Surat: અત્યાર સુધી ઝેરી પાણીની 118 રત્નકલાકારોને અસર, 6ની હાલત ગંભીર, કાવતરાખોર કોણ?

Surat: સુરતના કોપોદ્રા વિસ્તારમાં આવેલા અનભ ડાયમંડ કારખાનામાં કોઈએ પાણીના  કુલરમાં ઝેરી દવા નાખી દેતાં 118 લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા પડ્યા હતા. જેમાંથી 6 લોકોને આઈસીયુમાં ખસેડવા પડ્યા છે. જો કે આટલા બધાં રત્નકલાકોરની જીવ લેવાનો કોણે પ્રાયસ કર્યો તે પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનામાં પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી છે.

કાપોદ્રા ચાર રસ્તા પાસે જીવરાજભાઈ ગાબાણીનું અનભ ડાયમંડના નામે કારખાનું આવેલું છે. અહીં ગઈકાલે સાડા 9 વાગ્યા આસપાસ સંખ્યાબંધ રત્નકલાકારોએ ચક્કર આવવા લાગ્યા હતા. ચક્કર આવવાની ફરિયાદ સાથે આ કારખાનામાં કામ કરતાં 118 રત્નકલાકારોની હાલત બગડી જતાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા તેમની સારવાર કરવામાં આવી હતી. જેમાંથી 6 લોકો આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે. કારખાનામાં તપાસ કરતાં પાણીના કુલરમાંથી ઝેરી દવાની પડકી મળી આવી હતી. જેથી પાણી પીધા બાદ રત્નકલાકારની તબિયત લથડી હતી. જે બાદ તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પાણીના કુલર નાખી હતી ઝેરી દવા

પીવાના પાણીના કુલરમાંથી દુર્ગંધ આવતી હોવાથી તપાસ કરી હતી. તપાસ કરતાં પાણીની અંદરથી સેલફોસ દવા( અનાજમાંથી જીવાત મારવાની દવા)નો પાઉચ મળી આવ્યો હતો. જેથી કોઈએ પાણીમાં અનાજની દવા નાખી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. આ બાદ ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હજુ સુધી કોઈ આરોપી ઝડપાયું નથી. કોઈ જાણકારે જ આ કાવતરુ કર્યાની આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ

કોંગ્રેસના અધિવેશન પર પાટીલના તીખા પ્રહાર, સરદાર પટેલનો ફોટો પણ ન મૂક્યો | CR Patil | Congress

યુપીમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ, ભારે વાવાઝોડાની શક્યતાઓ | Lucknow

UP: માતાએ દીકરીનો ઘરસંસાર ઉજાડ્યો, થનાર જમાઈને લઈ સાસુ ભાગી ગઈ

 મણિપુર ફરી સળગ્યું!, અનાથ આશ્રમમાં ગોળીબાર, લોકો રસ્તાઓ પર ઉતર્યા | Manipur Violence

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 2 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 7 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 6 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 9 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 14 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર