બધી કોંગ્રેસની ભૂલ છે, નેપાળ આજે ભારતનું અંગ હોત તો… ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરીનું નિવેદન | Nepal

  • India
  • September 11, 2025
  • 0 Comments

ભારતના પાડોશી દેશ નેપાળ( Nepal)માં વિરોધ પ્રદર્શન અને હિંસા વચ્ચે વડા પ્રધાન કે.પી. ઓલીએ રાજીનામું આપી વિદેશ ભાગી ગયા છે. ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ પોલીસે ગોળીબાર કર્યા બાદ હિંસક વળાંક લીધો. નેપાળની સંસદ, નેતાઓના ઘરો, સરકારી કચેરીઓ અને ખાનગી મિલકતોને પણ પ્રદર્શનકારીઓએ ફૂકી મારી. આ પછી નેપાળ સેનાએ સુરક્ષાની કમાન સંભાળી છે. જો કે તેમ છતાં સ્થિતિ કાબૂમાં આવી રહી નથી. આ સમગ્ર ઘટના અંગે નેપાળને અડીને આવેલા ભારતીય રાજ્ય બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી તરફથી મોટું નિવેદન આવ્યું છે. સમ્રાટ ચૌધરીએ નેપાળમાં થયેલી હિંસા માટે કોંગ્રેસની ભૂલ જવાબદાર ગણાવી છે. ચાલો જાણીએ કે તેમણે આવું કેમ કહ્યું.

સમ્રાટ ચૌધરીએ શું કહ્યું?

નેપાળની પરિસ્થિતિ અંગે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું, “આ બધું કોંગ્રેસની ભૂલ છે. અરાજકતા એટલા માટે થઈ રહી છે કારણ કે કોંગ્રેસે આ દેશોને અલગ કરી દીધા છે. જો નેપાળ આજે ભારતનો ભાગ હોત તો નેપાળમાં શાંતિ, સમૃધ્ધિ અને ખુશી હોત.” નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ વધુમાં કહ્યું “લોકોમાં અસંતોષ છે, પરંતુ અરાજકતા ન હોવી જોઈએ. મેં કહ્યું હતું કે જો નેપાળ આજે ભારતનો ભાગ હોત, તો નેપાળ પણ સમૃદ્ધ હોત. જો પાકિસ્તાન ભારતનો ભાગ હોત, તો તે આજે ભારતની સાથે સમૃદ્ધ હોત. હું સ્પષ્ટ કરી રહ્યો છું કે આ કોંગ્રેસની ભૂલ છે, જેના કારણે આપણે આ બધું સહન કરવું પડી રહ્યું છે.”

‘સમય આવી ગયો છે…’

બિહાર નેપાળ સાથે સરહદ ધરાવે છે. પીટીઆઈ અનુસાર, રાજ્યના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ સ્પષ્ટપણે કહ્યું છે કે કોંગ્રેસની આ ભૂલોને કારણે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયા રાજકીય અને આર્થિક અસંતુલનનો સામનો કરી રહ્યું છે. સમ્રાટ ચૌધરીએ એમ પણ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે જનતા આ ઐતિહાસિક સત્યને સમજે અને કોંગ્રેસની નીતિઓને જવાબદાર ઠેરવે.

આ પણ વાંચો:

નેપાળમાં થયેલા હિંસક પ્રદર્શનોથી ભારત સરકારે શું શીખવું જોઈએ? | Nepal | India

Nepal Protest: નેપાળના પૂર્વ PM અને નાણામંત્રીને યુવાનોએ દોડાવી દોડાવીને માર્યા, જાણો અત્યારે કેવી છે સ્થિતિ?

Viral Video: ‘મોદી સરકાર ભારતમાં હિંદુ રાષ્ટ્ર બનાવી શકતી નથી, તો નેપાળમાં કેમ દબાણ કરે છે?’

UP: એક ઘરમાંથી 4 લાશ નીકળી, માતાએ 3 પુત્રીને કાયમ માટે ઊંગાડી દીધી, પછી પોતે…

MP: પત્નીના વાંધાજનક ફોટા જોઈ ના શક્યો CRPF જવાન, પોતાને જ મારી દીધી ગોળી, મિત્ર જ પત્નીને હેરાન કરતો

Gujarat: ભાજપની ચાર સરકારોએ મજૂરોનું કલ્યાણ કરવાને બદલે બિલ્ડરોને ફાયદો કરાવ્યો

 

 

 

 

 

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 3 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 3 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 3 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 5 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 7 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!