
Ahmedabad: અમદાવાદ સહિત ગુજરાતમાં દિવસે દિવસે અસમાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે હવે તંત્રએ આવા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે. અસમાજિક તત્વોની માહિતી આપવા નંબર પણ જાહેર કરાયો છે. ગુજરાતના ગુંડાઓનું લિસ્ટ પણ બનાવ્યું છે. હવે અમદાવાદમાં અસાજિક તત્વોએ ગેરકાયદેસર રીતે બાંધેલા મકાનો તોડી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
પોલીસે લાલ આંખ બતાવી છે. વસ્ત્રાલ અને સરખેજ, શાહીબાગ જેવા વિસ્તારોમાં ગુનેગારોના મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. શાહીબાગ વિસ્તારમાં કુખ્યાત કિશોર લંગડાના પુત્ર દિલીપ રાઠોડનું રોડ પરનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે. દિલીપ રાઠોડ શાહીબાગ વિસ્તારમાં કુખ્યાત લિસ્ટેડ બુટલેગર છે. આજ રીતે વડોદરામાં પણ કામગીરી ચાલી રહી છે.
અમદાવાદના વસ્ત્રાલમાં 3 આરોપીઓના ઘર તોડી પાડવામાં આવ્યા
વસ્ત્રાલમાં થયેલી તોડફોડની ઘટનામાં સામેલ ત્રણ મુખ્ય આરોપીઓ રાજવીરસિંહ બીહોલા, શ્યામ કાબલે અને અલકેશ યાદવના ગેરકાયદે મકાનોને પણ જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અમરાઈવાડી, ખોખરા, ઘનશ્યામ નગર, કુકુભાઈની ચાલી, લવજી દરજીની ચાલી અને સત્ય નારાયણ નગર જેવા વિસ્તારોમાં પણ આવા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું છે.
આરોપીઓના ઘર પર બૂલડોઝર ફેરવવા પર સુપ્રિમે શું કહ્યું હતુ?
સુપ્રીમ કોર્ટે એક અરજીકર્તાની સુનાવણી દરમિયાન દેશભરમાં આરોપીઓ સામે બુલડોઝર કાર્યવાહીના મામલામાં કહ્યું હતુ કે જો કોઈ વ્યક્તિ ફક્ત આરોપી હોય તો મિલકત તોડી પાડવાની કાર્યવાહી કેવી રીતે કરી શકાય? જસ્ટિસ વિશ્વનાથન અને જસ્ટિસ બીઆર ગવઈની બેન્ચે કહ્યું, “જો કોઈ દોષિત હોય તો પણ આવી કાર્યવાહી કરી શકાતી નથી.”
આ પણ વાંચોઃ Gandhinagar: હડતાળ પર ઉતરેલા આરોગ્યકર્મીઓ CMને મળવા ગાંધીનગરમાં, આરોગ્યમંત્રીએ કહ્યું માંગ ગેરવ્યાજબી
આ પણ વાંચોઃ UP News: મહિલાનો પ્રાઈવેટ પાર્ટ પકડી નાડુ તોડવું બળાત્કારની કોશિશ નથી: હાઈકોર્ટનો ન્યાય
આ પણ વાંચોઃ Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો