કોર્ટે રેપ કેસની પિડીતાને જ ગણાવી જવાબદાર, આરોપી યુવકને આપ્યાં જામીન

  • India
  • April 10, 2025
  • 0 Comments
  • બારમાં મળેલા યુવકે ગુડગાંવમાં સંબંધીના ઘરે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હોવાનો યુવતિનો આક્ષેપ.
  • યુપીના નોઇડાની યુનિવર્સિટીની ત્રણ વિદ્યાર્થિનીઓ દિલ્હીના એક બારમાં ગઈ હતી.

UP Rape Case । સપ્ટેમ્બર 2024માં યુપીના નોઇડાની એક પ્રસિદ્ધ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ આક્ષેપ કર્યો હતો કે, દિલ્હીના બારમાં મળી ગયેલાં યુવકે નશો કર્યા બાદ તેની સાથે અશ્લિલ ચેનચાળા કર્યા હતાં. તેમજ આરામ કરવાના નામે ગુડગાંવના સંબંધીના ફ્લેટ પર લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં અલ્હાબાદ કોર્ટે પિડીતા યુવતિને જ જવાબદાર ગણાવી છે અને 11 ડિસેમ્બર 2024થી જેલમાં બંધ આરોપી યુવકના જામીન મંજુર કર્યા છે.

સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો એવી છે કે, ઉત્તર પ્રદેશના નોઇડાની એક પ્રસિદ્ધ યુનિવર્સિટીની ત્રણ વિદ્યાર્થિનીઓ દિલ્હીના એક બારમાં ગઈ હતી. બારમાં વિદ્યાર્થિનીઓને કેટલાંક પરિચિત યુવક મળ્યાં જેમાં આરોપી યુવકનો પણ સમાવેશ થતો હતો. પિડીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દારૂ પીધા બાદ તેને નશો થઈ ગયો હતો અને ત્યારે આરોપી તેની નજીક આવતો હતો.

સવારે 3 વાગ્યા સુધીમાં આરોપી યુવક યુવતિને સતત તેની સાથે ઘરે આવવા કહ્યું હતું. યુવકે ઘણીવાર વિનંતી કરતાં “આરામ” કરવા માટે પિડીતા વિદ્યાર્થિની તેની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ હતી. વિદ્યાર્થિનીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, રસ્તામાં યુવક તેને આપત્તિજનક રીતે સ્પર્શ કર્યા કરતો હતો. અને નોઇડામાં તેના ઘરે લઈ જવાને બદલે તેને ગુંડગાવમાં એક સંબંધીના ફ્લેટ પર લઈ ગયો હતો ત્યાં તેણે મંજૂરી વગર બળાત્કાર ગુજાર્યો હતો.

સપ્ટેમ્બર 2024માં રેપ કેસ નોંધાતા પોલીસે 11 ડિસેમ્બર 2024ના રોજ આરોપી યુવકને ઝડપી પાડ્યો હતો. અલ્હાબાદ કોર્ટમાં જજ સંજય કુમાર સિંહની બેંચ આ મામલે સુનાવણી કરી રહી હતી. કોર્ટ સમક્ષ જામીન અરજીમાં આરોપીએ જણાવ્યું હતું કે, યુવતિને મદદની જરૂરત હતી. એ જાતે જ તેની સાથે ઘર પર આરામ કરવા માટે તૈયાર થઈ ગઈ હતી.

યુવતિને સંબંધીના ફ્લેટ પર લઈ ગયા બાદ બે વાર બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ આરોપી યુવકે ફગાવી દેતાં જણાવ્યું હતું કે, બળાત્કાર નહોતો થયો પરંતુ, સહમતિથી બંનેએ સેક્સ માણ્યું હતું.

રેપ કેસ અંગે અલ્હાબાદ કોર્ટનું માનવું હતું કે, જો પિડીતાના આરોપો સાચે માનવામાં આવે તો પણ, એવા નિષ્કર્ષ પર પહુંચી શકાય છે કે, એણે જાતે જ આપદાને આમંત્રણ આપ્યું હતું. તે જાતે જ આના માટે જવાબદાર પણ છે.

ઉલ્લેખનિય છે કે, મેડિકલ તપાસમાં પિડીતાનું હાઈમન તૂટેલું મળ્યું હતું. પરંતુ, ડોક્ટરે યૌન હિંસાની કોઈ વિગતો અંગે રિપોર્ટ આપ્યો નહોતો.

કોર્ટનું કહેવું હતું કે, આ રેપ કેસ મામલે તથ્ય અને સંજોગોની સાથે સાથે અપરાધની પ્રકૃતિ, પુરાવા અને બંને પક્ષના વકીલો દ્વારા રજૂ કરવામાં આવેલી જાણકારી પર વિચાર કર્યા બાદ મારું માનવું છે કે, યુવકને જામીન આપવામાં આવી શકે છે. માટે જામીન અરજીનો સ્વિકાર કરવામાં આવે છે.

  • Related Posts

    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા
    • June 15, 2025

    Maharashtra Pune, Indrayani river bridge Collapsed: મહારાષ્ટ્રના પૂણેમાં આવેલા પિંપરી ચિંચવાડમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો. ઘટના સમયે ઘટનાસ્થળે ભારે ભીડ હતી અને પ્રારંભિક માહિતી મુજબ 20 થી 25…

    Continue reading
    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!
    • June 15, 2025

    Adani’s Haifa port attack: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો છે. શનિવારે ઈરાને ઈઝરાયલના દરિયાકાંઠાના શહેર હાઈફાને નિશાન બનાવીને અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. હાઈફા ઈઝરાયલનું એક…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    • June 15, 2025
    • 16 views
    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    • June 15, 2025
    • 17 views
    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    • June 15, 2025
    • 22 views
    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    • June 15, 2025
    • 12 views
    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    • June 15, 2025
    • 31 views
    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

    • June 15, 2025
    • 18 views
    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ