AI: ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ જીવિત કે ગુજરી ગયા તે અંગે અટકળો હજુપણ યથાવત છે.હાલ ચાલી રહેલા યુદ્ધના માહોલમાં એક ભારતીય મૂળના પત્રકારે ઈઝરાયેલમાં એક એવી જગ્યા બતાવવાનો પ્રયાસ કર્યો કે ત્યાં ઇરાનના હુમલા બાદ તે જગ્યા ખંડેર થઈ ગઈ હતી અને આ જગ્યાએ નેતન્યાહુની મિટિંગ હોવાનું કહેવાતું હતું દરમિયાન આ પત્રકારની અટકાયત કરી લેવાઈ કારણ કે ઈઝરાયેલમાં પત્રકારોએ ત્યાંની સરકાર કહે તેટલુંજ બતાવવું પડે છે અને ત્યાં કોઈપણ નાગરિક વિડીયો બનાવી અપલોડ કરી શકતા નથી તેથી સાચી માહિતી સામે આવતી નથી.દરમિયાન,નેતન્યાહુ 14 માર્ચના રોજ એક મહત્વપૂર્ણ સુરક્ષા બેઠકમાં ગેરહાજર રહ્યા હોવાથી તેમની સુરક્ષાને લઈને સોશિયલ મીડિયા પર અટકળો શરૂ થઈ હતી અને તેઓનું મોત થયાની વાતો વહેતી થઈ.
ત્યારબાદ નેતન્યાહુનો એક વિડીયો સામે આવ્યો જેમાં તેઓ સ્વસ્થ હોવાનું દેખાડવામાં આવ્યું પણ આ વીડિયો નકલી હોવાનો સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમનો વીડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું (કારણ કે કેટલાક યુઝર્સે તેમના હાથમાં 6 આંગળીઓ હોવાનું જણાતું હતું ) જોકે, ઇઝરાયેલી વડા પ્રધાનના કાર્યાલયે આ તમામ અહેવાલોને “ફેક ન્યૂઝ” ગણાવીને ફગાવી દીધા છે. ભારતમાં ઇઝરાયેલના રાજદૂત રુવેન અઝારે પણ સ્પષ્ટ કર્યું છે કે વડા પ્રધાન નેતન્યાહુ જીવિત અને સુરક્ષિત છે.
નેતન્યાહુએ પોતે વીડિયો સંદેશ દ્વારા પુષ્ટિ કરી છે કે તેઓ સુરક્ષિત છે.નેતન્યાહુએ 15 માર્ચ 2026 ના રોજ એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં તેઓ કોફી પીતા જોવા મળ્યા હતા અને વ્યંગાત્મક રીતે કહ્યું હતું કે,”હું મરી ગયો છું… કોફી માટે”.જોકે આ વિડીયો પણ AI હોવાનું કહેવામાં આવી રહ્યું છે.અને જેકેટમાં હાથ નાખતી વખતે જેકેટનું પોકેટ પહેલેથી જ ખુલે છે અને છલોછલ કોફીનો ભરેલો મગ છલકાતો નથી કે કોફીની ઘૂંટ માર્યા પછી કોફી ઓછી થતી નથી.આમ આ વીડિયો પણ નકલી હોવાનો યુઝર્સ દાવો કરી રહયા છે.આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પ-નરેન્દ્ર મોદી વિશે ચાલી રહેલી અટકળો અને દેશમાં ગેસની કટોકટી અંગે સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે વિસ્તારથી છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ.પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









