રિન્સિપાલ સહિત સ્ટાફનાં નિવેદનો લીધાં છે.  આ ઉપરાંત સિક્યોરિટી ગાર્ડ્સ અને ઘટનાને નજરે જોનારાઓના અને મૃતક વિદ્યાર્થીનાં પરિવારજનો મળી કુલ 15 લોકોનાં નિવેદન લેવામાં આવ્યાં છે.

ઇજાગ્રસ્ત વિદ્યાર્થી બહારથી ચાલતો સ્કૂલમાં આવે છે અને પગથિયાં પર બેસી ગયો હતો એ CCTV કેમેરાના ફૂટેજમાં દેખાય છે. આ બાબતે પણ ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે.

19 ઓગસ્ટ, 2025ના રોજ રોજ ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં નયન સતાની પર તેની સાથે ભણતાં વિદ્યાર્થીએ જ ફોલ્ડેબલ બોક્સ કટર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં નયનને પેટમાં ગંભીર ઈજા થઈ હતી, અને તે લોહીલુહાણ હાલતમાં શાળાના પગથિયાં પર બેસી ગયો. શાળાના CCTV ફૂટેજમાં નયન બહારથી ચાલીને આવતો અને પગથિયાં પર બેસી જતો નજરે પડ્યો, પરંતુ હત્યાની ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ન હતી, જે શાળાની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્ન ઉભો કરે છે.

ઘટના બાદ શાળાએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવાને બદલે પાણીનું ટેન્કર મગાવીને લોહીના ડાઘ ધોવાનો પ્રયાસ કર્યો, જેને પોલીસે પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. લગભગ 30 મિનિટના વિલંબ બાદ નયનને સરદાર પટેલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં 3 કલાકની સર્જરી છતાં 20 ઓગસ્ટે તેનું મૃત્યુ થયું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું થયા ખુલાસા?

સરદાર પટેલ હોસ્પિટલમાં 8 ડૉક્ટરોની ટીમ, જેમાં 4 સર્જનનો સમાવેશ હતો, દ્વારા કરવામાં આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગંભીર ઈજાઓની વિગતો સામે આવી. નયનના પેટમાં બહારથી માત્ર 1.5 સેન્ટિમીટરનો ઘા દેખાતો હતો, પરંતુ આંતરિક તપાસમાં જાણવા મળ્યું કે શરીરને લોહી પહોંચાડતી મહાધમની અને શરીરમાંથી લોહી એકઠું કરતી મહાશીરા કપાઈ ગઈ હતી. આને કારણે પેટમાં 2.5 લિટર લોહી જમા થયું હતું. આ ઉપરાંત, આંતરડામાં ચાર કાણાં પડ્યાં હતાં અને એક સ્થળે આંતરડું ફાટી ગયું હતું. આ ગંભીર ઈજાઓને કારણે હૃદય, કિડની અને મગજ જેવા મહત્વના અંગોને પૂરતું લોહી ન મળ્યું, જેના પરિણામે હાઇપોવોલેમિક શોક (અતિશય રક્તસ્ત્રાવથી શરીરની કામગીરી અવરોધાવી) થયો અને નયનનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે. હોસ્પિટલમાં 3 કલાકની સર્જરી દરમિયાન ડૉક્ટરોએ નળીઓને ટાંકા લગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અતિશય આંતરિક રક્તસ્ત્રાવને કારણે તેને બચાવી શકાયો નહીં.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં ઝડપી તપાસ હાથ ધરી અને 24 કલાકની અંદર 15 લોકોના નિવેદનો લીધા, જેમાં શાળાના પ્રિન્સિપાલ ડૉ. જી. ઇમેન્યુઅલ, શિક્ષકો, સિક્યોરિટી ગાર્ડ્સ, ઘટનાના સાક્ષીઓ અને મૃતકના પરિવારજનોનો સમાવેશ થાય છે. તપાસમાં જાણવા મળ્યું કે શાળાની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામીઓ હતી. આરોપી વિદ્યાર્થી એક વર્ષથી ફોલ્ડેબલ બોક્સ કટરને કીચેનના રૂપમાં પોતાની પાસે રાખતો હતો, અને શાળાના સિક્યોરિટી ગાર્ડ્સ કે સ્ટાફે આ હથિયારની નોંધ લીધી ન હતી. આ ઉપરાંત, શાળાએ ઘટના બાદ તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં નિષ્ફળતા દાખવી, અને લોહીના ડાઘ ધોવાનો પ્રયાસ કરીને પુરાવા નષ્ટ કરવાનો આરોપ પણ લાગ્યો છે. આ બેદરકારીને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાન્ચે શાળા સામે ફરિયાદ નોંધવા માટે કોર્ટની મંજૂરી માગી છે, જેનો નિર્ણય આગામી દિવસોમાં આવે તેવી શક્યતા છે.

લોહીના ડાઘ ધોવાના આરોપની ચકાસણી

શાળાના CCTV ફૂટેજમાં નયન લોહીલુહાણ હાલતમાં શાળામાં પ્રવેશીને પગથિયાં પર બેસી જતો દેખાય છે, પરંતુ હત્યાની ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ નથી. આ બાબતે ક્રાઈમ બ્રાન્ચે શાળાની સુરક્ષા વ્યવસ્થા અને CCTV કેમેરાના કવરેજની તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ ઘટનાસ્થળ પરથી પુરાવા એકત્રિત કરી રહી છે, ખાસ કરીને શાળા દ્વારા લોહીના ડાઘ ધોવાના આરોપની ચકાસણી માટે. FSLનો રિપોર્ટ આ કેસમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.

ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં બે સગીર વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. મુખ્ય આરોપી, જે ધોરણ 10નો વિદ્યાર્થી છે, તેણે ફોલ્ડેબલ બોક્સ કટરનો ઉપયોગ હત્યા માટે કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી એક વર્ષથી આ હથિયારને કીચેનના રૂપમાં પોતાની પાસે રાખતો હતો, અને શાળાના સ્ટાફે આ બાબતે કોઈ નોંધ લીધી ન હતી. આરોપીની પૂછપરછમાં હત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ ક્રાઈમ બ્રાન્ચ આ દિશામાં તપાસ ચાલુ રાખી રહી છે.

શાળા સામે ફરિયાદ નોંધાશે

ક્રાઈમ બ્રાન્ચે શાળાની બેદરકારી અને પુરાવા નષ્ટ કરવાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને શાળા સામે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે કોર્ટની મંજૂરી જરૂરી છે, જેની રાહ જોવાઈ રહી છે. શાળાના પ્રિન્સિપાલ અને વહીવટી અધિકારીઓની ભૂમિકા પણ તપાસના દાયરામાં છે. જો કોર્ટ મંજૂરી આપશે, તો શાળા સામે ગુનાહિત બેદરકારી અને પુરાવા નષ્ટ કરવાના આરોપ હેઠળ કેસ નોંધાશે.

આ પણ વાંચો:

Ahmedabad: સેવન્થ ડે સ્કૂલ પર ફરી સ્થિતિ બેકાબૂ, પોલીસનો લોકો પર લાઠીચાર્જ, ભારે વિરોધ

T.N. Seshan: હું ‘ભારત સરકાર’નો નહીં, ‘ભારત’નો મુખ્ય ચૂંટણી કમિશનર છું, ચૂંટણીકાર્ડ લાવનાર ટી.એન શેષનને આવું કેમ કહ્યું હતુ?

Lipulekh Dispute: લિપુલેખ વિવાદ શું છે?, જેના પર ભારત-નેપાળ ફરી આમને સામને આવી ગયા?

Ahmedabad: ભ્રષ્ટાચારના પ્રતિકનું પતન, ખોખરા બ્રિજ તોડવાનું શરું, જુઓ

 

Related Posts

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!
  • June 17, 2026

Morbi Farmers Hunger Strike: મોરબીના ખેડૂતો ફરી એકવાર અન્યાય સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. જેતપર ગામે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોએ સરકારી દમન અને કોર્પોરેટ કંપનીઓની દાદાગીરી સામે ‘આંદોલન…

Continue reading
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
  • June 17, 2026

Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 2 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

  • June 17, 2026
  • 5 views
UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 9 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 5 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 11 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 14 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ