
- ISISના વડાનો અમેરિકાએ કર્યો ખાત્મ; ટ્રમ્પે કહ્યું- ‘શક્તિ દ્વારા શાંતિ’
દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદીઓમાંના એક અબ્દુલ્લા માકી મોસલેહ અલ-રિફાઇ ઉર્ફે અબુ ખાદીજાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. ઇરાકની મદદથી યુએસ આર્મીએ ખતરનાક આતંકવાદીને શોધી કાઢ્યો અને તેને મારી નાખ્યો છે. આ ઓપરેશન 2011માં અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનને મારવા માટે યુએસ સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન જેવું જ હતુ. જેમ 2011માં અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનને અમેરિકન દળો દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો અને મારી નાખવામાં આવ્યો હતો, તેવી જ રીતે વર્ષો પછી, ઇરાકની મદદથી અમેરિકન દળો દ્વારા ISIS રાજ્યના વડાને શોધી કાઢવામાં આવ્યો અને તેનું એન્કાઉન્ટ કરી દેવામાં આવ્યું છે.
CENTCOM Forces Kill ISIS Chief of Global Operations Who Also Served as ISIS #2
On March 13, U.S. Central Command forces, in cooperation with Iraqi Intelligence and Security Forces, conducted a precision airstrike in Al Anbar Province, Iraq, that killed the Global ISIS #2 leader,… pic.twitter.com/rWeEoUY7Lw
— U.S. Central Command (@CENTCOM) March 15, 2025
ઇરાકના વડા પ્રધાને શુક્રવારે જાહેરાત કરી કે ઇરાક અને સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના નેતાનું મોત થયું છે. ઇરાકી વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અબ્દુલ્લા માકી મોસલેહ અલ-રિફાઇ, ઉર્ફે અબુ ખાદીજા, ઇરાકી રાષ્ટ્રીય ગુપ્તચર એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા યુએસ-નેતૃત્વના ઓપરેશનમાં માર્યા ગયા હતા. પ્રધાનમંત્રીએ અલ-રિફાઇને ઇરાક અને વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદીઓમાંનો એક ગણાવ્યો હતો.
ટ્રમ્પે અલ-રિફાઇના મૃત્યુ પર પ્રતિક્રિયા આપી
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અલ-રિફાઇનું જીવન સમાપ્ત થઈ ગયું છે. “ઈરાકમાં ભાગેડુ ISIS નેતા માર્યો ગયો,” ટ્રમ્પે શુક્રવારે રાત્રે લખ્યું. આપણા બહાદુર યુદ્ધ લડવૈયાઓએ તેનો અવિરતપણે પીછો કર્યો. ‘ઈરાકી સરકાર અને કુર્દિશ પ્રાદેશિક સરકાર સાથે સંકલનમાં ISISના અન્ય સભ્ય સાથે તેનું જીવન સમાપ્ત કરવામાં આવ્યું.’ આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે – ‘શક્તિ દ્વારા શાંતિ’.
ઓપરેશન કેવી રીતે હાથ ધરવામાં આવ્યું?
13 માર્ચે, યુએસ સેન્ટ્રલ કમાન્ડ ફોર્સે ઇરાકી ગુપ્તચર અને સુરક્ષા દળો સાથે મળીને ઇરાકના અલ અંબાર પ્રદેશ પર હુમલો કર્યો. એપી અનુસાર, યુએસ સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અબ્દુલ્લા મક્કી મુસલીહ અલ-રિફાઇ ઉર્ફે અબુ ખાદીજા અને અન્ય એક ISIS આતંકવાદી એક સચોટ હુમલામાં માર્યા ગયા હતા.
હુમલા પછી ઓપરેશન ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બંને ISIS આતંકવાદીઓના મૃતદેહ શોધી કાઢ્યા હતા. બંને આતંકવાદીઓએ પોતાને બચાવવા માટે જેકેટ પહેર્યા હતા અને તેમની પાસે ઘણા હથિયારો હતા. સેનાએ અગાઉના ઓપરેશન દરમિયાન એકત્રિત કરાયેલા નમૂનાઓની સરખામણી અબુ ખાદીજાના મૃત્યુ પછી તેની પુષ્ટિ કરવામાં આવી હતી. અગાઉના હુમલામાં અબુ ખાદીજા ભાગી ગયો હતો.